૬(૧).૧૮

ગણિતીય અનુમાનનો સિદ્ધાંતથી ગદગ

ગણિતીય અનુમાનનો સિદ્ધાંત

ગણિતીય અનુમાનનો સિદ્ધાંત : પ્રાકૃતિક ચલનું વિધાન P(n), n = 1 માટે સત્ય હોય તથા nની કોઈ ધન પૂર્ણાંક કિંમત k માટે સત્ય છે તેમ સ્વીકારીને તે વિધાન n = k + 1 માટે સાબિત થઈ શકતું હોય તો P(n) પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સત્ય છે. આ ગણિતીય અનુમાનનો…

વધુ વાંચો >

ગણિતીય કોષ્ટકો

ગણિતીય કોષ્ટકો (mathematical tables) : વિધેય રચતા ચલરાશિની પસંદ કરેલી કિંમતોને અનુરૂપ વિશિષ્ટ ગાણિતિક વિધેયોની સંખ્યાત્મક કિંમતોની લંબચોરસ સારણી. કોષ્ટકની મદદથી તેનો ઉપયોગ કરનાર ચલરાશિની પસંદ કરેલી કિંમત સામે વિધેયની અનુરૂપ કિંમત મેળવી શકે છે. ગણિતીય સારણીમાં દર્શાવેલાં યુગ્મનનાં ઉદાહરણોમાં , જેવી વર્ગમૂળ કે ઘનમૂળ દર્શાવતી સારણી; x ↔ x2,…

વધુ વાંચો >

ગણિતીય પરિરૂપ

ગણિતીય પરિરૂપ (mathematical model) : જગતની કોઈ પણ વાસ્તવિક પરિસ્થિતિનાં ગાણિતિક પાસાંને ખાસ મહત્વ આપી, અન્ય પાસાંને ઓછું મહત્વ આપી કે સદંતર અવગણીને ગણિતની ભાષામાં પરિસ્થિતિને વ્યક્ત કરવામાં આવે તો તે વાસ્તવિક પરિસ્થિતિનું ગાણિતિક પરિરૂપ મળે. કોઈ પણ પ્રદેશનો નકશો તે એ પ્રદેશનું એક પરિરૂપ છે એમ કહી શકાય. એ…

વધુ વાંચો >

ગણિતીય પૂર્વલેખન

ગણિતીય પૂર્વલેખન (mathematical programming) : પરિમિત પરિમાણીય (finite dimensional) સદિશ અવકાશ(vector space)માં સુરેખ અથવા અસુરેખ વ્યવરોધ(constraints)(સમતા અને અસમતા)થી વ્યાખ્યાયિત ગણમાં, વિધેયનાં ચરમ મૂલ્યો (મહત્તમ અને લઘુતમ) શોધવા અંગેના કૂટપ્રશ્નોના ઉકેલ માટેની સિદ્ધાંત અને પદ્ધતિઓ સાથે સંબંધ ધરાવતી ગણિતશાસ્ત્રની શાખા. સાદી ભાષામાં ઇષ્ટતમ (optimum) મૂલ્યો મેળવવાની પદ્ધતિઓને ગણિતીય પૂર્વલેખન કહે છે.…

વધુ વાંચો >

ગણિતીય સંકેતો

ગણિતીય સંકેતો (mathematical symbols) : કોઈ ગણિતીય ક્રિયા કે સંબંધને વ્યક્ત કરવા, કોઈ ગણિતીય રાશિની પ્રકૃતિ કે ગુણ દર્શાવવા અથવા ગણિતમાં પ્રયોજાયેલા વાક્યખંડો કે વિશિષ્ટ સંખ્યાઓનો નિર્દેશ કરવા માટે પ્રયોજવામાં આવતા સંકેતો. આમ A ÷ Bમાં ભાગાકારનું ચિહ્ન ¸ છે, A < Bમાં અસમતાનું ચિહ્ન < છે. f(x)↑­ માં ↑…

વધુ વાંચો >

ગણેશ દૈવજ્ઞ

ગણેશ દૈવજ્ઞ : નામાંકિત જ્યોતિષી. હાલમાં ભરતખંડમાં તેના ગ્રહગણિતના ગ્રંથો પ્રચારમાં છે તેટલા બીજા કોઈના નથી. તેનું ગોત્ર કૌશિક અને માતાપિતાનાં નામ લક્ષ્મી અને કેશવ હતાં. તેનો જન્મકાળ લગભગ શક 1420 (ઈ. સ. 1498) છે અને લગભગ 80 વર્ષની ઉંમરે શક 1500(ઈ. સ. 1578)માં તેણે ‘વિવાહ વૃંદાવન-ટીકા’ નામક ગ્રંથની રચના…

વધુ વાંચો >

ગણેશન્, જૈમિનિ

ગણેશન્, જૈમિનિ (જ. 17 નવેમ્બર 1920, પદુકોટ્ટાઈ; અ. 27 માર્ચ 2005, ચેન્નાઈ) : તમિળ ફિલ્મોના વિખ્યાત અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. નાનપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં વ્યાખ્યાતા નિમાયા. આકર્ષક શરીરસૌષ્ઠવ અને ખુશમિજાજને કારણે લોકપ્રિય બન્યા. 1945માં તમિળ ચલચિત્રજગતના વિખ્યાત દિગ્દર્શક…

વધુ વાંચો >

ગણેશન્, શિવાજી

ગણેશન્, શિવાજી (જ. 1 ઑક્ટોબર 1928, વિલ્લપુરમ્, તામિલનાડુ; અ. 21 જુલાઈ 2001, ચેન્નાઇ, તામિળનાડુ) : દક્ષિણ ભારતીય અને ખાસ કરીને તમિળ ચલચિત્રજગતના વિખ્યાત અભિનેતા. પિતા ચિનૈયા પિલ્લાઈ અને માતા રાજમણિ. બાળપણથી અભિનય પ્રત્યે વિશેષ અભિરુચિ. નાની ઉંમરમાં પોતાના ગામમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગે તથા શાળાના ઉત્સવોમાં નાનાંમોટાં નાટકો અને પ્રદર્શનોમાં…

વધુ વાંચો >

ગણેશવેલ

ગણેશવેલ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક નયનરમ્ય વેલ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus plumosus Baker. (અં. Asporagus fern) છે. તે સદાહરિત આરોહી વનસ્પતિ છે અને શતાવરી સાથે સામ્ય ધરાવતી છતાં વધારે લાંબી વેલ છે. તેનું પ્રકાંડ લીસું હોય છે અને અસંખ્ય ફેલાતી શાખાઓ ધરાવે છે. તેનાં સુંદર સોયાકાર આભાસી…

વધુ વાંચો >

ગણેશોત્સવ

ગણેશોત્સવ : હિંદુઓના ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઊજવાતો સાર્વજનિક ઉત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી. ત્યાં તે સાત દિવસ સુધી ઊજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજાઅર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્તોત્રપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા…

વધુ વાંચો >

ગતિ-સમીકરણ

Jan 18, 1994

ગતિ-સમીકરણ (equation of motion) : આપેલા નિર્દેશતંત્રને સાપેક્ષ કોઈ પદાર્થનું સ્થાન, વેગ કે પ્રવેગનું નિરૂપણ કરતું ગણિતીય સૂત્ર. ન્યૂટનના બીજા નિયમના કથન અનુસાર કોઈ પદાર્થ ઉપર લાગતું બળ F પદાર્થના દ્રવ્યમાન m અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ aના ગુણાકાર બરાબર હોય છે, માટે F = ma. પ્રાચીન યંત્રશાસ્ત્રમાં આ પાયાનું…

વધુ વાંચો >

ગત્યાત્મક માનસશાસ્ત્ર

Jan 18, 1994

ગત્યાત્મક માનસશાસ્ત્ર (dynamic psychology) : મનુષ્યનાં વર્તન અને ક્રિયાઓ સમજવા માટેની માનસશાસ્ત્રની એક શાખા. રૉબર્ટ સેશન્સ વુડવર્થનું નામ ગત્યાત્મક માનસશાસ્ત્રના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે. 1910થી 1960 સુધીનાં પચાસ વર્ષોમાં વુડવર્થે વર્તનરૂપી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ કેવી રીતે અને શા માટે થાય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે વુડવર્થના વિચારો…

વધુ વાંચો >

ગદગ

Jan 18, 1994

ગદગ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાનું પ્રાચીન નગર. મહાભારતકાળના જનમેજયે આ નગર બંધાવ્યું હોવાનું મનાય છે. ગદગ 15° 25’ ઉ. અ. તથા 75° 38’ પૂ. રે. પર આવેલું છે. મુંબઈથી અગ્નિ દિશામાં લગભગ 482 કિમી. દૂર છે. તે ગુંટકલ-હૂબલી રેલવે પરનું જંક્શન છે. આ નગર દશમી શતાબ્દી(ઈ. સ.)થી…

વધુ વાંચો >