આયુર્વિજ્ઞાન
બેનાસરફ, બરુજ
બેનાસરફ, બરુજ (Benacerraf, Baruj) (જ. 29 ઑક્ટોબર 1920, કૅરેકસ, વેનેઝુએલા) : ઈ. સ. 1980ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. જીન ડૉસેટ અને જ્યૉર્જ ડી. સ્નેલ સાથે તેમણે કોષની સપાટી પરની અને જનીનો દ્વારા નિયંત્રિત પ્રતિરક્ષાલક્ષી સંરચનાઓ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1940માં…
વધુ વાંચો >બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર)
બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >બેભાન-અવસ્થા
બેભાન-અવસ્થા બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા (unconsciousness) કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(intensive care unit)માં દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 3 % દર્દીઓ બેભાનાવસ્થા(unconsciousness)માં હોય છે. મોટાભાગના કિસ્સામાં થતી બેભાનાવસ્થા શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના વિકારોને…
વધુ વાંચો >બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન
બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન (જ. 28 ફેબ્રુઆરી 1792, પીપ; અ. 28 નવેમ્બર 1876, દોર્પટ) : પ્રખ્યાત જર્મન પ્રકૃતિવિદ. બેયર દોર્પટ વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને એમ.ડી.ની ઉપાધિ મેળવી. ઈ. સ. 1814માં તુલનાત્મક શારીરિકી(comparative anatomy)ના અભ્યાસાર્થે ક્યુનિગ્સબર્ગમાં દાખલ થયા અને 1819માં તેઓ ક્યુનિગ્સબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે…
વધુ વાંચો >બેરિયમ ચિત્રશ્રેણીઓ
બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે…
વધુ વાંચો >બેરીબેરી
બેરીબેરી : ઓછા પ્રમાણમાં થાયામિન અને વધુ પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય તેવા ખોરાકથી થતો રોગ. થાયામિનને વિટામિન-બી1 પણ કહે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધકેદીકૅમ્પમાં પૉલિશ કરેલા ચોખાનો ખોરાક અપાતો. તેને કારણે યુદ્ધકેદીઓને ખોરાક રૂપે દર 1,000 મેદરહિત કૅલરીએ ફક્ત 0.3 મિગ્રા. થાયામિન મળતું હતું. તે સમયે પાતળા ઝાડા કે…
વધુ વાંચો >બૅરેની રૉબર્ટ
બૅરેની રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1876, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 એપ્રિલ 1936, ઊપ્સલા [Uppsala] સ્વીડન) : 1914ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે માનવશરીરમાં રહેલા સંતુલન-ઉપકરણ(vestibular apparatus)ની દેહધાર્મિક ક્રિયાઓ અને તેના વિકારો પર અભ્યાસ કર્યો હતો. તેમના તે અંગેનાં સંશોધનો માટે તેમને આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બૅરેનીએ…
વધુ વાંચો >બેલ, ચાર્લ્સ (સર)
બેલ, ચાર્લ્સ (સર) (જ. નવેમ્બર, 1774, એડિનબરો; અ. 28 એપ્રિલ 1842, નૉર્થહેલોવૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : પ્રખર શરીરવિજ્ઞાનશાસ્ત્રી (anatomist). મગજ અને મસ્તિષ્ક ચેતા અંગેનું તેમનું સંશોધન તબીબી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે. તેમનું પુસ્તક ‘New Concepts in Brain Anatomy’ ચેતાશાસ્ત્રનો ‘મૅગ્ના કાર્ટા’ લેખાય છે. 1830માં ‘Human Nervous System’ લખી ચેતા-જૈવ વિજ્ઞાન પરના…
વધુ વાંચો >બેલનો લકવો
બેલનો લકવો (Bell’s palsy) : ચહેરાનો લકવો. દર વર્ષે દર 1 લાખની વસ્તીએ 23 જણાને તે થાય છે. તેથી દર 60થી 70 વ્યક્તિએ એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે. 12 ચેતાઓની જોડ મગજમાંથી સીધી નીકળે છે. તે ખોપરીમાંથી બહાર આવતી હોવાથી તેમને કર્પરિચેતાઓ (cranial nerves) કહે…
વધુ વાંચો >બૅલિસ, વિલિયમ મૅડોક (સર)
બૅલિસ, વિલિયમ મૅડોક (સર) (જ. 1860, વૉલ્વર હૅમ્પટન, ઇંગ્લૅન્ડ; અ. 1924) : દેહધર્મવિદ્યા(physiology)ના અગ્રણી નિષ્ણાત. તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 1888થી 1924 દરમિયાન ત્યાં દેહધર્મવિદ્યા વિશે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે મોટા ભાગનું સંશોધનકાર્ય તેમના સાથી અર્નેસ્ટ હેનરી સ્ટાલિંગના સહયોગમાં કર્યું. એમાં સૌથી મહત્વની સંશોધન-કામગીરી તે કાર્ડિયો-વૅસ્ક્યુલર તંત્રનો…
વધુ વાંચો >