૮.૨૫

તમિળનાડુથી તરલયાંત્રિકી

તરલ પ્રવાહ અને તેની માપણી

તરલ પ્રવાહ અને તેની માપણી : પ્રવાહી, વાયુ, બારીક ઘન પદાર્થો કે આવા દ્રવોના મિશ્રણનું પ્રવાહ રૂપે પરિવહન અને તે પ્રવાહનું માપન. તરલ પદાર્થની એ ખાસિયત છે કે તે કાયમ રૂપે વિરૂપણ(Shear)નો પ્રતિકાર કરતો નથી. કોઈ ચોક્કસ તાપમાને  અને દબાણે તરલની ઘનતા નિશ્ચિત હોય છે. તાપમાન કે દબાણમાં ફેરફાર થાય…

વધુ વાંચો >

તરલપ્રવાહમાપકો

તરલપ્રવાહમાપકો : તરલપ્રવાહમાંના કોઈ નિયત બિંદુ કે વિસ્તાર આગળ તેના વેગનું મૂલ્ય કે તેની દિશા માપનાર ઉપકરણ. પ્રવાહી તથા વાયુસ્વરૂપ પદાર્થો સરળતાથી વહી શકતા અથવા પ્રસરી શકતા હોવાથી તેમને તરલ તરીકે ઓળખવામાં આવે છે. તરલ કણોની સમગ્રતયા ગતિને તરલપ્રવાહ કે તરલવહન કહે છે. દ્રવગતિવિજ્ઞાન (hydrodynamics) તથા વાયુગતિવિજ્ઞાન(airodynamics)માં તરલગતિનો અભ્યાસ ખૂબ…

વધુ વાંચો >

તરલયાંત્રિકી (fluid mechanics)

તરલયાંત્રિકી (fluid mechanics) પ્રવાહી અને વાયુને લગતી યાંત્રિકી. સિવિલ ઇજનેરી શાસ્ત્રમાં પ્રવાહીમાં ઘણાંખરાં બાંધકામો પાણી સાથે સંકળાયેલાં હોવાથી, તરલ યાંત્રિકીમાં પાણી, વરાળ તથા તેમાં રહેલ બીજાં પ્રવાહી કે વાયુની અસરને ખ્યાલમાં રાખીને, આયોજન કરવું પડે છે. સામાન્યત: તરલતામાં પાણીના અને પ્રવાહીના ગુણધર્મો અને તે જ પ્રમાણે વરાળના અને વાયુના ગુણધર્મોમાં…

વધુ વાંચો >

તમિળનાડુ

Jan 25, 1997

તમિળનાડુ : ભારતના દક્ષિણ કિનારે આવેલું 31 જિલ્લાઓ ધરાવતું ભારતીય સંઘનું રાજ્ય. તેને મંદિરમઢ્યો દ્રવિડ દેશ અથવા તો નટરાજ અને ભરતનાટ્યમની ભૂમિ કહી શકાય. ભૌગોલિક સ્થાન : 8° 00´ ઉ. અ. થી 13° 30´ ઉ. અ. અને 75° 10´ થી 80° 10´ પૂ.રે.. સુવર્ણકળશથી શોભતાં ગોપુરમ્ આ રાજ્યની આગવી વિશિષ્ટતા…

વધુ વાંચો >

તમિળનાડુનાં ઘરો

Jan 25, 1997

તમિળનાડુનાં ઘરો : દરેક પ્રાંતના લોકોની રહેણીકરણીની લાક્ષણિકતા ત્યાંનાં ઘરોમાં પ્રદર્શિત થાય છે. વસવાટ અને રહેઠાણનો અભ્યાસ દરેક સભ્યતાને સમજવાનો પાયો છે. બીજા પ્રાંતના ઘરોથી અલગ પડતાં તમિળનાં ઘરો ત્યાંની રહેણીકરણીનો લાક્ષણિક ખ્યાલ આપે છે. ખાસ કરીને ઓછી પહોળાઈ અને વધારે લંબાઈ ધરાવતી જમીન પર ઘર બંધાય છે; ઘરનું આયોજન…

વધુ વાંચો >

તમિળ ભાષા અને સાહિત્ય

Jan 25, 1997

તમિળ ભાષા અને સાહિત્ય દ્રવિડ ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સર્વાધિક પ્રસિદ્ધ ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત, હિબ્રૂ, પહેલવી, ગ્રીક, લૅટિન વગેરે ભાષાઓની જેમ પ્રાચીન હોવા છતાં આજે પણ તમિળ વિકાસશીલ અને આધુનિક ભાવો તથા વિચારોની અભિવ્યક્તિની ક્ષમતા ધરાવે છે. તમિળ ભાષા તમિળનાડુ તથા ઉત્તરપૂર્વ લંકામાં બોલાય છે. આ પ્રદેશોથી…

વધુ વાંચો >

તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો

Jan 25, 1997

તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો : ઉર્દૂ ભાષા–સાહિત્યના વિકાસ માટેની સંસ્થા. ઉર્દૂ ભાષાના સર્વાંગી વિકાસ અને પ્રસારણ માટે માનવ-સંસાધન મંત્રાલયે પહેલા ‘તરક્કી-એ-ઉર્દૂ બૉર્ડ’ અને પાછળથી ‘તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો’ની સ્થાપના કરી છે. તે ઉર્દૂ ભાષા માટે વ્યાપક, વિસ્તૃત અને નક્કર કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉર્દૂ જ્ઞાનકોશ, બૃહત શબ્દકોશ, વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિદ્યાઓને લગતા સંજ્ઞાકોશ તેમજ…

વધુ વાંચો >

તરણેતરનો મેળો

Jan 25, 1997

તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું…

વધુ વાંચો >

તરતી હિમશિલા

Jan 25, 1997

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફ જથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય…

વધુ વાંચો >

તરબૂચ

Jan 25, 1997

તરબૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની વનસ્પતિનું ફળ. તેનું વૈજ્ઞાનિક નામ Citrulus vulgaris, Schrad (ગુ. તરબૂચ). ઉદભવ અને વિતરણ : તે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં વધતાઓછા પ્રમાણમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. તરબૂચના પાકા ફળમાં 92…

વધુ વાંચો >

તરલ

Jan 25, 1997

તરલ (fluid) : સરળતાથી વહી શકે તેવો વાયુરૂપ કે પ્રવાહી પદાર્થ. થોડુંક જ બળ આપવાથી કે દબાણ કરવાથી તરલનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તરલ સ્થિતિસ્થાપક હોવાથી, બળ કે દબાણ જેવું દૂર થાય કે તરત જ તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય તાપમાને પાણી તરલ અને પ્રવાહી છે.…

વધુ વાંચો >

તરલતા-પસંદગીનો સિદ્ધાંત

Jan 25, 1997

તરલતા-પસંદગીનો સિદ્ધાંત : બ્રિટિશ અર્થશાસ્ત્રી કેઇન્સનો  સંપત્તિનાં અન્ય સ્વરૂપોને બદલે નાણાંના રૂપમાં સંપત્તિને પસંદ કરવાના વિકલ્પનો સિદ્ધાન્ત. તરલતા-પસંદગીના ખ્યાલનો ઉપયોગ તેમણે વ્યાજના દર માટેની સમજૂતી આપવા માટે કર્યો હતો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજનો દર બચતોના પુરવઠા અને બચતો માટેની (મૂડીરોકાણ માટેની) માંગ દ્વારા નક્કી થાય છે એવો સિદ્ધાંત રજૂ કર્યો હતો.…

વધુ વાંચો >

તરલનો સંગ્રહ

Jan 25, 1997

તરલનો સંગ્રહ : પ્રવાહી અથવા વાયુ જેવા તરલ પદાર્થોના સંગ્રહ માટેની પદ્ધતિઓ અને સાધનો. માનવી જ્યારથી ખોરાક સાથે પાણીનો સંગ્રહ કરતો થયો ત્યારથી તરલસંગ્રહ માટેનો તાંત્રિકી વિકાસ થતો રહ્યો છે. તરલસંગ્રહની જરૂરિયાત માનવીના દૈનિક જીવનમાં તથા ઉદ્યોગોમાં બંને ક્ષેત્રે રહી છે. માટલાં, નળા, વૉટર-બૉટલ, ડબ્બા, ટાંકી વગેરે ઘરમાં પાણીસંગ્રહનાં સામાન્ય…

વધુ વાંચો >