ખગોળ

ચંદ્ર વસાહત (Lunar colony)

ચંદ્ર વસાહત (Lunar colony) : કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિક અન્વેષણ (exploration) માટે ચંદ્રની મુસાફરી કર્યા બાદ ચંદ્ર ઉપર પ્રથમ હંગામી ધોરણે વૈજ્ઞાનિક આધારમથક (base station) પ્રસ્થાપિત કરી તેને પાછળથી 50થી 100 માણસો રહી શકે તેવી કાયમી ચંદ્ર વસાહત તરીકે વિકસાવવાની એક કાલ્પનિક યોજના. પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને…

વધુ વાંચો >

ચંદ્રશેખર મર્યાદા

ચંદ્રશેખર મર્યાદા (Chandrashekhar limit) : તારાના દળની 1.4 MO મર્યાદા. તારાના અંતર્ભાગ(core)નું દળ સૂર્યના દળ MO કરતાં 1.4 ગણું અને અંતર્ભાગનું કદ પૃથ્વીના કદ જેટલું થતાં તારાના સંકોચન ઉપર આવતી મર્યાદા. જન્મે ભારતીય અને અમેરિકાના નાગરિક સુબ્રમણ્યમ્ ચંદ્રશેખરે તારાના સંકોચનની આ મર્યાદા નક્કી કરી હતી જેને માટે તેમને 1983માં પદાર્થવિજ્ઞાનનો…

વધુ વાંચો >

ચાંદ્ર પક્ષાર્ધ

ચાંદ્ર પક્ષાર્ધ : જુઓ ક્ષેત્રકલન

વધુ વાંચો >

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar)

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar) : 12 ચાંદ્ર માસના બનેલા ચાંદ્ર વર્ષ અને ખગોલીય ક્રાંતિવૃત્તનું એક પરિભ્રમણ કરતાં સૂર્યને લાગતા સમયગાળા — સૌરવર્ષ (tropical year) અંગેનું તિથિપત્ર. ચાંદ્ર-સૌર વર્ષમાં બંને પ્રકારનાં વર્ષોનો સમન્વય સાધવામાં તેમજ તાલમેળ જાળવવામાં આવે છે. સામાન્ય વ્યવહારોપયોગી કાળગણના માટે એક અમાસથી બીજી અમાસ કે એક પૂનમથી બીજી…

વધુ વાંચો >

ચુંબકીય મંડળ (magnetosphere)

ચુંબકીય મંડળ (magnetosphere) : તારા કે ગ્રહની ફરતે ચુંબકીય વર્ચસ્ ધરાવતું પર્યાવરણ. તારા કે ગ્રહની આસપાસ આવેલું ચુંબકીય ક્ષેત્ર, વાયુ ગતિકી (gas dynamics) કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે. ચુંબકીય મંડળ એ 1011 વૉટ ઊર્જાનું સર્જન કરનાર, સૌર પવન વડે ઉદભવતું એક કુદરતી જનિત્ર (generator) છે. સૌર પવન પ્રોટૉન, ઇલેક્ટ્રૉન અને…

વધુ વાંચો >

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng)

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng) (જ. 78, નાનયાંગ, હેનાન, ચીન; અ. 139) : દુનિયાનું સૌપ્રથમ ભૂકંપ આલેખ-યંત્ર (સિસ્મોગ્રાફ) તેમજ અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો બનાવનાર ચીની સંશોધક, ખગોળજ્ઞ અને ગણિતજ્ઞ. ચીનમાં હાન વંશના સામ્રાજ્યને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. આ પૈકી સન 25 થી 220ના કાળને આવરી લેતા સૌથી છેલ્લા…

વધુ વાંચો >

છિદ્રસંશ્લેષણ (aperture synthesis)

છિદ્રસંશ્લેષણ (aperture synthesis) : નાના છિદ્રવાળા બે કે વધુ રેડિયો ટેલિસ્કોપને શ્રેણીમાં ગોઠવી અને પૂર્ણ કદનું છિદ્ર સંશ્લેષિત કરી અવકાશમાંના તારાઓ તેમજ નિહારિકાઓનું સારી વિભેદનશક્તિ(resolving power)વાળું પ્રતિબિંબ મેળવવાની પદ્ધતિ. આ પરિઘટનામાં પૂર્ણ કદનું છિદ્ર સમાન કદનાં નાનાં અવકાશી છિદ્રોમાં વિભાજિત થયેલ હોય છે, જે દરેક પ્રકારની સ્થિતિ અને દિગ્વિન્યાસ(orientation)માં સંયોજિત…

વધુ વાંચો >

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે…

વધુ વાંચો >

જંતર-મંતર

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય…

વધુ વાંચો >

જાપાલ-રંગાપુર વેધશાળા

જાપાલ-રંગાપુર વેધશાળા : હૈદરાબાદ નજીક જાપાલ અને રંગાપુર નામનાં ગામ પાસે, 76° 13’ 39’’ પૂર્વ રેખાંશ અને 17° 05’ 54’’ ઉત્તર અક્ષાંશે 695 મી. ઊંચાઈએ આવેલી વેધશાળા. 1968માં અહીં 1.2 મી. વ્યાસનું પરાવર્તક દૂરબીન ગોઠવવામાં આવ્યું અને ઓસમાનિયા યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાન વિભાગનાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધનકાર્ય શરૂ કરવામાં આવ્યું. હાલ અહીં…

વધુ વાંચો >