૯.૨૫

ધક્કાઓથી ધર્મ

ધક્કાઓ

ધક્કાઓ (docks) : વહાણો, જહાજો કે બાર્જિસ જેવાં જલયાનોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન. તેને ગોદી પણ કહે છે. એ બંદરનો એક ભાગ છે. બંદર એ જલયાન માટે માલસામાનની હેરાફેરીનું (જલ)ક્ષેત્ર છે. વિશાળ ર્દષ્ટિએ બંદરોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય તેમ છે : (1) કુદરતી રીતે સુરક્ષિત, (2) તરંગો(waves)થી કૃત્રિમ રીતે રક્ષિત, (3)…

વધુ વાંચો >

ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ

ધ ગીનેસ વર્લ્ડ રેકર્ડ્ઝ : આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા કે અધિકૃતતા ધરાવતા વિક્રમોની માહિતી દર વર્ષે પ્રકાશિત કરતો સંદર્ભગ્રંથ. તેમાં નોંધાયેલા વિક્રમોમાં માણસોની જુદાં જુદાં ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિગત સિદ્ધિઓ તથા વિશ્વની કુદરતી અજાયબીઓ – આ બંનેનો સમાવેશ થયેલો હોય છે. તેની સર્વપ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1954માં લંડનમાં વ્યવસાય કરતા નૉરિસ અને રૉસ…

વધુ વાંચો >

ધજાળા ઉલ્કાશ્મો

ધજાળા ઉલ્કાશ્મો : જુઓ, ‘ઉલ્કા, ધજાળા’.

વધુ વાંચો >

ધતૂરો

ધતૂરો (ધંતૂરો) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તે ઉન્માદક (deliriant) અસર ઉત્પન્ન કરતો ઝેરી પદાર્થ ધરાવતો છોડ છે. તેની જાતિઓ છોડ, ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં તે બધે જ થાય છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી…

વધુ વાંચો >

ધનકટક

ધનકટક : પ્રાચીન ધનકટક અમરાવતીની પશ્ચિમે બે કિમી. અને બેઝવાડાથી પશ્ચિમમાં આશરે 30 કિમી. દૂર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલું છે. પુરાણોમાં ઉલ્લિખિત આંધ્રભૃત્ય (સાતવાહન) રાજવંશની એ રાજધાની હતું. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ધનકટકમાં ઈ. સ. 133થી 154 દરમિયાન સત્તારૂઢ થયો. એનો પુત્ર વાસિષ્ઠિપુત્ર પુળુમાવિ ઈ. સ. 130 થી 159…

વધુ વાંચો >

ધનખડ, જગદીપ

ધનખડ, જગદીપ (જ. 18 મે 1951, કિથારા-રાજસ્થાન) : દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, પશ્વિમ બંગાળના પૂર્વરાજ્યપાલ, પૂર્વકેન્દ્રીય મંત્રી, પૂર્વસાંસદ. જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના કિથારા ગામમાં થયો હતો. બી.એસસી. એલએલ.બી.નો અભ્યાસ કરીને તેમણે રાજસ્થાનની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે વકીલાતની પ્રૅક્ટિસ કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર…

વધુ વાંચો >

ધનબાદ

ધનબાદ : ઝારખંડ રાજ્યમાં 23° 48´ ઉ. અ. અને 86° 27´ પૂ. રે. પર આવેલું શહેર, જિલ્લાનું વહીવટી મથક (1956), જિલ્લો અને કોલસાના ખાણ ઉદ્યોગનું જાણીતું કેન્દ્ર. જિલ્લાનો કુલ વિસ્તાર 2075 ચોકિમી. તથા વસ્તી 26.82 લાખ (2011) છે. દામોદર નદીની ખીણમાં તથા ઝરિયા કોલસા ક્ષેત્રની પૂર્વ તરફ વસેલું આ શહેર…

વધુ વાંચો >

ધનનંદ

ધનનંદ : જુઓ, ‘નંદવંશ’

વધુ વાંચો >

ધનંજય

ધનંજય (દસમી સદી) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રી. ‘દશરૂપક’ નામના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથના રચયિતા. ધનંજયના પિતાનું નામ વિષ્ણુ હતું. ધનંજય 974-996 દરમિયાન માળવામાં રાજ કરી ગયેલા પરમારવંશીય રાજા વાક્પતિરાજ મુંજના સભાકવિ હતા. એ જ સભામાં પદ્મગુપ્ત, હલાયુધ અને ધનપાલ પંડિતો તરીકે વિદ્યમાન હતા. તેમના ભાઈનું નામ ધનિક હતું. તેમનો નાટ્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘દશરૂપક’…

વધુ વાંચો >

ધનિક

ધનિક (દસમી સદી) : ધનંજયના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘દશરૂપક’ ઉપર ‘અવલોક’ નામની ટીકાના રચયિતા. મુંજના એ સેનાપતિ હતા એવું ‘અવલોક’ની હસ્તપ્રતમાં નિર્દેશાયું છે. મુંજે ધનિકના પુત્ર વસન્તાચાર્યને ભૂમિદાન કરેલું તેને લગતું ઈ. સ. 974નું દાનપત્ર છે. ધનંજયના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં તેમણે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે અને સ્વરચિત ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાંથી અને…

વધુ વાંચો >

ધરાસણા સત્યાગ્રહ

Mar 25, 1997

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ…

વધુ વાંચો >

ધરુનો સુકારો

Mar 25, 1997

ધરુનો સુકારો : ફેર-રોપણી માટે તૈયાર થાય તે પહેલાં ફૂગ કે જીવાણુઓના ચેપથી ધરુને થતો રોગ. આ સુકારો મુખ્યત્વે પીથિયમ, ફાયટોફ્થોરા અને ફ્યુસેરિયમ પ્રજાતિની ફૂગોથી થાય છે. ધરુનો સુકારો બે અવસ્થામાં જોવા મળે છે. સૌપ્રથમ બીજજન્ય અથવા જમીનજન્ય વ્યાધિજન ધરુના ઊગતા બીજાંકુરો પર આક્રમણ કરી, જમીનની બહાર નીકળતા પહેલાં ધરુને…

વધુ વાંચો >

ધરો

Mar 25, 1997

ધરો : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા કુળ પોએસીની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon Pers. (સં. दुर्वा, हरितली; હિં. दुब, हरितली, બં.દુર્બા, દુભ, દુબ્બા; ચ-હરિયાલી, કરાલા, તા.અરગુમ-પુલ્લુ, હરિયાલી; તે. ગેરિયા ગડ્ડી, હરવાલી; ક્ધનડ-કુડીગારીકાઈ, ગારીકાઈહાલ્લુ; પં. ધુબ ખાબ્બાલ, તલ્લા, અં. bermuda or bahama grass) છે. તે સખત, બહુવર્ષાયુ, ભૂપ્રસારી અને…

વધુ વાંચો >

ધર્મ

Mar 25, 1997

ધર્મ હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો  મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે…

વધુ વાંચો >