૨૩.૨૭

સૂફીવાદથી સૂર્યમંદિરો

સૂફીવાદ

સૂફીવાદ : ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક…

વધુ વાંચો >

સૂરણ

સૂરણ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amorphophallus campanulatus Blume ex Decne (ગુ., મ. સૂરણ; હિં. જંગલી સૂરન, સૂરન, ઝમીનકંદ; બં. ઓલ; ક. સુવર્ણ ગેડ્ડા; તે. માનશીકંદ, પોટીગુંડા, થીઆકંદ; મલ., તા. ચેના, કચુલ, કરનાઈકિલંગુ, શીનાઈ કીઝાન્ગુ; અ. એલિફંટ-ફૂટ યામ) છે. તે કંદિલ (taberous), મજબૂત 1.0…

વધુ વાંચો >

સૂરત

સૂરત : દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 200 47’થી 210 34′ ઉ. અ. અને 720 21’થી 740 20′ પૂ. રે. વચ્ચેનો 7,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના કુલ ભૂમિભાગનો 3.95 % વિસ્તાર રોકે છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907)

સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907) : 1907માં સૂરતમાં મળેલું કૉંગ્રેસનું ત્રેવીસમું ઐતિહાસિક અધિવેશન. આ અધિવેશન મળ્યું તે અગાઉના બનાવો વિશે જાણવું જરૂરી છે. દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળેલા 1906ના કોલકાતા કૉંગ્રેસ અધિવેશનમાં વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી, સ્વરાજ અને રાષ્ટ્રીય શિક્ષણ અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તેને લીધે મવાળ અને જહાલ જૂથો…

વધુ વાંચો >

સૂરજમલ 

સૂરજમલ  : ભરતપુરનો પ્રતાપી જાટ રાજા. જાટ રાજ્યની જાહોજલાલી રાજા સૂરજમલના અમલમાં 1756થી 1763 દરમિયાન ચરમસીમાએ પહોંચી હતી. સૂરજમલ પોતે જાટ સરદાર બદનસિંઘનો દત્તકપુત્ર અને ઉત્તરાધિકારી હતો. બદનસિંઘે તેને રાજ્યની બધી આંટીઘૂંટીઓ બતાવી હતી. સૂરજમલ સત્તા પર આવ્યા પછી સૌપ્રથમ જાટ સરદાર ખેમકરણ સોમારિયા પાસેથી ભરતપુર મેળવ્યું અને ત્યાં પોતાની…

વધુ વાંચો >

સૂરદાસ

સૂરદાસ (જ. 1478, સીહી, જિ. ગુરગાંવ, હરિયાણા; અ. 1580, પરાસૌલી) : 16મી સદીના હિંદી સાહિત્યના લોકપ્રિય શ્રેષ્ઠ ભક્ત કવિ. પ્રારંભમાં તેઓ મથુરા પાસે ગૌઘાટમાં સાધુ રૂપે વિનયનાં પદો લખીને ગાતા હતા, ત્યાં પુષ્ટિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય(1478-1530)નો મેળાપ થયો. તેમણે તેમને દીક્ષિત કર્યા અને ભગવાનનું લીલાગાન રચવા પ્રેર્યા. તેમની નિષ્ઠા જોઈને તેમને…

વધુ વાંચો >

સૂરસાગર

સૂરસાગર : હિન્દી ભક્તકવિ સૂરદાસની પ્રમાણિત કૃતિ. એક મત પ્રમાણે કવિએ પોતે આ ગ્રંથ લખ્યો હોય અથવા તેમની દેખરેખ હેઠળ હસ્તપ્રત તૈયાર થઈ હોવાનો કોઈ પુરાવો નથી; તેથી તેનો પ્રમાણિત મૂળ પાઠ ઉપલબ્ધ નથી. જોકે જયપુરના ગ્રંથાલયમાંથી મળેલી 1573ની પ્રત પ્રાચીનતમ ગણાય છે. મથુરા, નાથદ્વારા, કોટા, બૂંદી, બીકાનેર, ઉદેપુર વગેરે…

વધુ વાંચો >

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)  : વૈદિક કાલથી આજદિન સુધી લોકમાન્ય રહેલાં પ્રતીકો. હિમ અન ધ્રંસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેના રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે. त तैवाव्ग्नीं आधत्त हिमं ध्रंसं च रोहित (13-1-46). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી…

વધુ વાંચો >

સૂર્ય ઓ અંધાર

સૂર્ય ઓ અંધાર : કવિ રાધામોહન ગડનાયકરચિત કાવ્યસંગ્રહ. 1995ની સાલનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ કાવ્યસંગ્રહમાં કવિએ જુદા જુદા સમયમાં રચેલી ચોવીસ કાવ્ય-રચનાઓ છે. કવિ રાધામોહન ગડનાયકે દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવેલી એટલે જ એમની કવિતામાં દેશપ્રેમ જોવા મળે છે. દેશ સ્વતંત્ર થયા પછી દેશસેવાના નામે જે નાટક…

વધુ વાંચો >

સૂર્યકલંકો (Sunspots)

સૂર્યકલંકો (Sunspots) : સૂર્યની સપાટી પર અવારનવાર સર્જાતા રહેતા વિસ્તારો. તે નાના ટેલિસ્કોપમાં કાળા રંગનાં ટપકાં જેવા જણાય છે. જવલ્લે જ એવું મોટા કદનું કલંક સર્જાય છે કે જે નરી આંખે પણ દેખી શકાય. (આવું એક કલંક 2005ના જાન્યુઆરી માસમાં જોઈ શકાયું હતું; પરંતુ હમેશાં ખ્યાલ રાખવો જરૂરી છે કે…

વધુ વાંચો >

સૂર્ય-કેન્દ્રીય પ્રણાલી

Jan 27, 2008

સૂર્ય–કેન્દ્રીય પ્રણાલી : પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્યની ફરતે ભ્રમણ કરતા હોય એવા પ્રકારના તંત્રને વાસ્તવિકતા તરીકે સ્વીકારાતી પ્રણાલી. આ પ્રકારની પ્રણાલી અનુસારનું ગ્રહોની દેખીતી ગતિ સમજાવતું ગણિત સૌપ્રથમ કૉપરનિકસ નામના ખગોળવિજ્ઞાનીએ ઈસુની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિકસાવ્યું; આ કારણે આ પ્રકારના તંત્રને ‘કૉપરનિકન તંત્ર’ (Copernican system) પણ કહેવાય છે. આ…

વધુ વાંચો >

સૂર્યનમસ્કાર

Jan 27, 2008

સૂર્યનમસ્કાર : પ્રાત:કાળે ઊગતા સૂર્યની ભક્તિભાવપૂર્વક ઉપાસના સાથે કરાતો નમસ્કારનો વ્યાયામ. સૂર્યનમસ્કારના એક આવર્તનમાં 12 યોગાસનોનો સમાવેશ થઈ જાય છે, આમ સૂર્યનમસ્કાર એ 12 આસનોની શ્રેણી છે. દરેક આવર્તન વખતે સાત્ત્વિક ભાવના અને શ્રદ્ધાપૂર્વક સૂર્યનાં જુદાં જુદાં નામો સાથે મંત્રોચ્ચાર કરવાનો હોય છે. શ્વાસોચ્છ્વાસના નિયમન સહિત નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી શરીરનાં…

વધુ વાંચો >

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો

Jan 27, 2008

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો : દેખાવે રૂપાળું ને મીઠું ગાતું સામાન્ય પંખી. તે ફ્લાવર પેકર્સ કુટુંબનું નીડર પંખી છે. તેનો Passeriformes વર્ગમાં અને Nectarinia famosa શ્રેણીમાં સમાવેશ થાય છે. તેને અંગ્રેજીમાં Purple Sun Bird કહે છે. તેનું કુળ Nectariniidae છે. ચાંચથી પૂંછડી સુધીની તેની લંબાઈ 10 સેમી.ની છે. પીળી કરેણ,…

વધુ વાંચો >

સૂર્યપૂજા

Jan 27, 2008

સૂર્યપૂજા : વિશ્વના આદિદેવ સૂર્યની પૂજા. સૂર્ય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ એક સળગતો ગોળો છે. જુદા જુદા જલદી સળગી ઊઠે તેવા વાયુઓ સૂર્યની ભઠ્ઠી(ઊખા)ની રાસાયણિક પ્રક્રિયા જીવિત રાખે છે. તેમાંથી જન્મતાં ઉષ્ણતા અને પ્રકાશ ઘણા કિલોમિટરો સુધી પથરાય છે. તેનો અખૂટ જથ્થો ઘણાં વર્ષોથી ચાલે છે. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ઉષ્ણતા આપે…

વધુ વાંચો >

સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો

Jan 27, 2008

સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો : સૂર્યપ્રણાલી (સૌરમાલા, solar system) એટલે કે સૂર્ય અને તેની આસપાસ ઘૂમતા પિંડોનું સંઘટન, તેમાં રહેલાં વિવિધ રાસાયણિક તત્ત્વો અને તેમની વિપુલતા. તેમાં પ્લૂટો (?) સમેત નવ મોટા ગ્રહો (planets), પચાસેક જેટલા ઉપગ્રહો (satellites), ઓછામાં ઓછી ત્રણ વલય-પ્રણાલીઓ (ring systems) તેમજ ગ્રહિકાઓ (ગૌણ ગ્રહો, asteroids) અને ધૂમકેતુઓ તરીકે…

વધુ વાંચો >

સૂર્ય-મંડળ (Solar System)

Jan 27, 2008

સૂર્ય–મંડળ (Solar System) : સૂર્યની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ગ્રહોની પ્રણાલી. તેમાં ગ્રહો, ચંદ્ર, ખડકના ટુકડા, ધાતુઓ, બરફીલો ભંગાર અને મોટા જથ્થામાં રજનો સમાવેશ થાય છે. સૂર્ય-મંડળમાં પૃથ્વી ઉપરાંત આઠ ગ્રહો, કેટલાક ગ્રહોની આસપાસ ભ્રમણ કરતા ચંદ્ર; લઘુગ્રહો (asteroids) જેવા પિંડ, લોખંડના લોંદા અને પથ્થરોના ઉલ્કાપિંડો; થીજેલો વાયુ અને રજ…

વધુ વાંચો >

સૂર્યમંદિરો

Jan 27, 2008

સૂર્યમંદિરો : સૂર્યદેવની મૂર્તિ ધરાવતાં, તેની પૂજા માટેનાં મંદિરો. ભારતમાં પ્રથમ સૂર્યપૂજા ઉત્તર-પશ્ચિમ ભારતમાંસપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી. ભારતમાં સૂર્યપૂજાના બે તબક્કા જણાય છે : પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી. બીજા તબક્કામાં ઈરાનની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય…

વધુ વાંચો >