૭.૧૫

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદથી છંદ

છર્દિ (ઊલટી)

છર્દિ (ઊલટી) : કેટલાંક કારણોથી મુખને લીંપીને, શરીરના દરેક અંગને પીડા કરીને, અચાનક જ હોજરીમાંથી મુખ દ્વારા બહાર આવનાર દોષરૂપ દ્રવ અંશ. તેને વમન કે ઊલટી કહે છે. કારણો : વધુ પડતા પ્રવાહી, વધુ પડતા ચીકણા, વધુ ખારા કે તીખા પદાર્થોના સેવનથી; મનને પ્રતિકૂળ વસ્તુના સેવનથી, અતિ-ઉતાવળે કે અકાળે ભોજન…

વધુ વાંચો >

છલના (malingering)

છલના (malingering) : ફરજપૂર્વકનું કે અનિવાર્ય કાર્ય કરવાની જવાબદારીમાંથી છટકવા માટે કોઈ રોગ કે ઈજા થયેલ છે એવો દેખાવ કરીને છેતરપિંડી કરવી તે. ક્યારેક જો કોઈ રોગ કે ઈજા હોય તો તેની અસર વધુ પડતી થઈ રહી છે તેવી પણ છેતરપિંડી કરવામાં આવે છે. તેનું પ્રમાણ વ્યાપક છે. સૈનિકો કે…

વધુ વાંચો >

છંદ

છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…

વધુ વાંચો >

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ

Jan 15, 1996

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…

વધુ વાંચો >

ચૌર પંચાશિકા

Jan 15, 1996

ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…

વધુ વાંચો >

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ

Jan 15, 1996

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…

વધુ વાંચો >

ચૌરંગીનાથ

Jan 15, 1996

ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ…

વધુ વાંચો >

ચૌલા :

Jan 15, 1996

ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ…

વધુ વાંચો >

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત

Jan 15, 1996

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ…

વધુ વાંચો >

ચૌલુક્ય વંશ

Jan 15, 1996

ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે. અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા…

વધુ વાંચો >

ચૌલ્ટ્રી

Jan 15, 1996

ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી…

વધુ વાંચો >

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ

Jan 15, 1996

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી…

વધુ વાંચો >

ચૌહાણ, ભેરૂસિંહ

Jan 15, 1996

ચૌહાણ, ભેરૂસિંહ (જ. 27 જુલાઈ 1961) : કબીરાદિ નિર્ગુણ ગાયક-પરંપરાના પદ્મશ્રીથી પુરસ્કૃત માળવી લોકગાયક. તેમનો જન્મ મધ્યપ્રદેશના મઉ નગરમાં થયો જ્યારે ઇંદોર જિલ્લાના બજરંગપુરા નામના નાના ગામે એમનો પૈતૃક વસવાટ હતો. એમના પિતા માદૂ ચૌહાણ કબીરની વાણી ગાતા હતા. ભેરૂસિંહ નવ વર્ષે પિતાની સાથે ગામેગામ કબીરવાણી ગાવા જતા. આથી એમને…

વધુ વાંચો >