૯.૧૯

દૃષ્ટિપટલદોષથી દેવી

દેવસિયા, પી. સી.

દેવસિયા, પી. સી. (જ. 24 માર્ચ 1906, કુદમલૂર, કોટ્ટયમ, કેરળ; અ. 10 ઑક્ટોબર 2006, તિરુવનંતપુરમ્, કેરળ) : સંસ્કૃતના વિદ્વાન કવિ. તેમના મહાકાવ્ય ‘ક્રિસ્તુ ભાગવતમ્’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પરંપરાગત રીતે સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ કેરળના કેટલાક અગ્રણી પંડિતો પાસે કાવ્યો, નાટકો, વેદો તથા ઉપનિષદોનો અભ્યાસ…

વધુ વાંચો >

દેવસેન

દેવસેન (ઈ. સ. 893–943) : દિગંબર જૈન આચાર્ય. દેવસેન વિમલસેન ગણધરના શિષ્ય હતા. પોતાની કૃતિ ‘દર્શનસાર’માં તેમણે બધા સંઘોને જૈનાભાસ તરીકે ઓળખાવ્યા હોવાથી સંભવત: તેઓ મૂળસંઘના હશે એવો નથ્થુરામ પ્રેમીનો મત છે. માથુર સંઘની ગુર્વાવલિ અનુસાર તેઓ વિમલગણિના શિષ્ય તથા અમિતગતિ પ્રથમના પુત્ર હતા. તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો લખ્યા હતા.…

વધુ વાંચો >

દેવસેન, નવનીતા

દેવસેન, નવનીતા (જ. 13 જાન્યુઆરી 1938, કૉલકાતા) : બંગાળી લેખિકા. કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી તથા બંગાળી વિષય લઈને એમ.એ. થયાં અને યુનિવર્સિટીમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવ્યો. વધુ અભ્યાસ માટે અમેરિકા ગયાં, અને ત્યાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં 1963માં તુલનાત્મક સાહિત્ય પર શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તે પછી તેમણે સ્નાતકોત્તર ફેલો તરીકે 1964–66…

વધુ વાંચો >

દેવ, હૃદયનારાયણ

દેવ, હૃદયનારાયણ (જ. સત્તરમી સદી) : હિંદુસ્તાની સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર. સત્તરમી સદીમાં થઈ ગયેલા આ શાસ્ત્રકાર મૂળ ગઢા રાજ્યના શાસક હતા, પરંતુ 1651માં યુદ્ધમાં પરાજિત થવાથી તેઓ મંડલા જતા રહ્યા હતા અને તેથી તે ‘ગઢામંડલા’ના રાજા તરીકે ઓળખાતા. પ્રારંભથી જ તેમને સાહિત્ય અને અન્ય લલિતકલાઓમાં રુચિ હતી. તેમણે સંસ્કૃત ભાષામાં…

વધુ વાંચો >

દેવળ

દેવળ : સિંધ પ્રાન્તનું સિંધુના મુખ ઉપર આવેલું બંદર અને વેપારી કેન્દ્ર. હાલ સિંધુ ઉપર જ્યાં થટ્ટા આવેલું છે ત્યાં દેવળ બંદર હતું એવું એક મંતવ્ય છે. ઘારો ગામની પશ્ચિમે 3.2 કિમી. દૂર આવેલ ઘારો ખાડીના ઉત્તર કાંઠે તે આવેલું હતું એવું પણ એક મંતવ્ય છે. દેવળ મોટું વેપારી કેન્દ્ર…

વધુ વાંચો >

દેવળદેવી

દેવળદેવી : ગુજરાતના વાઘેલા રાજવી કર્ણદેવની પુત્રી. કર્ણદેવે ઈ. સ. 1304માં ગુજરાતની ગાદી ગુમાવ્યા બાદ દેવગિરિના યાદવરાજ રામચંદ્રનો આશ્રય સ્વીકાર્યો અને તે ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં રહ્યો. ત્યાં તેણે નાનકડું રાજ્ય જમાવ્યું. તેની બે પુત્રીઓ પૈકી નાની દેવળદેવી તેની સાથે હતી. કમળાદેવી કે કૌલાદેવીથી દેવળદેવી ચાર વરસની વયે છૂટી…

વધુ વાંચો >

દેવળાલી

દેવળાલી : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું આરોગ્યધામ. તે નાસિકથી 6.4 કિમી. અંતરે આવેલું છે. મુંબઈ–નાગપુર વચ્ચેના રેલમાર્ગ પરનું તે મહત્વનું સ્ટેશન છે. ભારતના લશ્કરનું તે કાયમી મથક છે, જ્યાં સૈનિકોને તોપખાનાનું પ્રશિક્ષણ અપાય છે. ત્યાંની સ્થાનિક પ્રશાસનવ્યવસ્થા લશ્કરની છાવણી હસ્તક છે. ત્યાં મરાઠી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની…

વધુ વાંચો >

દેવળાલીકર, વાય. ડી.

દેવળાલીકર, વાય. ડી. (જ. 1931, ઇન્દોર, મધ્યપ્રદેશ) : લોકકલા પરંપરાના ચિત્રકાર. શિક્ષણ, જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ, મુંબઈ. રેખાંકન અને ચિત્રકળા માટેનું જી.ડી.એ. પ્રમાણપત્ર (ડ્રૉઇંગ અને પેન્ટિંગ) મેળવ્યું. 1954માં ચિત્રકળા અંગેનાં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં વેનિસ અને રોમમાં સક્રિય ભાગ લીધો. 1961માં મહારાષ્ટ્ર રાજ્ય કળાપ્રદર્શનમાં પુરસ્કાર દ્વારા સંમાનિત થયા. 1963–65 અને…

વધુ વાંચો >

દેવળે, અચલા

દેવળે, અચલા (જ. 12 નવેમ્બર 1955) : ખો ખોની રમતની ભારતની મહિલાખેલાડી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટુકડીને સમગ્ર દેશની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં વિજય અપાવવામાં મહત્વનું પ્રદાન કરનાર તથા રાષ્ટ્રીય સ્પર્ધામાં બે વખત ગુજરાતની ટુકડીને વિજય અપાવવામાં મહત્વની કામગીરી બજાવનાર અચલા દેવળેને ખો ખો ફેડરેશન તરફથી અપાતો લક્ષ્મીબાઈ ઍવૉર્ડ અને 1971માં અર્જુન ઍવૉર્ડ…

વધુ વાંચો >

દેવાનંદ સ્વામી

દેવાનંદ સ્વામી (જ. 1803, બળોલ; અ. 1854, મૂળી) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. વ્યાધના તારા સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ દેવીદાન ગઢવી. પિતા જીજીભાઈ રત્નુ. માતા બહેનજીબા. જ્ઞાતિ મારુચારણ. તેઓ બળોલમાં પધારેલા ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાયા. પછીથી દેવીદાન તેમની પાસેથી મહાદીક્ષા પામી દેવાનંદ સ્વામી બન્યા.  બ્રહ્માનંદ સ્વામી પાસે…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલદોષ

Mar 19, 1997

ર્દષ્ટિપટલદોષ : ર્દષ્ટિપટલ(retina)ના વિકારો. ર્દષ્ટિપટલના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે. ર્દષ્ટિપટલમાં વિવિધ કારણોસર વિકારો થાય છે; જેમ કે, જન્મજાત તથા વિકાસલક્ષી પરિબળોના કારણે, શોથ (inflammation) કરતા વિકારોના કારણે, લોહીના આંખમાંના પરિભ્રમણમાં ઉદભવેલ વિકારો કે નસોમાં થતા વિકારોના કારણે, અપક્ષીણતા કે અન્ય સંરચનાલક્ષી (strurctural) વિકારોના કારણે કે ગાંઠ અથવા કૅન્સરને…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન

Mar 19, 1997

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન (detachment of retina) : આંખની અંદરની બાજુનું ર્દષ્ટિપટલનું સ્તર ઊપસીને છૂટું પડવાની ક્રિયા. તેને પડદામાં કાણું પડવું પણ કહે છે. ર્દષ્ટિપટલ એક પાતળો કોમળ પડદો (પટલ, membrane) છે. તે આંખના ગોળાના પોલાણમાં ર્દષ્ટિચકતી(optic disc)થી શરૂ કરીને આગળની બાજુ સકશાકાય (ciliary body) સુધી ફેલાયેલું હોય છે. આંખ…

વધુ વાંચો >

ર્દષ્ટિબિંદુ

Mar 19, 1997

ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…

વધુ વાંચો >

ર્દષ્ટિલક્ષી ચેતાપથ

Mar 19, 1997

ર્દષ્ટિલક્ષી ચેતાપથ (visual pathway) : ર્દષ્ટિની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અને તેમનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોનો સમૂહ. તેમાં બે ર્દષ્ટિચેતા (optic nerves), ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), બે ર્દષ્ટિચેતાપથ (optic tracts), બે પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies), મગજના બંને અર્ધગોળામાં આવેલા ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic radiation) તથા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર(visual cortex)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ર્દષ્ટિસ્વાસ્થ્ય

Mar 19, 1997

ર્દષ્ટિસ્વાસ્થ્ય : જોવાની ક્ષમતા જાળવી રાખવી તથા અંધાપો આવતો રોકવાનું પૂર્વનિવારણ કરવું તે. અંધાપો (blindness) એક વૈશ્વિક સમસ્યા છે અને તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના પૂર્વનિવારણ (prevention) માટે વિવિધ અભ્યાસો યોજ્યા છે તથા સુવ્યવસ્થિત સૂચનો કરેલાં છે. 1966ના WHO-એ કરેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે વિશ્વમાં અંધાપા માટેની જુદી જુદી 65…

વધુ વાંચો >

દેડકો

Mar 19, 1997

દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું…

વધુ વાંચો >

દે, બીરેન

Mar 19, 1997

દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં…

વધુ વાંચો >

દે, મુકુલચંદ્ર

Mar 19, 1997

દે, મુકુલચંદ્ર (જ. 23 જુલાઈ 1895, બંગાળ; અ. 1 માર્ચ 1989, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : બંગાળ-શૈલીના ચિત્રકાર. છેક કિશોરવયથી શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથ ટાગોરના સાન્નિધ્યમાં તથા પાછળથી કૉલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસે રહી કલાનું શિક્ષણ મેળવ્યું. જાપાન અને અમેરિકાના પ્રવાસમાં રવીન્દ્રનાથની સાથે હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન 1916માં સાનફ્રાન્સિસ્કો, શિકાગો અને ન્યૂયૉર્કમાં યોજાયેલું.…

વધુ વાંચો >

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ

Mar 19, 1997

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન

Mar 19, 1997

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ,…

વધુ વાંચો >