મૈથિલી સાહિત્ય

આરસી, પ્રસાદસિંગ

આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં…

વધુ વાંચો >

ચર્યાપદ (ઊડિયા)

ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…

વધુ વાંચો >

ચૌધરી, સુધાંશુ ‘શેખર’

ચૌધરી, સુધાંશુ ‘શેખર’ (જ. 1922, દરભંગા અ. 1990) : મૈથિલીના નામી નવલકથાકાર અને નાટ્યકાર. તેમની નવલકથા ‘બતાહા સંસાર’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ વિધિસર શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ પ્રયાગના હિંદી વિશ્વવિદ્યાલયમાંથી 1951માં તેમણે વિશારદની ડિગ્રી મેળવી હતી. તેમણે પત્રકાર, અભિનેતા, ચલચિત્રોના સંવાદલેખક, પ્રૂફવાચક, પુસ્તક-પ્રકાશક…

વધુ વાંચો >

ઝા, ઉમાનાથ

ઝા, ઉમાનાથ (જ. 1923, મધુબની, બિહાર; અ. 2009) : મૈથિલી સાહિત્યકાર. સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મેલા આ મૈથિલી સર્જકની કૃતિ ‘અતીત’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દરભંગા તથા પટણામાં અભ્યાસ કર્યો હતો અને પટણા યુનિવર્સિટીમાંથી 1944માં અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે બિહારની વિવિધ યુનિવર્સિટીઓમાં રીડર…

વધુ વાંચો >

ઝા, તંત્રનાથ

ઝા, તંત્રનાથ (જ. 1909, ધરમપુર, જિ. દરભંગા, બિહાર; અ. 1984) : ખ્યાતનામ મૈથિલી કવિ અને વાર્તાકાર. તેમને તેમના મહાકાવ્ય ‘કૃષ્ણચરિત’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. પટણા કૉલેજમાં અભ્યાસ. અર્થશાસ્ત્રના વિષય સાથે 1933માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પછી 1934થી 1941 સુધી શિક્ષક તરીકે કામગીરી કર્યા…

વધુ વાંચો >

ઝા, સુભદ્ર

ઝા, સુભદ્ર (જ. 1909, નાગદા, બિહાર; અ. 2000) : મૈથિલીના લેખક અને અનુવાદક. તેમને તેમના પત્ર-સંગ્રહ ‘નાતીક પત્રક ઉત્તર’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને પં. સીતારામ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.…

વધુ વાંચો >

ઝા, હરિમોહન

ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

દુ પત્ર

દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…

વધુ વાંચો >

નાગાર્જુન

નાગાર્જુન (જ. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; અ. 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા…

વધુ વાંચો >

નાયક, બનિજારા

નાયક, બનિજારા (1972) : મૈથિલી સાહિત્યકાર બ્રજકિશોર વર્મા ‘મણિપદ્મ’(જ. 1918)ની નવલકથા. મિથિલાના પ્રખ્યાત લોક-મહાકાવ્યના કથાનકના આધારે આ નવલકથાની માંડણી થઈ છે. બુદ્ધના સમયમાં મિથિલામાં વેપારી વર્ગનાં જોર અને સત્તા હતાં; તેને કેન્દ્રમાં રાખીને લેખકે નવલકથામાં સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ કુશળતાથી આલેખ્યું છે. તેમણે તેમની લાક્ષણિક કાવ્યમય શૈલીથી નાયકની…

વધુ વાંચો >