ધર્મ-પુરાણ
પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)
પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…
વધુ વાંચો >પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)
પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…
વધુ વાંચો >પાશુપત સંપ્રદાય
પાશુપત સંપ્રદાય : શૈવ ધર્મની મુખ્ય શાખા. પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સ્થાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાલાંતરે લકુલીશ અને વીરશૈવ જેવી કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશે જે શાખા શરૂ કરી તે જતે દિવસે ‘લકુલીશ પાશુપત સંપ્રદાય’ને નામે ઓળખાઈ. પાશુપત સંપ્રદાયના અનુયાયીઓ શિવને લિંગસ્વરૂપે પૂજે છે, પરંતુ વિષ્ણુથી શાપિત ભૃગુએ…
વધુ વાંચો >પાંડરા
પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે…
વધુ વાંચો >પાંડુ
પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા. હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ…
વધુ વાંચો >પિંડારક
પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…
વધુ વાંચો >પીર ઇમામશાહ
પીર ઇમામશાહ : જુઓ ઇમામશાહ.
વધુ વાંચો >પીરાણા પંથ
પીરાણા પંથ : ઇમામશાહે ગુજરાતમાં પંદરમી સદીમાં સ્થાપેલો પંથ. ઇમામુદ્દીન અર્થાત્ ઇમામશાહ (ઈ. સ. 1452થી 1513 કે 1520) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની નૈર્ઋત્યે 16 કિમી. દૂર આવેલા ગીરમઠા નામના ગામમાં સ્થાયી થયા. એ ગામ પછી પીરોના સ્થાન તરીકે ‘પીરાણા’ નામે પ્રસિદ્ધ થયું અને આ પંથ પણ એ ગામના નામ પરથી…
વધુ વાંચો >પુણ્ડ્ર
પુણ્ડ્ર : પુરાણોમાં નિરૂપાયેલું ભારતના પ્રદેશનું કે વ્યક્તિનું નામ. પુણ્ડ્ર નામની ઘણી વ્યક્તિઓ પુરાણોમાં ઉલ્લેખાઈ છે. પુરાણોમાં પુણ્ડ્ર નામનું નગર અને એ નામનો પ્રદેશ પણ ઉલ્લેખ પામ્યો છે. હાલમાં ઉત્તર-પ્રદેશને અડીને હિમાલય પર્વત તરફનો ભારતનો પ્રદેશ પ્રાચીન કાળમાં પુણ્ડ્ર નામે ઓળખાતો હતો. મહાભારતમાં તેનો નિર્દેશ થયો છે અને મહાભારતકાળમાં ત્યાં…
વધુ વાંચો >