૬(૧).૨૩

ગાઝિયાબાદ (Ghaziabad)થી ગાયકવાડ વંશ

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા…

વધુ વાંચો >

ગાઝી, અબ્દુલ રશીદ

ગાઝી, અબ્દુલ રશીદ (જ. 29 જાન્યુઆરી 1964, ઇસ્લામાબાદ, પાકિસ્તાન; અ. 1૦ જુલાઈ 2૦૦7, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ઉગ્રવાદી મુસ્લિમ ધર્મગુરુ અને ઇસ્લામાબાદ ખાતેની લાલ મસ્જિદના મુખ્ય ધર્મગુરુ. મૌલાના અબ્દુલ અઝીઝના નાના ભાઈ. તેમના પિતા મૌલાના અબ્દુલે તેમને બાળપણમાં ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે મદ્રેસામાં દાખલ કરેલા; પરંતુ થોડાક જ સમય બાદ તેઓ…

વધુ વાંચો >

ગાઝીપુર

ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગાડગીળ, ગંગાધર

ગાડગીળ, ગંગાધર (જ. 25 ઑગસ્ટ 1923, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 2008) : મરાઠી લેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી, સિડનહૅમ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નિયુક્ત થયા. કૉલેજમાં હતા ત્યારથી જ એમણે વાર્તાઓ લખવા માંડેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માનસ ચિત્રે’ 1946માં પ્રગટ થયો. એ વાર્તાઓથી નવી દિશામાં વળાંક હતો…

વધુ વાંચો >

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર

ગાડગીળ, ડૉ. ધનંજય રામચંદ્ર (જ. 1૦ એપ્રિલ 19૦1, નાગપુર; અ. 3 મે 1971) : ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં. તેમનું બાળપણ નાગપુરમાં વીતેલું, જ્યાં એમના પિતા વકીલાત કરતા હતા. તેમણે 1916માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને 1918માં ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

ગાડગીળ, નરહર વિષ્ણુ

ગાડગીળ, નરહર વિષ્ણુ (જ. 1૦ જુલાઈ 1896, રતલામ, મધ્યપ્રદેશ; અ. 12 જાન્યુઆરી 1966, પુણે) : મહારાષ્ટ્રના અગ્રગણ્ય નેતા, ગાંધીજીના અનુયાયી અને સમાજસુધારક. પિતાનું નામ વિષ્ણુ નારાયણ અને માતાનું નામ રાધાબાઈ. નાની વયે માતાનું મૃત્યુ થતાં તેમનાં કાકી કાશીબાઈએ તેમને ઉછેર્યા હતા. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ 19૦6માં તે પુણેના…

વધુ વાંચો >

ગાડગે મહારાજ, સંત

ગાડગે મહારાજ, સંત (જ. 23 ફેબ્રુઆરી 1876, શેણગાંવ, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 2૦ ડિસેમ્બર 1956, પ્રવાસ દરમિયાન) : મહારાષ્ટ્રના અગ્રણી સંતપુરુષ અને સમાજસુધારક. ધોબી જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. અટક જાણોરકર. મૂળ નામ ડેબુજી. તદ્દન નિરક્ષર, છતાં મરાઠી ભાષા સુબોધ અને પ્રભાવી. ખભા પર લટકાવેલો ફાટેલો…

વધુ વાંચો >

ગાડે, હરિ એ.

ગાડે, હરિ એ. (જ. 15 ઑગસ્ટ 1917, દશાસર, મહારાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 2001) : જાણીતા મરાઠી ચિત્રકાર. વિજ્ઞાનના સ્નાતક થયા પછી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પેઇન્ટિંગ લઈ ડિપ્લોમા અને આર્ટમાસ્ટરનો સર્ટિફિકેટ કોર્સ કર્યો. તેમનાં ચિત્રોમાં નિસર્ગનો વિપર્યાસ (distortion) કરી ઊર્મિઓને મુક્ત રીતે રજૂ કરવાની અમૂર્ત પદ્ધતિ છે. ર્દઢ…

વધુ વાંચો >

ગાણપત્ય સંપ્રદાય

ગાણપત્ય સંપ્રદાય : પ્રાચીન કાળથી વૈદિક લોકોમાં ચાલતી ગણપતિ-ઉપાસના. વેદોમાં બ્રહ્મણસ્પતિની અને બૃહસ્પતિની તેમજ ક્વચિત્ ઇન્દ્રની પણ, જે સ્તુતિ છે તે ગણપતિપરક સ્તુતિ છે એમ એક મત છે. ગણપતિની નિત્યનૈમિત્તિક પૂજા અન્ય વૈદિક દેવો જેટલી જ પુરાણી જણાય છે. શ્રૌતયાગોમાં દેવ તરીકે ગણપતિ નથી, નિઘંટુ નિરુક્તમાં ગણપતિનું નામ નથી એ…

વધુ વાંચો >

ગાણિતિક તર્ક

ગાણિતિક તર્ક : ગણિતમાં પૂર્વધારણાઓથી શરૂ કરી તર્કને આધારે ગાણિતિક પરિણામો મેળવવાની પદ્ધતિ. ઉપલબ્ધ માહિતી પરથી વિચારપૂર્વકના વિશ્લેષણ બાદ નિષ્કર્ષ પર આવવું તે તર્ક છે. વિચારોની પ્રક્રિયા અને દલીલોને નિયમબદ્ધ કરી નિષ્કર્ષ પર પહોંચવા માટેનું ચોક્કસ સ્વરૂપ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે આપ્યું. જ્ઞાનની આ શાખા તર્કશાસ્ત્ર તરીકે જાણીતી છે. ગાણિતિક પૂર્વધારણાઓથી…

વધુ વાંચો >

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં)

Jan 23, 1994

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં) (જ. 1871, દેવાસ, હાલ મધ્ય પ્રદેશ; અ. 23 ઑગસ્ટ 1958, પુણે) : વડોદરા રાજ્યનાં મહારાણી અને જાણીતાં સમાજસુધારક. તેમનો જન્મ દેવાસના જાણીતા ઘાટગે કુટુંબમાં થયો હતો. કિશોરવયમાં તેમણે ભાષા અને લલિતકલાઓનો વારસો મેળવ્યો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) સાથે 1885માં તેમનાં લગ્ન થયાં. તેમણે મહારાજા સયાજીરાવ…

વધુ વાંચો >

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ

Jan 23, 1994

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ (જ. 27 ઑક્ટોબર 1928, વડોદરા) : ભારતીય ક્રિકેટના જમણેરી બૅટ્સમૅન, જમણેરી ગોલંદાજ, ચપળ ફીલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1947–48માં વડોદરા તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની મૅચોમાં પ્રવેશ મેળવ્યો. કુલ 11 ટેસ્ટ મૅચો રમ્યા, જેમાં 1959ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતીય ટીમના સુકાની હતા.…

વધુ વાંચો >

ગાયકવાડ, બાપુસાહેબ

Jan 23, 1994

ગાયકવાડ, બાપુસાહેબ (જ. 1777, અ. 1843) : ‘બાપુસાહેબ’ અને શિષ્યોમાં ‘બાપુમહારાજ’ તરીકે ઓળખાયેલા વડોદરાના મરાઠી ભક્ત-કવિ. આ કવિએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. બાળપણથી જ સંત-અનુરાગી રહેલા બાપુ પોતાની જમીનનો વહીવટ કરવા સાવલી પાસેના ગોઠડા ગામે ગયેલા ત્યારે ત્યાંના કવિ ધીરાના ઉપદેશથી મુમુક્ષુ બન્યા અને વડોદરા પાછા ફર્યા પછી કવિ નિરાંતનો…

વધુ વાંચો >

ગાયકવાડ, લક્ષ્મણ

Jan 23, 1994

ગાયકવાડ, લક્ષ્મણ (જ. 23 જુલાઈ 1956, ધનેગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર. તેમની કૃતિ ‘ઉચલ્યા’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. વ્યવસાયે તેઓ સામાજિક કાર્યકર અને લેખક છે અને જુદી જુદી સંસ્થાઓ મારફત તેઓ મહારાષ્ટ્રની વિમુક્ત અને વિચરતી જાતિઓમાં સામાજિક જાગૃતિ પ્રગટાવવા કાર્ય કરી રહ્યા છે. 1977માં લખાયેલા એક…

વધુ વાંચો >

ગાયકવાડ વંશ

Jan 23, 1994

ગાયકવાડ વંશ વડોદરા રાજ્યમાં સત્તા ઉપર રહેલો વંશ. ગાયકવાડ કુટુંબના મૂળ પુરુષ નંદાજીરાવ હતા. કુટુંબનું મૂળ ગામ ભોર (હવેલી તાલુકો, પુણે જિલ્લો) હતું. કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. વખત જતાં 1728માં પિલાજીના સમયમાં ગાયકવાડો દાવડીના વંશપરંપરાગત ‘પાટીલ’ બન્યા. ગાયકવાડ અટક અંગે એક અનુશ્રુતિ પ્રમાણે પિલાજીરાવના પ્ર-પિતામહ નંદાજી માવળ પ્રદેશમાં ભોરના…

વધુ વાંચો >