૬(૧).૧૨
ખંડોબાનું મંદિર વડોદરાથી ખાણ
ખાખરો
ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે. સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0…
વધુ વાંચો >ખાચાતુરિયન આરામ
ખાચાતુરિયન આરામ (Khachaturian, Aram) (જ. 6 જૂન 1903, ત્બિલીસ, જ્યૉર્જિયા, ઇમ્પીરિયલ, રશિયા; અ. 1 મે 1978, મૉસ્કો) : આધુનિક આર્મેનિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ પૂરો કરી ખાચાતુરિયને મોસ્કોમાં મોસ્કો યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન ખાતામાં જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ અભ્યાસનો ભાર સહન નહિ થઈ શકતા તેમણે…
વધુ વાંચો >ખાજૂનો પુલ, ઇસ્ફહાન
ખાજૂનો પુલ, ઇસ્ફહાન (સત્તરમી સદી) : ઈરાનના નગર ઇસ્ફહાનમાં વહેતી ‘ઝાયન્દા રૂદ’ નદી પર બાંધેલો ચૂના-પથ્થરનો પુલ. તે નગરના ત્રણ મુખ્ય પુલોમાં સૌથી સુંદર છે. આ પુલ કોણે અને ક્યારે બાંધ્યો તે વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી મુસાફરોએ કરેલાં વર્ણનો પરથી હસન બેગે બંધાવેલા પુલના…
વધુ વાંચો >ખાટી લૂણી
ખાટી લૂણી : જુઓ લૂણી
વધુ વાંચો >ખાડિલકર, કૃ. પ્ર.
ખાડિલકર, કૃ. પ્ર. (જ. 23 નવેમ્બર 1872, સાંગલી; અ. 26 ઑગસ્ટ 1948, સાંગલી) : મરાઠી નાટકકાર. એમણે ગદ્યનાટકો તથા સંગીતનાટકો લખ્યાં છે, જેમાં ઇતિહાસ તથા પુરાણોના સંદર્ભમાં સમકાલીન પ્રશ્નો ગૂંથ્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો હોવાથી, એમણે લોકમાન્ય ટિળકે જગાવેલી રાષ્ટ્રીય ચેતનાને નાટ્યકૃતિઓમાં શ્યક્ષમ બનાવી છે. ‘સવાઈ માધવરાવ યાંચા મૃત્યુ’…
વધુ વાંચો >ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ
ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ (જ. 1914 કાશી; અ. 1960 લખનૌ) : સંપાદક, પત્રકાર, લેખક. બી.એસસી. થયા પછી દૈનિક- ‘આજ’ના સંપાદન વિભાગમાં જોડાયા, થોડો વખત દૈનિક- ‘સંસાર’ના સહસંપાદક તરીકે સેવાઓ આપી, પરંતુ ત્યાર બાદ આજના સહસંપાદક તરીકે અને 1956થી 1959 મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા. દરમિયાનમાં જ્ઞાનમંડલ, લિમિટેક, બનારસના બોર્ડ ઑફ…
વધુ વાંચો >ખાડિલકર, રોહિણી નીલકંઠ
ખાડિલકર, રોહિણી નીલકંઠ (જ. 1 એપ્રિલ 1963, મુંબઈ) : ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનારાં ભારતનાં મહિલા ખેલાડી. ભારતનાં મહિલા ચેસ-ખેલાડીઓમાં ખાડિલકર બહેનો – વાસંતી, જયશ્રી અને રોહિણી-નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ બહેનોને એમના પિતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. સહુથી નાની રોહિણીએ 11 વર્ષની વયે મુંબઈમાં રમાયેલી પેટીટ ટુર્નામેન્ટમાં ભાગ…
વધુ વાંચો >ખાડીપ્રદેશ
ખાડીપ્રદેશ (estuary) : ભૂમિ પરથી દરિયા તરફ વહેતું પાણી અને દરિયાનું પાણી જ્યાં મુક્તપણે એકબીજામાં ભળતાં હોય તેવા સમુદ્રકિનારે આવેલા અને અંશત: બંધિયાર એવા પાણીના વિસ્તારો. મોટા ભાગના આ વિસ્તારો નદીના મુખપ્રદેશ રૂપે હોય છે. તે વિસ્તાર નદીનાળ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં વહીને ખંભાતના અખાતમાં અરબી સમુદ્ર સાથે જોડાતા…
વધુ વાંચો >ખાડીસરોવર
ખાડીસરોવર (lagoon) : દરિયાકિનારે તૈયાર થતા કુદરતી સરોવરનો એક પ્રકાર. દરિયાકિનારાથી અંદર તરફ અમુક અંતરે રચાયેલા નિક્ષેપજન્ય અવરોધ વચ્ચે આવેલા સરોવરને ખાડીસરોવર કહેવાય છે. નદીઓ દ્વારા ખેંચાઈ આવતો કાંપ સમુદ્રકિનારે ન ઠલવાતાં કિનારાથી અંદર અમુક અંતરે ઠલવાતો જાય તો કાંપના ભરાવાથી સમુદ્રતળનો કેટલોક ભાગ ઊંચો આવતાં આડ અથવા અવરોધપટ્ટી રચાય…
વધુ વાંચો >ખાણ
ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી,…
વધુ વાંચો >ખંડોબાનું મંદિર, વડોદરા
ખંડોબાનું મંદિર, વડોદરા : વડોદરાના ગાયકવાડોના ઇષ્ટદેવ જેજુરીના ખંડોબાનું વડોદરામાં ર. વ. દેસાઈ માર્ગ પર આવેલું મંદિર. વડોદરાનું ખંડોબા કે ખંડેરાવનું મંદિર બલાણકવાળા કમ્પાઉન્ડના મંદિરસમૂહનું મુખ્ય દેવસ્થાન છે. નીચી સાદી, ચાર સોપાનવાળી જગતી પર ગર્ભગૃહ, અંતરાલ અને બાર સ્તંભોવાળા મંડપનું તેનું તલદર્શન છે. મંદિરના બહારના પંચરથ થરો સાદા છે. તેનાં…
વધુ વાંચો >ખંડોષ્ઠ અને ખંડતાલુ
ખંડોષ્ઠ અને ખંડતાલુ (cleft lip and palate) : હોઠ અને તાળવામાં ફાડ હોવી તે. તે એક જનીનીય કુરચના (genetic malformation) છે જેમાં હોઠમાં ફાડ હોય છે. ક્યારેક સાથે સાથે કઠણ કે મૃદુ તાળવામાં પણ ફાડ હોય છે. તેનું પ્રમાણ દર 1 હજાર જીવિત જન્મતાં બાળકોમાં એકનું છે. તે છોકરાઓમાં વધુ…
વધુ વાંચો >ખંધડિયા, જદુરાય દુર્લભજી
ખંધડિયા, જદુરાય દુર્લભજી (જ. 16 મે 1899, રાજકોટ) : ગુજરાતના નોંધપાત્ર હાસ્યકાર. મૂળ વતન ભાવનગર. જાતે લોહાણા. માતાનું નામ કાશીબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં લીધેલું. અભ્યાસ દરમિયાન ત્રણ વર્ષ સુધી સરકારી સ્કૉલરશિપ મેળવેલી. વધુ અભ્યાસ અર્થે વડોદરાના કલાભવનમાં જોડાયા. લંડન નૅશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા કૉમર્સના વિષયો સાથે પાસ કરી.…
વધુ વાંચો >ખંભાત
ખંભાત : આણંદ જિલ્લામાં ખંભાતના અખાતને મથાળે મહી નદીના મુખ પર આવેલું નગર, ભૂતકાળનું ભવ્ય બંદર, તાલુકામથક તથા એક સમયનું દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° 18´ ઉ. અ. તથા 72° 37´ પૂ. રે. તાલુકાનું ક્ષેત્રફળ અને વસ્તી અનુક્રમે 1191.6 ચોકિમી. અને તાલુકાની વસ્તી આશરે 2,58,514 (2022) છે. શહેરની વસ્તી આશરે…
વધુ વાંચો >ખંભાતનો અખાત
ખંભાતનો અખાત : તળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ વચ્ચે આવેલો અરબી સમુદ્રનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 21° 00´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે. ખંભાતનો અખાત કચ્છના અખાતની માફક કોઈ મોટી નદીનું મુખ હોય એમ મનાય છે. સાબરમતી અને સરસ્વતીના કિનારે આવેલાં એકસરખાં તીર્થસ્થાનોને કારણે આ નદી સંભવત: સરસ્વતી…
વધુ વાંચો >ખંભાળિયા
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 12´ ઉ. અ. અને 69° 44´ પૂ. રે. તાલુકાની વસ્તી 2,47,147 (2022) અને શહેરની વસ્તી આશરે 70 હજાર (2022) છે. ખંભાળિયાથી રાજકોટ અને જામનગર ભૂમિમાર્ગે અનુક્રમે 150 અને 60 કિમી. છે, જ્યારે દ્વારકા 85 કિમી. અને ઓખા 95…
વધુ વાંચો >ખાઈ
ખાઈ : મેદાની યુદ્ધમાં શત્રુપક્ષ તરફથી થતા ગોળીબાર કે તોપમારા સામે પોતાના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા જમીનમાં ખોદવામાં આવતા ખાસ પ્રકારના ખાડા. ખાઈઓ લાંબી, સાંકડી તથા સૈનિક શત્રુની નજરે ન પડે તેટલી ઊંડી તથા જમીનને લગભગ સમાંતર હોય છે. તે સીધી કે વાંકીચૂકી હોઈ શકે. ખાઈઓ ખોદતી વેળાએ જમીનમાંથી નીકળતી…
વધુ વાંચો >ખાકસાર ચળવળ
ખાકસાર ચળવળ : ભારતના ભાગલા પૂર્વે લાહોરમાં સ્થપાયેલું મુસ્લિમ લશ્કરી સંગઠન. ઇનાયતુલ્લાખાન ઉર્ફે અલ્લામા મશરકીએ આ સંગઠનની 26 ઑગસ્ટ 1930ના રોજ સ્થાપના કરી હતી. અફઘાનિસ્તાન, તુર્કસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંતની જેમ બલૂચિસ્તાન, પંજાબ, સંયુક્ત પ્રાંતો (ઉત્તરપ્રદેશ) અને બંગાળમાં મુસ્લિમ સત્તા સ્થાપી એક ઇસ્લામી સામ્રાજ્ય ઊભું કરી સમગ્ર ભારતમાં મુસ્લિમ વર્ચસ…
વધુ વાંચો >ખાકાની, શીરવાની
ખાકાની, શીરવાની (જ. ઈ. સ. 1126, શીરવાન, ઈરાન; અ. ઈ. સ. 1196, તબરેઝ, ઈરાન) : ફારસી કવિ. મૂળ નામ ઇબ્રાહીમ અને લકબ અફઝલુદ્દીન અને કુન્નિયત ‘અબૂ બદીલ’ હતું. પિતા અબુલ હસન અલી સુથારીકામ કરતા. તેમના દાદા વણકર હતા. માતા મૂળ ઈસાઈ હતાં અને કેદી તરીકે ઈરાનમાં આવ્યાં હતાં જ્યાં તેમણે…
વધુ વાંચો >ખાકી, હસન બેગ
ખાકી, હસન બેગ : ફારસી ઇતિહાસકાર. મુઘલ શહેનશાહ અકબરના રાજ્ય-અમલમાં ગુજરાતના બક્ષી તરીકે નિમાયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ હસન બિન મુહમ્મદ અલ્ ખાકી અલ્ શીરાઝી. ઈરાનના ખાનદાન કુટુંબમાં જન્મ. તેમની વંશ-નામાવળીમાં ચોથા સ્થાને આવનાર દાદા શમ્સુદ્દીન અબ્દુલ્લાહ ખાકી શીરાઝી, શીરાઝના ગવર્નર ‘એક્યાનો’ના સમયમાં બક્ષીનો હોદ્દો ભોગવતા હતા. તે ઈ. સ.…
વધુ વાંચો >