૭.૨૧

જલસંવર્ધન (જલઉછેર)થી જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જહાજવાડો

જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે. જહાજવાડાના સ્થળે દરિયો…

વધુ વાંચો >

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી) : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલી આત્મકથા. તેનું મૂળ નામ ‘તૂઝુકે-જહાંગીરી’ છે અને તે ફારસી ભાષામાં લખાયેલ છે. જહાંગીરનામા તરીકે જાણીતા આ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર રોજર અને બીવરિજે કર્યું છે. જહાંગીરનામાનું મોટા ભાગનું લખાણ જહાંગીરે પોતે તેના શાસનના પ્રથમ 17 વર્ષના સમય દરમિયાન લખ્યું હોવાનું કહેવાય છે; પરંતુ આ…

વધુ વાંચો >

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics)

Jan 21, 1996

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics) : જલમાં છોડ ઉછેરવાની પ્રવૃત્તિ. સામાન્ય રીતે છોડને જમીનમાં ઉછેરવામાં આવે છે. જમીન છોડને ઊગવા–ઊભા રહેવા માટેનું સાધન થઈ પડે છે; અને જમીનમાં તેમજ તેમાં ઉમેરવામાં આવતાં ખાતરોમાં રહેલાં દ્રવ્યો–ક્ષારો છોડને જીવવા–વધવા માટેનું કારણ બની રહે છે. જો આ દ્રવ્યો –ક્ષારો રસાયણો દ્વારા પૂરાં પાડવામાં આવે તો…

વધુ વાંચો >

જલસ્પર્ધા (aquatics)

Jan 21, 1996

જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે. 1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે…

વધુ વાંચો >

જલંધર

Jan 21, 1996

જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ.  અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો…

વધુ વાંચો >

જલાલી એહમદાબાદી

Jan 21, 1996

જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ.…

વધુ વાંચો >

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :

Jan 21, 1996

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…

વધુ વાંચો >

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)

Jan 21, 1996

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર) : સમગ્ર પૃથ્વીના તલના 73 % ભાગમાં વિવિધ રૂપે આવેલાં પૃથ્વી ઉપરનાં જલ ધારણ કરતાં માધ્યમો. જલાવરણમાં મુખ્યત્વે સમુદ્ર, નદી, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખાસ કરીને અકાર્બનિક પદાર્થો સજીવોને મળે છે; જેનો ઉપયોગ કરીને સજીવો પોતાની રોજબરોજની જૈવિક ક્રિયાઓ કરે છે. સજીવોના જીવનમાં એક…

વધુ વાંચો >

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

Jan 21, 1996

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું…

વધુ વાંચો >

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ

Jan 21, 1996

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ (જ. 29 જુલાઈ 1953, નૈનિતાલ) : ભક્તિગીતો અને ગઝલના પ્રસિદ્ધ ગાયક. ભારતીય ગીત-સંગીતના પવિત્ર ચરણોમાં પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરનાર અનુપ જલોટા એક સક્ષમ અભિનેતા પણ છે, જેમણે ભજન અને ગઝલ ગાયકીના ક્ષેત્રે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ભજનસમ્રાટ’ના નામે લોકપ્રિય એવા અનુપનો જન્મ નૈતિતાલ ખાતે પંજાબી…

વધુ વાંચો >

જલોત્સર્ગી (hydathode)

Jan 21, 1996

જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત…

વધુ વાંચો >

જલોદરારિ રસ

Jan 21, 1996

જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને…

વધુ વાંચો >