ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
શાહ, મેઘજીભાઈ પેથરાજ
શાહ, મેઘજીભાઈ પેથરાજ (જ. 15 સપ્ટેમ્બર 1904, ડબાસંગ, જામનગર; અ. 30 જુલાઈ 1964, લંડન) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. જૈન ઓસવાલ જ્ઞાતિના સામાન્ય વ્યાપારી પેથજીભાઈને ત્યાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ડબાસંગમાં લીધું હતું. 11મા વર્ષે માસિક રૂપિયા આઠના પગારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1919માં બે વર્ષની બંધણીથી ઇમ્તિયાઝ ઍન્ડ સન્સની…
વધુ વાંચો >શાહી પસંદગી (imperial preference)
શાહી પસંદગી (imperial preference) : ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોથી શરૂ કરીને વીસમી સદીના પ્રથમ ચાર દસકા દરમિયાન ઇંગ્લૅન્ડના સામ્રાજ્યના દેશોએ સામ્રાજ્યના વેપારને વિસ્તારવા માટે અપનાવેલી વેપારનીતિ. બ્રિટિશ સામ્રાજ્યના દેશો વચ્ચેના વેપારને વિસ્તારવાની અને સુદૃઢ કરવાની દિશામાં 1897થી પગલાં ભરવાની શરૂઆત થયેલી. એ વર્ષે કૅનેડાએ ઇંગ્લૅન્ડથી થતી આયાતો પરની જકાતમાં ઘટાડો…
વધુ વાંચો >શાહુકાર
શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…
વધુ વાંચો >શિપિંગ કૉન્ફરન્સ
શિપિંગ કૉન્ફરન્સ : એકસરખા જ સામુદ્રિક માર્ગ ઉપર વારંવાર આવ-જા કરતાં લાઇનર જહાજોના માલિકોના સમૂહની યાત્રીઓનું ભાડું અને માલ-પરિવહનનું નૂર નક્કી કરવા માટે અવારનવાર મળતી પરિષદ. દરિયાઈ માર્ગવ્યવહારમાં નિશ્ચિત સમયે નૂરના નિશ્ચિત દરે અને નિશ્ચિત માર્ગે માલ વહન કરતાં જહાજો લાઇનર તરીકે ઓળખાય છે. માલ વહન કરવામાં સમય, નૂરના દર…
વધુ વાંચો >શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ
શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર. પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે…
વધુ વાંચો >શૅરદલાલ
શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ…
વધુ વાંચો >શૅરબજાર
શૅરબજાર શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. તેનો હેતુ શૅરો અને જામીનગીરીઓના વ્યવસાયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના વિનિમય તથા હસ્તાંતર માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કાર્ય માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની…
વધુ વાંચો >શૅરમૂડી (પરિમાણાત્મક)
શૅરમૂડી (પરિમાણાત્મક) : લિમિટેડ કંપનીની શૅરમૂડી તેના ધંધા માટે ઇચ્છનીય મૂડી કરતાં વધારે, પર્યાપ્ત (sufficient) અથવા ઓછી છે કે કેમ તે પ્રકારનું વિશ્લેષણ કરીને કંપનીની શૅરમૂડીનું કરવામાં આવતું મૂલ્યાંકન. પ્રત્યેક કંપનીની શૅરમૂડીની જરૂરિયાત (ક) તેના કર્મચારીઓની કાર્યકુશળતા, (ખ) માલનું ઉત્પાદન કરવામાં લાગતો સમય અને (ગ) વેચેલા માલનાં નાણાં મેળવવામાં લાગતો…
વધુ વાંચો >શૅર-સર્ટિફિકેટ અને શૅર-વૉરંટ
શૅર–સર્ટિફિકેટ અને શૅર–વૉરંટ : (1) શૅર-સર્ટિફિકેટ : સભ્યની શૅરમાલિકી સૂચવતો કંપનીની સામાન્ય મહોરવાળો અધિકૃત દસ્તાવેજ. શૅર-સર્ટિફિકેટ/શૅર-પ્રમાણપત્ર સભ્યની શૅરમાલિકી દર્શાવતો પ્રથમદર્શનીય પુરાવો છે. શૅર-પ્રમાણપત્ર દ્વારા કંપની જાહેર જનતા સમક્ષ સભ્યની શૅરમાલિકીનો સ્વીકાર કરે છે. સભ્ય તરફથી દરેક શૅરદીઠ વસૂલ આવેલી રકમ, શૅરનો પ્રકાર, અનુક્રમનંબર, શૅરસંખ્યા તેમજ કંપનીનું અને શૅરધારણ કરનારનું નામ…
વધુ વાંચો >શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (જ. 28 ડિસેમ્બર 1925, અમદાવાદ; અ. 19 જૂન 2014 અમદાવાદ) : બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી ધર્મિષ્ઠ સજ્જન. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ નવી ગુજરાતી શાળા અને આર. સી. હાઈસ્કૂલ, અમદાવાદમાં લીધું હતું. ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી અમેરિકાની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >