બળદેવભાઈ કનીજિયા

સ્વરૂપદાસ

સ્વરૂપદાસ (જ. 1801, બડલી, પ્રાંત અજમેર; અ. 1863) : રાજસ્થાની કવિ અને દાદુના અનુયાયી. તેમનું બાળપણનું નામ શંકરદાન હતું. તેમનાં માતા-પિતા ઉમરકોટ (હાલ પાકિસ્તાનમાં) રહેતાં હતાં. પાછળથી તેઓ અજમેરમાં જોધા રાજપૂતાનાના પ્રસિદ્ધ સ્થળ બડલી ખાતે સ્થાયી થયાં. તેમના કાકા પરમાનંદે તેમને કવિતાની કળા શીખવી અને સંસ્કૃતના વિદ્વાન બનાવ્યા. ત્યાર બાદ…

વધુ વાંચો >

સ્વર્ણકુમારી દેવી

સ્વર્ણકુમારી, દેવી (જ. 28 ઑગસ્ટ 1856, કોલકાતા; અ. 3 જુલાઈ 1932) : બંગાળી મહિલા-સાહિત્યકાર. તેઓ રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન હોવાથી સાહિત્યિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. તેમને ઘરમેળે યુરોપિયન મહિલા દ્વારા અને પાછળથી અયોધ્યાનાથ પકરાસી મારફત શિક્ષણ પ્રાપ્ત થયું હતું. દેવી સ્વર્ણકુમારી તેમનાં લગ્ન કૉંગ્રેસી નેતા જાનકીનાથ ઘોસાલ સાથે થયેલાં. નાની…

વધુ વાંચો >

સ્વામી

સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને…

વધુ વાંચો >

સ્વામી એચ. તિપ્પેરુદ્ર

સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો…

વધુ વાંચો >

સ્વામી બી. જી. એલ.

સ્વામી, બી. જી. એલ. (જ. 1918, બૅંગાલુરુ, મૈસૂર; અ. ? 1981) : કન્નડ લેખક. તેમને તેમના ગ્રંથ ‘હન્સુરુ હોન્નુ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ કન્નડ સાહિત્યના અગ્રણી ડી. વી. ગુંડપ્પાના પુત્ર છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી 1944માં વનસ્પતિશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1978માં તેઓ ચેન્નાઈની પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

સ્વામી રામભદ્રાચાર્ય

સ્વામી રામભદ્રાચાર્ય (જ. 1950, શાંદીર્ખુદ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવ્ય વ્યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એક સક્રિય કાર્યકર્તા છે. સ્વામી રામભદ્રાચાર્ય તેઓ હિંદી, અંગ્રેજી, ફ્રેંચ…

વધુ વાંચો >

હઝારિકા અતુલચન્દ્ર

હઝારિકા, અતુલચન્દ્ર (જ. 9 સપ્ટેમ્બર 1903, લતાશીલ, તા. ગુવાહાટી, આસામ; અ. 1986) : અસમિયા કવિ, નાટ્યકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના પિતાનું નામ રમાકાન્ત અને માતાનું નામ નિરૂપમા હતું. તેમણે 1923માં ગુવાહાટીની કૉલેજિયેટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક;…

વધુ વાંચો >

હમીદી હબીબુલ્લાહ કાશ્મીરી

હમીદી, હબીબુલ્લાહ કાશ્મીરી (જ. 29 જાન્યુઆરી 1932, બહોરી કદલ, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ અને કાશ્મીરી વાર્તાકાર, નવલકથાકાર તથા વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફારસીમાં બી.એ. ઑનર્સ અને અંગ્રેજી તથા ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરચરણસિંગ

હરચરણસિંગ [જ. 10 ડિસેમ્બર 1914, ચાક-576, જિ. શેખુપુરા (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી નાટ્યકાર. તેમને તેમના નાટક ‘કલ, આજ તે ભાલક’ (1973) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને ઇતિહાસમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી થિયેટર ટ્રેડિશન્સ ઇન પંજાબ’ પર 1973માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરભજનસિંગ

હરભજનસિંગ (જ. 18 ઑગસ્ટ 1919, લુમ્ડિંગ, આસામ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી અને હિંદી સાથે એમ.એ. તથા ‘અ ક્રિટિકલ સ્ટડી ઑવ્ મિડિવલ હિંદી પોએટ્રી પ્રિઝર્વ્ડ ઇન ગુરુમુખી સ્ક્રિપ્ટ’…

વધુ વાંચો >