૯.૨૫

ધક્કાઓથી ધર્મ

ધનુ

ધનુ : જુઓ, ‘નક્ષત્ર અને રાશિ’

વધુ વાંચો >

ધનુ–અ

ધનુ–અ (Sagittarius–A) : રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત. ધનુ તારકમંડળમાં આ વિસ્તારના ર્દષ્ટિ-નિરીક્ષણ(optical observation)માં અવરોધ કરતાં વાયુ અને ધૂળનાં સઘન વાદળ પાછળ 10,000 પારસેક એટલે કે 30,000 પ્રકાશવર્ષ(light-year)ના અંતરે એ રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત આવેલો છે. રેડિયો-તરંગો વડે એ વિસ્તારના લેવાયેલા નકશા મૂંઝવણભર્યું ચિત્ર રજૂ કરે છે. ત્યાં 1.6 પારસેકના કદનું…

વધુ વાંચો >

ધનુર્વા

ધનુર્વા (ધનુર, tetanus) : સ્નાયુઓનાં સતત સંકોચનો કરાવતો તથા ઈજાના સ્થાને સિ.ટિટેનાઇ નામના જીવાણુઓના ચેપથી થતો રોગ. શારીરિક ઈજાના ઘાવમાં ક્લોસ્ટ્રિડિયમ ટિટેનાઇ નામના જીવાણુ (bacteria)થી ચેપ લાગે તો તેના ઝેરની અસરથી આ રોગ થાય છે. સમયસરની યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ નીવડે છે. સ્નાયુઓનાં સંકોચનને કારણે શરીર અક્કડ…

વધુ વાંચો >

ધનુર્વેદ

ધનુર્વેદ : યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્રશસ્ત્રવિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકારો, યુદ્ધમાં વપરાતાં વાહનો વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રો વિશે ચર્ચા કરે…

વધુ વાંચો >

ધનુષ્યબાણ

ધનુષ્યબાણ : બે અંશોનું બનેલું, પ્રાચીન કાળથી જાણીતું અસ્ત્ર. તેમાં, ઘણુંખરું નરમ લાકડાના દંડને સહેજ વાળીને બંને છેડાને જોડતી દોરી બાંધીને બનાવેલા પ્રક્ષેપક સાધનને ધનુષ્ય કે કામઠું કહે છે અને તેના વડે લાંબા અંતરે ફેંકાતા નાના ભાલા જેવા અસ્ત્રને બાણ કે તીર કહે છે. અતિ પ્રાચીન કાળથી શિકાર, લડાઈ તથા…

વધુ વાંચો >

ધમણ

ધમણ (bellow) : હવા ફૂંકવા અથવા હવાની પ્રધાર (jet) ઉત્પન્ન કરવા માટેનું સાધન. તેની શોધ મધ્યયુગમાં થયેલી અને તેનો ઉપયોગ લુહારની કોઢમાં હવા ફૂંકીને દહનને ઝડપી બનાવવા અથવા કંપિકાવાદ્યો (reed instruments) વગાડવા માટે થતો હતો. ધમણને મિજાગરાં વડે જોડેલાં બે ત્રિકોણિયાં (અથવા લંબચોરસ કે વર્તુળાકાર) પાટિયાં અને નમ્ય, સળવાળા ચામડાની…

વધુ વાંચો >

ધમનીકાઠિન્ય, મેદજન્ય

ધમનીકાઠિન્ય, મેદજન્ય (atherosclerosis) : મધ્યમ કે મોટા કદની સ્નાયુઓવાળી અને સ્થિતિસ્થાપક ધમનીઓમાં થતો ચરબીવાળા જાડા અને કઠણ વિસ્તારવાળો વિકાર. તે ધમનીને બંધ કરી દઈને હૃદય-રોગનો હુમલો કે લકવો કરે છે. તેને કારણે વિકસિત દેશોમાં તે મૃત્યુનું પ્રથમ કારણ ગણાય છે. કોઈ પણ કદની ધમની જ્યારે કોઈ પણ વિકારને કારણે જાડી…

વધુ વાંચો >

ધમની-શિરા-સંયોગનળી

ધમની-શિરા-સંયોગનળી (arterio–venous fistula) : ધમની અને શિરા વચ્ચે જોડાણ હોવું તે. તે જન્મજાત કે પાછળથી ઉદભવેલું હોઈ શકે. મૂત્રપિંડમાં આ પ્રકારની જન્મજાત વિકૃતિ હોય તેવું સૌપ્રથમ વેરિલે 1928માં નોંધ્યું હતું. તેમાં એક કે વધુ નસો વચ્ચે આવું જોડાણ થાય છે. મૂત્રપિંડમાંની ધમની-શિરા-સંયોગનળીઓ મોટેભાગે (75 %) મૂત્રપિંડના પેશીપરીક્ષણ (biopsy) વખતે ઉદભવે…

વધુ વાંચો >

ધમાર

ધમાર : શાસ્ત્રીય સંગીતમાં 14 માત્રાનો તાલ. પ્રણાલિકા પ્રમાણે તે પખવાજનો તાલ છે, પણ તબલાં ઉપર પણ વગાડવામાં આવે છે. આ તાલમાં માત્રાસમૂહો 5, 2, 3 અને 4ના છે. આ વ્યવસ્થા તથા તાલના બોલ નીચે પ્રમાણે છે : માત્રા :  1    2   3     4       5       6       7       8       9       10     …

વધુ વાંચો >

ધમ્મપદ

ધમ્મપદ : પાલિ ભાષામાં લખાયેલો પ્રખ્યાત બૌદ્ધ ગ્રંથ. ત્રિપિટકમાંના ‘સુત્તપિટક’ ના પાંચમા – અંતિમ ‘ખુદ્દકનિકાય’નાં 15 અંગ છે. તેમાંનું બીજું અંગ તે ‘ધમ્મપદ’. ડૉ. વી. ફઝબૉલે લૅટિન અનુવાદ સાથે તેને રોમન લિપિમાં 1855માં પ્રથમ વખત પ્રકાશિત કર્યું. પછી તેનાં ઘણાં સંપાદનો થયાં અને જગતની બધી મુખ્ય ભાષાઓમાં તેના અનુવાદો પણ…

વધુ વાંચો >

ધક્કાઓ

Mar 25, 1997

ધક્કાઓ (docks) : વહાણો, જહાજો કે બાર્જિસ જેવાં જલયાનોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન. તેને ગોદી પણ કહે છે. એ બંદરનો એક ભાગ છે. બંદર એ જલયાન માટે માલસામાનની હેરાફેરીનું (જલ)ક્ષેત્ર છે. વિશાળ ર્દષ્ટિએ બંદરોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય તેમ છે : (1) કુદરતી રીતે સુરક્ષિત, (2) તરંગો(waves)થી કૃત્રિમ રીતે રક્ષિત, (3)…

વધુ વાંચો >

ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ

Mar 25, 1997

ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા કે અધિકૃતતા ધરાવતા વિક્રમોની માહિતી દર વર્ષે પ્રકાશિત કરતો સંદર્ભગ્રંથ. તેમાં નોંધાયેલા વિક્રમોમાં માણસોની જુદાં જુદાં ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિગત સિદ્ધિઓ તથા વિશ્વની કુદરતી અજાયબીઓ – આ બંનેનો સમાવેશ થયેલો હોય છે. તેની સર્વપ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1954માં લંડનમાં વ્યવસાય કરતા નૉરિસ અને રૉસ…

વધુ વાંચો >

ધજાળા ઉલ્કાશ્મો

Mar 25, 1997

ધજાળા ઉલ્કાશ્મો : જુઓ, ‘ઉલ્કા, ધજાળા’.

વધુ વાંચો >

ધતૂરો

Mar 25, 1997

ધતૂરો (ધંતૂરો) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તે ઉન્માદક (deliriant) અસર ઉત્પન્ન કરતો ઝેરી પદાર્થ ધરાવતો છોડ છે. તેની જાતિઓ છોડ, ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં તે બધે જ થાય છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી…

વધુ વાંચો >

ધનકટક

Mar 25, 1997

ધનકટક : પ્રાચીન ધનકટક અમરાવતીની પશ્ચિમે બે કિમી. અને બેઝવાડાથી પશ્ચિમમાં આશરે 30 કિમી. દૂર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલું છે. પુરાણોમાં ઉલ્લિખિત આંધ્રભૃત્ય (સાતવાહન) રાજવંશની એ રાજધાની હતું. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ધનકટકમાં ઈ. સ. 133થી 154 દરમિયાન સત્તારૂઢ થયો. એનો પુત્ર વાસિષ્ઠિપુત્ર પુળુમાવિ ઈ. સ. 130 થી 159…

વધુ વાંચો >

ધનખડ, જગદીપ

Mar 25, 1997

ધનખડ, જગદીપ (જ. 18 મે 1951, કિથારા-રાજસ્થાન) : દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, પશ્વિમ બંગાળના પૂર્વરાજ્યપાલ, પૂર્વકેન્દ્રીય મંત્રી, પૂર્વસાંસદ. જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના કિથારા ગામમાં થયો હતો. બી.એસસી. એલએલ.બી.નો અભ્યાસ કરીને તેમણે રાજસ્થાનની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે વકીલાતની પ્રૅક્ટિસ કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર…

વધુ વાંચો >

ધનબાદ

Mar 25, 1997

ધનબાદ : ઝારખંડ રાજ્યમાં 23° 48´ ઉ. અ. અને 86° 27´ પૂ. રે. પર આવેલું શહેર, જિલ્લાનું વહીવટી મથક (1956), જિલ્લો અને કોલસાના ખાણ ઉદ્યોગનું જાણીતું કેન્દ્ર. જિલ્લાનો કુલ વિસ્તાર 2075 ચોકિમી. તથા વસ્તી 26.82 લાખ (2011) છે. દામોદર નદીની ખીણમાં તથા ઝરિયા કોલસા ક્ષેત્રની પૂર્વ તરફ વસેલું આ શહેર…

વધુ વાંચો >

ધનનંદ

Mar 25, 1997

ધનનંદ : જુઓ, ‘નંદવંશ’

વધુ વાંચો >

ધનંજય

Mar 25, 1997

ધનંજય (દસમી સદી) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રી. ‘દશરૂપક’ નામના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથના રચયિતા. ધનંજયના પિતાનું નામ વિષ્ણુ હતું. ધનંજય 974-996 દરમિયાન માળવામાં રાજ કરી ગયેલા પરમારવંશીય રાજા વાક્પતિરાજ મુંજના સભાકવિ હતા. એ જ સભામાં પદ્મગુપ્ત, હલાયુધ અને ધનપાલ પંડિતો તરીકે વિદ્યમાન હતા. તેમના ભાઈનું નામ ધનિક હતું. તેમનો નાટ્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘દશરૂપક’…

વધુ વાંચો >

ધનિક

Mar 25, 1997

ધનિક (દસમી સદી) : ધનંજયના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘દશરૂપક’ ઉપર ‘અવલોક’ નામની ટીકાના રચયિતા. મુંજના એ સેનાપતિ હતા એવું ‘અવલોક’ની હસ્તપ્રતમાં નિર્દેશાયું છે. મુંજે ધનિકના પુત્ર વસન્તાચાર્યને ભૂમિદાન કરેલું તેને લગતું ઈ. સ. 974નું દાનપત્ર છે. ધનંજયના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં તેમણે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે અને સ્વરચિત ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાંથી અને…

વધુ વાંચો >