ગિરીશભાઈ પંડ્યા
ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)
ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો (landforms), તેમાં વખતોવખત થતા રહેતા ફેરફાર, ઘસારાચક્ર, તેમનાં વર્ણન તેમજ અર્થઘટન કરતી ભૂસ્તરશાસ્ત્રની શાખા. પૃથ્વી ગોળાકાર ગણાતી હોવા છતાં તેની સપાટી ખૂબ જ અસમતળ અને અનિયમિત છે. સપાટીની આ અનિયમિતતા ભૂપૃષ્ઠમાં ચાલતાં રહેતાં આંતરિક અને બાહ્ય બળોને કારણે ઉદભવતી હોય છે. પૃથ્વી પર…
વધુ વાંચો >ભૂરસાયણશાસ્ત્ર
ભૂરસાયણશાસ્ત્ર (Geochemistry) : પૃથ્વીના બંધારણમાં રહેલાં રાસાયણિક તત્વો સાથે તથા આ તત્વોનું પરિવર્તન કરતી રહેતી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. ભૂરસાયણશાસ્ત્રનો મુખ્ય હેતુ પૃથ્વીના ત્રણ વિભાગો – ખંડીય પોપડાનું, સમુદ્રીય પોપડાનું અને ભૂમધ્યાવરણનું તેમજ ભૂગર્ભજળ, સપાટીજળ અને વાતાવરણનું રાસાયણિક બંધારણ નક્કી કરવાનો હોય છે. ખડકો, ખનિજો અને જળનાં બંધારણ નક્કી…
વધુ વાંચો >ભૂરાસાયણિક નિરીક્ષણ
ભૂરાસાયણિક નિરીક્ષણ (Geochemical Prospecting) : પૃથ્વીના પોપડાના ખડકોમાં ભંડારાયેલાં આર્થિક મહત્વ ધરાવતાં ખનિજોની ખોજ માટે કરવામાં આવતાં રાસાયણિક પૃથક્કરણો દ્વારા ઉપલબ્ધ ખનનયોગ્ય માહિતી મેળવવા માટેની પદ્ધતિ. હાથ પર લેવામાં આવતાં ખોજસંશોધનોમાં ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણોની સાથે સાથે ભૂરાસાયણિક પદ્ધતિઓ પણ અખત્યાર કરવામાં આવે છે. સોળમા સૈકામાં ખનિજીય ઝરાઓ અને ભૂગર્ભીય…
વધુ વાંચો >ભૂવિદ્યાઓ
ભૂવિદ્યાઓ (Earth Sciences) : પૃથ્વી સાથે સંલગ્ન વિવિધ વિજ્ઞાનશાખાઓ. ઘનસ્વરૂપ પૃથ્વી (શિલાવરણ), પ્રવાહી સ્વરૂપ સમુદ્ર–મહાસાગરો (જલાવરણ) અને વાયુસ્વરૂપ વાતાવરણ સાથે સંકળાયેલાં વિજ્ઞાન. આ વિભાગોનાં ઇતિહાસ, રાસાયણિક બંધારણ, ભૌતિક લાક્ષણિકતાઓ અને વલણના અભ્યાસ સાથે સંબંધ ધરાવતી વિજ્ઞાનશાખાઓને ભૂવિદ્યાઓ કહે છે. ઉપર્યુક્ત ત્રણ વિભાગોની ઘન, પ્રવાહી અને વાયુ એ મુજબની ત્રણ સ્થિતિ…
વધુ વાંચો >ભૂવીજપ્રવાહ
ભૂવીજપ્રવાહ (Telluric Current) : 1. પૃથ્વીની સપાટી પર અથવા અધ:સપાટી (ઓછી ઊંડાઈ)નાં નિમ્ન પડોમાં બહોળા પટ સ્વરૂપે વહેતો રહેતો કુદરતી વીજપ્રવાહ. પ્રતિકારક્ષમતા સર્વેક્ષણ (resistivity surveying) માટેનાં સાધનો દ્વારા આ પ્રવાહોની માપણી કરી શકાય છે. પોપડાના સમગ્ર પટમાં ફરી વળવાની ક્ષમતા તેઓ ધરાવતા હોય છે, પરંતુ તેમાં સામયિક અને આંતરે આંતરે…
વધુ વાંચો >ભૂશિર
ભૂશિર (Cape) : સમુદ્ર, મહાસાગર કે મોટા સરોવરમાં વિસ્તરતો છેડાનો ભૂમિભાગ. ખંડો, દ્વીપકલ્પો કે ટાપુઓના શિખાગ્ર ભાગને પણ ભૂશિર કહી શકાય. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ખંડોના દક્ષિણ છેડા ત્રિકોણાકાર છે, આ ત્રિકોણોના શિખાગ્ર ભાગોએ ભૂશિરો રચેલી છે. ભૂશિરો રચાવાનાં બે મુખ્ય કારણો છે : (i) ઘસારો : દરિયાઈ મોજાં તેમજ તરંગો…
વધુ વાંચો >ભૂસંચલન–આકારાન્તરક્રિયા
ભૂસંચલન–આકારાન્તરક્રિયા (diastropism) : ભૂપૃષ્ઠ પર કે પોપડાના વિભાગોમાં જોવા મળતી વિરૂપતા માટે જવાબદાર પ્રક્રિયા કે વિવિધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ. વિરૂપતાથી થતી અસરો કે પરિણામોને માટે પણ આ શબ્દગુચ્છ વપરાય છે. યુ.એસ.ના કોર્ડિલેરન વિસ્તારમાંનાં મહત્વનાં ભૂસ્તરીય લક્ષણોનાં અભ્યાસ અને ચર્ચાઓ દરમિયાન તે વખતે વપરાતા ‘પૃથ્વીના પોપડાની વિરૂપતા’ જેવા લાંબા શબ્દપ્રયોગને સ્થાને માત્ર…
વધુ વાંચો >ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ
ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ (tectonic mountain belts) : ભૂસંચલનથી અસ્તિત્વમાં આવતી ગિરિમાળાઓ. કોઈ પણ ગિરિમાળા તૈયાર થવા માટે ઘણો લાંબો ભૂસ્તરીય કાળગાળો જરૂરી બને છે, તેને ગિરિનિર્માણ કાળગાળો કહે છે. ઘટનાને ગિરિનિર્માણ (orogeny) અને ગિરિમાળા રચાવા માટે જવાબદાર પ્રક્રિયાને ગિરિનિર્માણપ્રક્રિયા (orogenesis) કહે છે. ગિરિનિર્માણ-કાળગાળા દરમિયાન થતી રહેતી વિવિધ પ્રક્રિયાઓને પરિણામે ઘનિષ્ઠ અને…
વધુ વાંચો >ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ
ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ (tectonic inlier-window, fenster) : ભૂસંચલનજન્ય રચનાના ઘસારાને પરિણામે વિવૃત થયેલો નવપરિવેષ્ટિત ખડકવિભાગ. ગેડીકરણ અને સ્તરભંગ જેવી વિરૂપતાઓને કારણે ગેડવાળા પર્વતપટ્ટાઓમાં જે ખડકપટ પ્રતિબળોની અસર હેઠળ તૂટી જઈને તેના મૂળ સ્થાનેથી આશરે બે કે તેથી વધુ કિમી.ના અંતર સુધી આગળ તરફ સરકી ગયો હોય તેને નૅપ (nappe) તરીકે ઓળખાવાય…
વધુ વાંચો >ભૂસંચલનવિદ્યા
ભૂસંચલનવિદ્યા (geotectonics) : પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા ખડકજથ્થાઓનાં સ્વરૂપો, તેમની ગોઠવણી અને સંરચનાઓેને લગતું ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો સમન્વય કરતા ભૂભૌતિકશાસ્ત્ર સાથે સંકળાયેલી આ એક વિજ્ઞાનશાખા છે. આ શાખાને ભૂગતિવિજ્ઞાનના સમાનાર્થી શબ્દ તરીકે ઘટાવાય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >