ધર્મ-પુરાણ
પૂજા
પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…
વધુ વાંચો >પૂરુ વંશ
પૂરુ વંશ : પુરાણકાળનો પ્રસિદ્ધ ભારતીય રાજવંશ. પ્રાચીન કાળના પ્રતિષ્ઠાન(વત્સદેશ)ના રાજા. મનુ વૈવસ્વતની પુત્રી ઇલાએ બુધ સાથે લગ્ન કર્યું, તેમાંથી ઐલ વંશ ઉદભવ્યો. એ વંશમાં નહુષ-પુત્ર યયાતિ નામે પ્રતાપી રાજા થયા. અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દ્વારા યયાતિને દ્રુહ્યુ, અનુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. પ્રતિષ્ઠાન(વત્સદેશ)નું પૈતૃક રાજ્ય એના કનિષ્ઠ…
વધુ વાંચો >પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો
પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો : પ્રાચીન રોમન સામ્રાજ્યના પૂર્વ વિસ્તારના ખ્રિસ્તીઓના ધર્મપંથો. ચારેક સૈકા સુધી એક અને અખંડ ધર્મ તરીકે રહેલ ખ્રિસ્તી ધર્મમાં એના એક યા બીજા પાસાને વધુ પડતું મહત્વ અપાતાં વિવાદો શરૂ થયા. નેસ્તોરવાદ, એકાત્મવાદ યા અભિન્નવાદ તેમજ રોમ અને કૉન્સ્ટંટિનોપલ વચ્ચેના વિવાદોથી ઊભું થયેલું વૈમનસ્ય – એ સૌને…
વધુ વાંચો >પૂષા
પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…
વધુ વાંચો >પૅગોડા
પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના…
વધુ વાંચો >પોપ
પોપ : ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રાચીન સંપ્રદાય રોમન કૅથલિકના ધર્મગુરુ. ‘પોપ’ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પિતા થાય છે. રોમમાં ચર્ચની સ્થાપના માનવપુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ્ય શિષ્ય પીટરે કરી હતી. અને તેથી રોમ એ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ કારણથી અહીંના ચર્ચના પોપનું સમગ્ર…
વધુ વાંચો >પૉલ સંત
પૉલ, સંત (જ. આશરે ઈ. સ. 5, તાર્સસ, સિલિસિયા; અ. 29 જૂન 64, રોમ) : ખ્રિસ્તી ધર્મના મહાન પ્રચારક સંત. તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં થોડાં વર્ષોમાં થયો હતો. તેમનાં મા-બાપ યહૂદી ધર્મનાં બિન્જામિન કુળનાં હતાં. તેઓ યહૂદી ધર્મની નિયમસંહિતાના મુખ્ય ભાગો શીખ્યા હતા. તેમનું જન્મસ્થળ રોમન હકૂમત હેઠળ…
વધુ વાંચો >પોષધશાલા
પોષધશાલા : જૈન ઉપાશ્રય કે અપાસરો. આત્માને પોષક ધર્મક્રિયા કરવાનું સ્થાન. સામાન્યત: જૈન મુનિઓ એક સ્થાને લાંબો સમય રહેતા નથી. તેઓ પાદ-વિહારી હોય છે અને ગામેગામ વિચરતા રહી ધર્મોપદેશ આપતા રહે છે. વિહાર દરમિયાન નાનુંમોટું રોકાણ તેઓ કરે છે. ચોમાસાના ચાર માસ તો તેઓ વિહાર કરતા જ નથી અને એક…
વધુ વાંચો >પોસાઇડોન
પોસાઇડોન : ગ્રીક લોકોની ધાર્મિક માન્યતા મુજબ સમુદ્રના દેવ. તે ધરતીકંપના દેવ પણ મનાતા હતા. આખ્યાયિકા અનુસાર તેઓ પ્રાચીન દેવ ક્રોનૉસ અને દેવી રિયાના પુત્ર હતા. ઝ્યૂસ અને હેડીસ તેમના ભાઈઓ હતા. આ ત્રણેય ભાઈઓએ તેમના પિતાને પદભ્રષ્ટ કર્યા ત્યારે સમુદ્રનું રાજ્ય પોસાઇડોનને મળ્યું. તેમનું શસ્ર ત્રિશૂળ હતું. પોસાઇડોનને હિંસક…
વધુ વાંચો >પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય : વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા. આ સંસ્થા 1936–37માં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ 60 વર્ષની વયે સ્થાપેલી. દાદા લેખરાજ 1877માં જન્મેલા. એમને 60 વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ, નૈતિક, ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના…
વધુ વાંચો >