ભારતીય સંસ્કૃતિ

ઈંટવાના બૌદ્ધ અવશેષો

ઈંટવાના બૌદ્ધ અવશેષો : જૂનાગઢ પાસે ઈંટવા નામના સ્થળેથી મળી આવેલા બૌદ્ધ વિહારનાં ખંડેર. ગિરનારની તળેટીમાં અશોકના શિલાલેખથી 5 કિલોમીટરના અંતરે 1949માં ખોદકામ કરવાથી પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ ગિરજાશંકર વલ્લભજી આચાર્યને તે મળેલા. આ વિહારની પશ્ચિમે વ્યાસપીઠ હતી. બાકીની ત્રણેય દિશામાં અલિન્દ સાથેની ઓરડીઓ હતી. અહીંથી પથ્થરનાં તોલમાપ, વાટવાના પથ્થર, કસોટી પથ્થર,…

વધુ વાંચો >

ઈંટેરી સ્થાપત્ય

ઈંટેરી સ્થાપત્ય : ઈંટના ઉપયોગથી રચાયેલ સ્થાપત્ય. નદીકિનારાની સંસ્કૃતિઓમાં ઈંટના પ્રચલિત ઉપયોગને લઈને આ પ્રકારનું સ્થાપત્ય વિકસેલ. તે અત્યંત પ્રાચીન પ્રકારનું સ્થાપત્ય છે. નાઇલ, યૂફ્રેટીસ, ટાઇગ્રિસ અને સિંધુ ખીણની સંસ્કૃતિઓનાં પ્રાપ્ય ઉદાહરણો તેની પ્રાચીનતાના પુરાવા છે. કાંપ, તણખલાં અને ઘાસનો બાંધકામમાં ઉપયોગ તો લગભગ નવથી દસ હજાર વર્ષ જૂનો છે.…

વધુ વાંચો >

ઉજ્જયંત

ઉજ્જયંત : સૌરાષ્ટ્રનો પર્વતવિશેષ. અનેક સિદ્ધ મહાત્માઓના તપથી પુનિત બનેલો ઉજ્જયંત જૈન અનુશ્રુતિ સાથે સંકળાયેલો છે. જૈનોના બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિની દીક્ષા તથા કેવલજ્ઞાન-નિર્વાણના પ્રસંગો અનુક્રમે રૈવતક તથા ઉજ્જયંત પર થયા હોવાની અનુશ્રુતિ છે. ઉજ્જયંતમાંથી નીકળતી સુવર્ણસિક્તા, પલાશિની ઇત્યાદિ નદીઓના પ્રવાહમાંથી  સુદર્શન તળાવ મહાક્ષત્રપ રુદ્રદામાએ બંધાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય(457)નો…

વધુ વાંચો >

ઉજ્જૈન

ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ…

વધુ વાંચો >

ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ)

ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ) : અમદાવાદમાં પેશવાઈ સૂબેદાર રઘુનાથ રામચંદ્રના સમયનો અગ્રણી ચાડિયો. સૂબો કાચા કાનનો હોઈ તેના સમયમાં ચાડિયાઓની ખટપટ ખૂબ વધી હતી. ચાડિયાઓની બાતમી પરથી તે લોકો પાસેથી પૈસા કઢાવતો. આમાં આગેવાન ઉત્તમ અથવા ઓતિયા નામે ચાડિયાએ સદુબા નામે એક બારોટ બાઈ ઉપર વ્યભિચારનો આરોપ મૂકી એને સૂબેદાર…

વધુ વાંચો >

ઉત્તરકાલીન ગુપ્ત વંશ

ઉત્તરકાલીન ગુપ્ત વંશ : છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં મગધમાં સત્તા પર આવેલો રાજવંશ. મગધમાં ગુપ્ત વંશના સમ્રાટોની સત્તાનો હ્રાસ થયો ત્યારે ત્યાં એક અન્ય ગુપ્તકુલની સત્તા પ્રવર્તી. આ ઉત્તરકાલીન ગુપ્ત વંશના પહેલા ત્રણ રાજા – કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્ત છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા. જીવિતગુપ્તના પુત્ર કુમારગુપ્તે મૌખરિ રાજા ઈશાનવર્માને પરાજિત કર્યો.…

વધુ વાંચો >

ઉત્તરકાશી

ઉત્તરકાશી : ઉત્તરાખંડ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા પવિત્ર યાત્રાધામ. ઉત્તરકાશીનો અલગ જિલ્લો થયો તે પહેલાં તે ટેહરી જિલ્લામાં ગણાતું. તે 30o 40′ ઉ. અ. અને 78o 27′ પૂ. રે.ની આજુબાજુનો 7,951 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં યમનોત્રી, ઈશાનમાં ગંગોત્રી, પૂર્વ તરફ કેદારનાથ, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ઉત્તરકુરુ પ્રદેશ

ઉત્તરકુરુ પ્રદેશ : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. તેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ 8-14-4માં આવે છે. તેમાં તેને હિમાલયની પેલી પાર આવેલા પ્રદેશ તરીકે ઓળખાવાયો છે. પછીના ઇતિહાસ, પુરાણો તથા બીજાં સાહિત્યમાં ઉત્તરકુરુ અને ત્યાંના રહેવાસીઓ-ઉત્તરકુરુ-નું વર્ણન પુરાકલ્પનવાળું લાગે છે, પરંતુ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુ ઐતિહાસિક લાગે છે. એક બીજા ખંડમાં વસિષ્ઠસાત્યહવ્યે ઉત્તરકુરુને ‘દેવક્ષેત્ર’…

વધુ વાંચો >

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું  રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…

વધુ વાંચો >

ઉત્તરાંગ

ઉત્તરાંગ : પ્રવેશદ્વારની રચનામાં સ્તંભો પર મૂકવામાં આવતો પટ્ટો, જેમાં ઘણી વખત કુંભ અથવા નવગ્રહ અથવા ગણેશની પ્રતિમા કંડારવામાં આવે છે. દ્વારશાખાઓની રચનાને અનુરૂપ ઉત્તરાંગની રચનાના ભાગો હોય છે. દ્વારશાખા, ઉત્તરાંગ વગેરેની રચનાની ભારતીય મંદિરસ્થાપત્યમાં વૈવિધ્યપૂર્ણ પ્રણાલી રહેલી છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >