પત્રકારત્વ

સ્ત્રીજીવન (સામયિક)

સ્ત્રીજીવન (સામયિક) : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક. મહિલાઓ માટેના પત્રકારત્વની ‘સ્ત્રીબોધ’ની પરંપરામાં તેના એક સમયના સંપાદક શ્રી મનુભાઈ જોધાણીએ ‘સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરી. 20–22 વર્ષની ઉંમરથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહેલા મનુભાઈ જોધાણી જીવણલાલ અમરશીની કંપની અમદાવાદ ખાતેથી પ્રકાશિત થતા ‘સ્ત્રીબોધ’ના સહતંત્રી રહેલા. મહિલા-સામયિકોની સામગ્રી અને તેના લેઆઉટ અંગેની…

વધુ વાંચો >

સ્ત્રીબોધ–1856 (માસિક)

સ્ત્રીબોધ–1856 (માસિક) : મહિલાઓ માટેનું સૌપ્રથમ માસિક. તે 1856માં 1લી જાન્યુઆરીએ શરૂ થયું. સ્ત્રીઓની જાગૃતિ માટે ગુજરાતમાં સ્ત્રીપત્રકારત્વનો પ્રારંભ પારસી સદગૃસ્થ કેખુશરો કાબરાજીએ કર્યો હતો. તેઓ ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ’ના સ્થાપક તંત્રીમાલિક હતા. આથી 1881થી 1941 સુધી પૂતળીબાઈ ‘સ્ત્રીબોધ’ સાથે સંકળાયેલાં રહ્યાં. ‘સ્ત્રીબોધ’માં પૂતળીબાઈએ બહેનોની કેળવણી, શારીરિક અને માનસિક વિકાસ…

વધુ વાંચો >

સ્વાધ્યાય (સામયિક)

સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન…

વધુ વાંચો >

હરિજનપત્રો

હરિજનપત્રો : અસ્પૃશ્યતાના પ્રચાર-પ્રસાર માટે શરૂ કરેલ પત્રો-સામયિકો. 1933ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીના ‘નવજીવન’ પત્રનો છેલ્લો અંક પ્રગટ થયો એ પછી ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ બંધ થતાં 11મી ફેબ્રુઆરીએ અસ્પૃશ્યતાનિવારણને ધ્યાનમાં રાખી ‘હરિજન’ નામનું અંગ્રેજી સાપ્તાહિક પુણેથી દર શનિવારે પ્રગટ કરવાનું શરૂ કર્યું. એના સંપાદક હતા શ્રી આર. વી. શાસ્ત્રી અને…

વધુ વાંચો >

હર્ષ અશોક

હર્ષ, અશોક (જ. 23 સપ્ટેમ્બર 1915, મુન્દ્રા, જિ. કચ્છ; અ. 13 ડિસેમ્બર 2003, અમદાવાદ) : પત્રકાર, સંપાદક, ચરિત્રકાર, વાર્તાકાર અને અનુવાદક. પિતાનું નામ રતનશી અને માતાનું નામ લક્ષ્મીબહેન. પદ્ધતિસરની કેળવણીનો લાભ એમને બહુ ઓછો મળ્યો હતો. જે થોડું શિક્ષણ પામ્યા તે વતન મુન્દ્રામાં જ. રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય રહેલા. અભ્યાસ…

વધુ વાંચો >

હલવારવી હરભજનસિંહ

હલવારવી, હરભજનસિંહ (જ. 10 માર્ચ 1943, હલવારા, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પુલાં તોં પાર’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગણિત અને પંજાબી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ પંજાબી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ…

વધુ વાંચો >

હિકી જેમ્સ ઑગસ્ટસ

હિકી, જેમ્સ ઑગસ્ટસ (જ. ?; અ. ?) : બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં પત્રકારત્વની શરૂઆત કરવાનું શ્રેય ધરાવનાર આઇરિશ નાગરિક. ભારતમાં કંપની સરકારની આપખુદશાહીનો વિરોધ કરવા માટે 29 જાન્યુઆરી 1780ના શનિવારના રોજ ‘બંગાલ ગૅઝેટ ઑર કોલકાતા જનરલ ઍડવર્ટાઇઝર’ નામનું બે પાનાનું સ્વતંત્ર આર્થિક અને રાજકીય સાપ્તાહિક બહાર પાડવાનું તેમણે શરૂ કર્યું.…

વધુ વાંચો >

હિન્દુસ્તાન (હિન્દી દૈનિક)

હિન્દુસ્તાન (હિન્દી દૈનિક) : 1936માં પ્રારંભ. દિલ્હી, કાનપુર, પટણા અને લખનઉથી પ્રકાશિત. હાલ(2009)માં તમામ આવૃત્તિનાં એડિટર ઇન ચીફ (મુખ્ય તંત્રી) સુશ્રી મૃણાલ પાંડે છે. હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાન’ એ વાસ્તવમાં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જૂથનું અખબાર છે. ઉપર્યુક્ત ચાર શહેરો ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા અને કાનપુરથી 2006માં તેમજ ઉત્તરાખંડના દહેરાદૂનથી 2008માં ‘હિન્દુસ્તાન’ની…

વધુ વાંચો >

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર : બહુભાષી સમાચાર સંસ્થા. પ્રારંભ ડિસેમ્બર 1948. સ્થાપક પ્રખ્યાત ચિંતક અને સામાજિક કાર્યકર્તા શ્રી શિવરામ શંકર આપટે ઉર્ફે દાદાસાહેબ આપટે. હિન્દુસ્થાન સમાચાર એ ભારતની વિવિધ ભાષાઓમાં સમાચાર સેવા પૂરી પાડતી સંસ્થા છે, જેનો લાભ ગુજરાતનાં નાનાંમોટાં 40 અખબાર–સામયિકો સહિત દેશનાં અનેક અખબાર–સામયિકો લે છે. આ સમાચાર સંસ્થાના નામ…

વધુ વાંચો >

હિંદુ ધ

હિંદુ ધ : અંગ્રેજી દૈનિક. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં 20 સપ્ટેમ્બર, 1878ના રોજ સાપ્તાહિક તરીકે પ્રારંભ. તામિલનાડુના તાંજવુર નજીક તિરુવૈયુરની શાળાના શિક્ષક અને સામાજિક સુધારક જી. સુબ્રમનિયા ઐયરના નેજા હેઠળ છ યુવકોએ આ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો, જે આગળ જતાં સપ્તાહમાં ત્રણ દિવસ અને ત્યારબાદ દૈનિક તરીકે પ્રકાશિત થતું આવ્યું છે. આ…

વધુ વાંચો >