૪.૨૧

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓથી કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ : કૃત્રિમ રેસાઓ અંગેનો ઉલ્લેખ છેક સન 1664માં ફ્રેંચ વૈજ્ઞાનિક રોમરે (Rene A. F. Reumur) શક્યતા રૂપે કરેલો. સન 1854માં કૃત્રિમ રેસા અંગેનો પ્રથમ પેટન્ટ કાઉન્ટ હીલેઈરે (Hilaire de Chardonnet) લીધેલો. પૅરિસમાં સન 1889માં સૌપ્રથમ વાર નાઇટ્રોસેલ્યુલોઝના રેસાઓ પ્રદર્શનમાં દર્શાવાયેલા. સન 1924માં વિસ્કોસ રેયૉન અસ્તિત્વમાં આવ્યું.…

વધુ વાંચો >

કાપડની ભાતની કલા

કાપડની ભાતની કલા : ગુજરાતના રંગરેજ અને છીપાગરની કાપડ ઉપર છપાતી ભાતની કલા. વસ્ત્રપરિધાનમાં વિવિધ રંગો વપરાય છે. ખૂબ ભભકભર્યા રંગો કચ્છ જેવા રણપ્રદેશમાં રહેતા લોકોના પહેરવેશમાં જોઈ શકાય છે. દરેક વર્ણ ઉત્સવો સમયે અથવા કોઈ વિધિવિધાન વખતે પોતપોતાના દેશ કે ગામની ખાસિયત પ્રમાણેના રંગોનાં કપડાં પહેરે છે. આથી એમ…

વધુ વાંચો >

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ (જ. 1908, નવસારી; અ. 1967) : વિખ્યાત ભારતીય સમાજશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે 1930માં બી.એ. તથા 1938માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં નવસારી તથા મુંબઈમાં સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી. 1943થી 1959 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અધ્યાપક રહ્યા. સમાજશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ભારતની કુટુંબવ્યવસ્થા વિશેનું તલસ્પર્શી,…

વધુ વાંચો >

કાપડિયા, કુન્દનિકા

કાપડિયા, કુન્દનિકા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ…

વધુ વાંચો >

કાપડિયા, ટોકરશી લાલજી

કાપડિયા, ટોકરશી લાલજી (જ. 19 જાન્યુઆરી 1916, પત્રી, કચ્છ; અ. 16 માર્ચ 1996, હૈદરાબાદ) : અગ્રણી સમાજસેવક. બાળપણમાં અનિવાર્ય જેટલું શિક્ષણ લઈ નોકરી અર્થે મુંબઈ અને મ્યાનમાર (બર્મા) ગયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાને મ્યાનમાર પર બૉંબમારો કરતાં ત્યાંથી સ્વદેશ પરત આવી હૈદરાબાદમાં હાસમજી પ્રેમજીની કંપનીમાં નોકરી સ્વીકારી. 1942માં તેઓ…

વધુ વાંચો >

કાપડિયા, પરમાનંદ કુંવરજી

કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1883, રાણપુર; અ. 17 એપ્રિલ 1976, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં. ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32)…

વધુ વાંચો >

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ (જ. 7 ડિસેમ્બર 1879, ભાવનગર; અ. 27 માર્ચ 1951, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક. તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પંદર વર્ષ સુધી કૉર્પોરેટર તથા જૈન સમાજના અગ્રણી કાર્યકર અને બી.એ.,એલએલ.બી., સૉલિસિટર હતા. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી. એમણે લખેલાં પુસ્તકોમાં ‘જૈન ર્દષ્ટિએ યોગ’,…

વધુ વાંચો >

કાપ, યુજિન

કાપ, યુજિન (જ. 26 મે 1908, એસ્ટૉનિયા; અ. ?) : એસ્ટૉનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. એસ્ટૉનિયન સંગીતકાર કુટુંબમાં જન્મ. દાદા ઑર્ગનવાદક, કન્ડક્ટર અને સંગીતશિક્ષક હતા. પિતાએ સેન્ટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં રિમ્સ્કી-કોર્સાકૉવ હેઠળ સ્વરનિયોજનની તાલીમ લીધી હતી. યુજિન કાપ એસ્ટૉનિયાની તાલીન કૉન્ઝર્વેટરીમાં 1922માં સંગીત અને સ્વરનિયોજનની તાલીમ લેવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. કાપને…

વધુ વાંચો >

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર (જ. 17 જાન્યુઆરી 1905, દહાણુ, મહારાષ્ટ્ર; અ. 4 જુલાઈ 1986, નાસિક) : ભારતના એક અકિંચન, અપરિગ્રહી અને અઠંગ સંખ્યાવ્યાસંગી ગણિતજ્ઞ. કાપરેકર એક અનોખા ગણિતજ્ઞ હતા. આમ તો તેઓ કેવળ સ્નાતક હતા, પણ સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મો વિશે તેમણે ખૂબ વિચાર કર્યો હતો અને વ્યવસાયી ગણિતજ્ઞોને પણ આશ્ચર્ય…

વધુ વાંચો >

કાપાલિક

કાપાલિક : પાશુપત શૈવોનો એક સંપ્રદાય. એનો શાબ્દિક અર્થ છે કપાલ અર્થાત્ મનુષ્યની ખોપરીને ધારણ કરનાર. એ સંપ્રદાયવાળા પોતાનું ભિક્ષાન્ન ખોપરીમાં ગ્રહણ કરતા. કપાલ મૃત્યુનું પ્રતીક છે. એનો સંબંધ શિવના વિધ્વંસક ઘોર, રૌદ્ર રૂપ સાથે છે. કાપાલિકોનો આચાર-વ્યવહાર વામમાર્ગી શાક્તો સાથે મળતો આવે છે. ભૂતકાળમાં આ સંપ્રદાયના જૂજ અનુયાયીઓ હતા;…

વધુ વાંચો >

કામદાર રાજ્ય વીમાયોજના

Jan 21, 1992

કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે…

વધુ વાંચો >

કામદારવળતર

Jan 21, 1992

કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર…

વધુ વાંચો >

કામદાર-શિક્ષણ

Jan 21, 1992

કામદાર-શિક્ષણ : કાર્યક્ષેત્ર, જાગરુકતા તથા વ્યક્તિગત તેમજ કૌટુંબિક વિકાસમાં મદદરૂપ એવું કામદારોને અપાતું શિક્ષણ. આવા શિક્ષણ દ્વારા કામદારોનું કાર્યકૌશલ વધારવાનો, સંઘશક્તિ પ્રત્યે તેમને સભાન કરવાનો તથા તેમનામાં સારા નાગરિકોના ગુણ કેળવવાનો હેતુ હોય છે. કામદાર-શિક્ષણનું આયોજન કરતી વેળાએ કેટલીક અગત્યની બાબતોનો અગાઉથી વિચાર કરવામાં આવે છે, જે તેની સફળતા માટે…

વધુ વાંચો >

કામનો અધિકાર

Jan 21, 1992

કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે. કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે :…

વધુ વાંચો >

કામન્દકીય નીતિશાસ્ત્ર

Jan 21, 1992

કામન્દકીય નીતિશાસ્ત્ર : હિન્દુ રાજનીતિ ઉપરનું પુસ્તક. ‘કામન્દકીય નીતિસાર’ના સાતમી કે આઠમી સદીમાં થઈ ગયેલા લેખકે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યને તે આ વિષયમાં ગુરુ ગણી અનુસર્યા હોય તેમ જણાય છે. ‘દશકુમારચરિત’ના અને ‘માલતીમાધવ’ના લેખકો અનુક્રમે દંડી તથા ભવભૂતિએ તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગ્રંથમાં પદ્યમાં લખાયેલા વીસ સર્ગો…

વધુ વાંચો >

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ

Jan 21, 1992

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન. પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં…

વધુ વાંચો >