નવનીત દવે

દાલમેશિયન ટાપુઓ

દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય…

વધુ વાંચો >

દાસ, એસ. આર.

દાસ, એસ. આર. (સુધીરરંજન) (જ. 1 ઑક્ટોબર 1894; અ. 18 સપ્ટેમ્બર 1977) : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમનું શિક્ષણ શાંતિનિકેતન ખાતે સંપન્ન થયું (1905–11) હતું. ઉચ્ચશિક્ષણ બંગબાસી કૉલેજ, કૉલકાતા તથા યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં મેળવ્યું હતું. ત્યાંથી તેમણે કાયદાના સ્નાતકની (એલએલ.બી) ઉપાધિ હાંસલ કરી (1918). તથા બૅરિસ્ટર થઈને 1919માં કૉલકાતામાં વકીલાત…

વધુ વાંચો >

દિવાકર, રંગા રાવ

દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…

વધુ વાંચો >

દુઆર્તે, જોઝ નેપોલિયાં

દુઆર્તે, જોઝ નેપોલિયાં (જ. 23 નવેમ્બર 1925, અલ સાલ્વાડૉર; અ. 23 ફેબ્રુઆરી 1990, અલ સાલ્વાડૉર) : [Duarte (Fuentes) Jose’ Napole’on]. અલ સાલ્વાડૉરના પ્રમુખ 1946માં નોત્રદામ યુનિવર્સિટી(ઇન્ડિયાના)ના સ્નાતક. 1960 સુધી બિનસરકારી હોદ્દાઓ પર કામ કર્યું. અલ સાલ્વાડૉરમાં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. 1964–70 સુધી સાન સાલ્વાડૉરના મેયર તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

દુબચેક, ઍલેક્ઝાન્ડર

દુબચેક, ઍલેક્ઝાન્ડર [જ. 27 નવેમ્બર 1921, ચૅકોસ્લોવૅકિયા (હાલનું સ્લોવાકિયા); અ. 7 નવેમ્બર 1992, પ્રાગ (હાલનું ચૅક રિપબ્લિક)] : ચૅકોસ્લોવૅકિયાના રાજપુરુષ તથા ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (5 જાન્યુઆરી, 1968થી 17 એપ્રિલ, 1969). ચૅકોસ્લોવૅકિયાને આર્થિક-રાજકીય સુધારાઓ અને ઉદારીકરણના માર્ગે અગ્રેસર કરનાર આ મુત્સદ્દીએ પ્રાથમિક શિક્ષણ સોવિયેત મધ્ય એશિયાના કિરગીઝિયા ખાતે લીધું…

વધુ વાંચો >

દેવગૌડા, હારડાનાહલ્લી

દેવગૌડા, હારડાનાહલ્લી (જ. 18 મે 1933, હારડાનાહલ્લી, કર્ણાટક) : ભારતના ભૂતપૂર્વ (1996–97) વડાપ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા. પિતા દોદેગૌડા તથા માતા દયાવમ્મા સામાન્ય ખેડૂત પરિવારનાં હતાં. નબળી આર્થિક સ્થિતિને લીધે દેવગૌડાને બપોર સુધીનો સમય ખેતીકામમાં ગાળવો પડતો અને ત્યારપછીના સમય દરમિયાન તેઓ લક્ષમ્મા વેંકટસ્વામી પૉલિટેકનિકમાં અભ્યાસ કરતા.…

વધુ વાંચો >

દેવરસ, બાળાસાહેબ

દેવરસ, બાળાસાહેબ (જ. 5 નવેમ્બર 1915, નાગપુર; અ. 17 જૂન 1996, પુણે) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક. પૂરું નામ મધુકર દત્તાત્રેય દેવરસ. તેમનું કુટુંબ આંધ્રપ્રદેશથી આવી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કારંજ ગામે વસેલું. સંસ્કૃત અને તત્વજ્ઞાન સાથે 1935માં બી.એ. થયા બાદ 1937માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. કિશોર વયે તેમને…

વધુ વાંચો >

દેશપાંડે, પાંડુરંગ ગણેશ

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…

વધુ વાંચો >

દોલ્ચી, દાનીલો

દોલ્ચી, દાનીલો (જ. 28 જૂન 1924, સેસાના, ઇટાલી; અ. 30 ડિસેમ્બર 1997, પાર્ટિનિકો, ઇટાલી) : કવિપ્રકૃતિના ગૂઢવાદી ઇટાલિયન લેખક, સમાજસુધારક અને કર્મશીલ નેતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ દોલ્ચીની માતા મેલી કૉન્ટેલી સ્વભાવે ધાર્મિક અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતી હતી. પિતા સિનોર એનરિકો નિરાળી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. ગામડા પ્રત્યે માયા…

વધુ વાંચો >

ધારિયા, મોહન માણિકચંદ

ધારિયા, મોહન માણિકચંદ (જ. 14 ફેબ્રુઆરી 1925, નાતે, જિ. રાયગઢ; અ. 14 ઑક્ટોબર 2013) : સ્વાતંત્ર્યસૈનિક, કેન્દ્ર-સરકારના માજી પ્રધાન, જાહેર કાર્યકર. જંજીરા રાજ્યનો કબજો બળજબરીથી લઈને 1948માં ભારતીય સંઘમાં તેનું વિલીનીકરણ કરનાર કામચલાઉ સરકારમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે 1962થી 1967 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે, 1964 થી…

વધુ વાંચો >