૭.૧૪

ચેરેન્કવ વિકિરણથી ચૌબે, ચંદનજી

ચેરેન્કવ વિકિરણ

ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…

વધુ વાંચો >

ચેર્નોબિલ દુર્ઘટના

ચેર્નોબિલ દુર્ઘટના : જુઓ ન્યૂક્લિયર રિઍક્ટર

વધુ વાંચો >

ચેર્સ (The Chairs, Les Chaises)

ચેર્સ (The Chairs, Les Chaises) : 1951, પ્રખ્યાત ફ્રાન્સિસી નાટ્યકાર યુજીન આયોનેસ્કોનું લાંબું નાટક. 1952માં સિલ્વેન ધોખે નામના દિગ્દર્શકે થિયેટર લેન્ક્રાઇમાં પ્રથમ રજૂ કર્યું ત્યારે દરરોજ માત્ર પાંચ-છ ટિકિટો વેચાતી; ચાર વર્ષ પછી જેન મેન્ક્લેર દ્વારા એના દિગ્દર્શન પછી આ નાટકને ભારે સફળતા મળી. યુરોપીય ઉદભટ (absurd) નાટ્યપ્રવાહનું આ ખૂબ…

વધુ વાંચો >

ચેર્સ્કોગો પર્વતમાળા

ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ…

વધુ વાંચો >

ચૅલ્ડિયન સમ્રાટો

ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ…

વધુ વાંચો >

ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન

ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998, ચેન્નાઇ, તામિલનાડુ] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત…

વધુ વાંચો >

ચેલ્યાબિન્સ્ક

ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે.…

વધુ વાંચો >

ચેવિયટ ટેકરીઓ

ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…

વધુ વાંચો >

ચેસ

ચેસ : જુઓ શેતરંજ

વધુ વાંચો >

ચેસવિક ઉપસાગર

ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…

વધુ વાંચો >

ચૌધરી, ખલિકુત્ઝમાન

Jan 14, 1996

ચૌધરી, ખલિકુત્ઝમાન (જ. 25 ડિસેમ્બર 1889, ચુનાર, ઉ.પ્ર.; અ. 18 મે 1973, કરાંચી, પાકિસ્તાન) : ભારતના મુસ્લિમ લીગના ભાગલા પૂર્વેના અગ્રણી નેતા. પિતા શેખ મુહમ્મદ ઝમાન ભારતના વિભાજન પૂર્વે ઉત્તરપ્રદેશમાં સરકારી અમલદાર હતા. શરૂઆતનું શિક્ષણ લખનૌ ખાતે. 1907માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી બી.એ. તથા એલએલ.બી. (1916) પરીક્ષાઓ અલીગઢ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

ચૌધરી, ચરણસિંહ

Jan 14, 1996

ચૌધરી, ચરણસિંહ (જ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો; અ. 29 મે 1987, ન્યૂદિલ્હી) : ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા. હકીકતમાં ચરણસિંહના જન્મ વખતે તેઓ એક જમીનદારના ગણોતિયા…

વધુ વાંચો >

ચૌધરી, જનરલ જે. એન.

Jan 14, 1996

ચૌધરી, જનરલ જે. એન. (જ. 10 જૂન 1908, કૉલકાતા; અ. 6 એપ્રિલ 1983, ન્યૂદિલ્હી) : ભારતીય લશ્કરના નિવૃત્ત વડા. આખું નામ જયંતનાથ ચૌધરી. શિક્ષણ કૉલકાતા તથા લંડનમાં. સૅન્ડહર્સ્ટ (ઇંગ્લૅન્ડ) ખાતે તાલીમ (1928) લઈ નૉર્થ શેફર્ડશર રેજિમેન્ટની પ્રથમ પલટણમાં લશ્કરનો અનુભવ લીધા બાદ, ભારતીય લશ્કરની સાતમી કૅવલરીમાં જોડાયા. 1940માં ક્વેટા ખાતેની…

વધુ વાંચો >

ચૌધરી, નીરદ સી.

Jan 14, 1996

ચૌધરી, નીરદ સી. (જ. 23 નવેમ્બર 1897, કિશોરગંજ, હાલ બાંગ્લાદેશ; અ. 1 ઑગસ્ટ 1999, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી ગદ્યના સમર્થ સ્વામી લેખાતા ભારતીય સાહિત્યકાર. ‘મૉડર્ન રિવ્યૂ’(કોલકાતા)ના સહાયક તંત્રી, અગ્રણી રાજકીય નેતા શરદ બોઝના એક વખતના મંત્રી, ઑલ ઇન્ડિયા રેડિયોના વૃત્તાંતવિવેચક – એમ તેમની પ્રતિભા વિવિધ ક્ષેત્રે વિકસી છે. એમાં સૌથી…

વધુ વાંચો >

ચૌધરી, પ્રમથ

Jan 14, 1996

ચૌધરી, પ્રમથ (જ. 7 ઑગસ્ટ 1868 જાસોર, બાંગ્લાદેશ; અ.  1948) : બંગાળી સામયિક ‘સબુજપત્ર’ના તંત્રી, નિબંધકાર, કવિ. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1889માં તત્વચિંતનના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. અને 1890માં અંગ્રેજી સાથે એમ.એ. થયા. ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થયા અને થોડો સમય કોલકાતાની હાઈકોર્ટના સભ્ય રહ્યા. તેમનું લગ્ન રવીન્દ્રનાથની ભત્રીજી ઇન્દિરાદેવી સાથે થયું…

વધુ વાંચો >

ચૌધરી, બહિણાબાઈ

Jan 14, 1996

ચૌધરી, બહિણાબાઈ (જ. 24 ઑગસ્ટ 1880, અસોદે, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર; અ. 3 ડિસેમ્બર 1951, જળગાંવ) : અગ્રણી મરાઠી કવયિત્રી. અભણ હોવા છતાં તેમનામાં કાવ્યરચનાની નિસર્ગદત્ત પ્રતિભા હતી. ખેતી અને ઘરકામ કરતાં કરતાં તેઓ સહજતાથી ઓવીઓની રચના કરતાં અને તેમને સ્વરોમાં ઢાળીને પોતે ગાતાં હતાં. તેમના પુત્ર અને કવિ સોપાનદેવ ચૌધરી…

વધુ વાંચો >

ચૌધરી મેદિની

Jan 14, 1996

ચૌધરી મેદિની (જ. 1927, રામચા, જિ. કામરૂપ, અસમ; અ. 13 ફેબ્રુઆરી 2003, ગૌહત્તી) : અસમિયા નવલકથાકાર. ‘વિપન્ન સમય’ નામની તેમની ઐતિહાસિક નવલકથા બદલ તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. પ્રારંભમાં કેટલોક સમય તેમણે શાળામાં શિક્ષક તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

ચૌધરી મોતીભાઈ

Jan 14, 1996

ચૌધરી મોતીભાઈ (જ. 3 જુલાઈ 1923, માણેકપુર, જિ. મહેસાણા; અ. 2005) : ગુજરાતના એક અગ્રણી લોકસેવક. એમણે 16 વર્ષની ઉંમરે મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક (બાલશિક્ષક) તરીકે કામગીરી શરૂ કરી. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી તેજસ્વી હતી. શિક્ષક તરીકે ગાંધીવિચારને અમલમાં મૂકવા પ્રયત્ન કર્યો. નોકરી છોડી સેવાદળના સૈનિક થયા અને સર્વોદય કાર્યકર…

વધુ વાંચો >

ચૌધરી, રઘુવીર દલસિંહ

Jan 14, 1996

ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીવીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. 1979માં ‘હિંદી ઔર ગુજરાતી કી ક્રિયાત્મક ધાતુઓ કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. 1977થી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965),…

વધુ વાંચો >

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત

Jan 14, 1996

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત (જ. 1846; અ. 1889) : જાણીતા અસમિયા કવિ અને નાટ્યકાર. 1870માં તેમણે કૉલીજિયેટ સ્કૂલમાંથી એફ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી ગુવાહાટીમાં ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં તેઓ કારકુન તરીકે જોડાયા. થોડો વખત ગોઆલપર અને ધુબ્રી ખાતે નોકરી કર્યા પછી ગુવાહાટીમાં શિરસ્તેદાર તરીકે સેવાઓ આપી. બ્લૅંક વર્સમાં રચેલ ‘અભિમન્યુવધ’ (1875) તેમની…

વધુ વાંચો >