અનિલ રાવલ

નેતન્યાહુ, બેન્જામિન

નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન. બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને…

વધુ વાંચો >

પટેલ, ડૉ. બિમલ હસમુખ

પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર. પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

પાઠક, બિંદેશ્વર

પાઠક, બિંદેશ્વર (જ. 2 એેપ્રિલ 1943, રામપુર બઘેલ, જિ. વૈશાલી, બિહાર, અ. 15 ઑગસ્ટ, 2023, નવી દિલ્હી) : ‘ટૉઇલેટ મૅન ઑવ્ ઇન્ડિયા’ તરીકે જાણીતા સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક. બિંદેશ્વર પાઠક ભારતીય રેલવેના સ્વચ્છ રેલ મિશન માટેના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. પિતા રમાકાંત અને માતા યોગમાયા દેવી. તેમણે 1964માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી…

વધુ વાંચો >

પેરિનબહેન કૅપ્ટન

પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની. દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં…

વધુ વાંચો >

બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા (જ. 25 સપ્ટેમ્બર 1919, આસો સુદ એકમ વિ. સં. 1975  ટીંબલા,  જિ. અમરેલી , અ. 28 સપ્ટેમ્બર 1990, આસો સુદ નોમ વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >

ભાકર, મનુ

ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…

વધુ વાંચો >

ભાગવત મોહનરાવ મધુકરરાવ

ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક. મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય…

વધુ વાંચો >

ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા

ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા (જ. 1 જૂન, 1929 મોરનહલ્લી, જિ. કોપ્પલ, કર્ણાટક) : કઠપૂતળી કલા તોગાલુ ગોમ્બેયાતાના વિશ્વપ્રસિદ્ધ કલાકાર. કર્ણાટકની વિચરતી જનજાતિની કઠપૂતળી કલાકાર શિલ્લેક્યતારાએ ચામડાની કઠપૂતળીના પરંપરાગત સ્વરૂપનું જતન અને સંવર્ધન કર્યું છે. તેઓ છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી તોગાલુ ગોમ્બેયાતા ભજવે છે. આ એક પરંપરાગત કલાસ્વરૂપ છે. આ કઠપૂતળી…

વધુ વાંચો >

મન કી બાત

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >