૨૨.૧૩

સરસવથી સરોજપાલ, ગોગી

સરાવગી અલકા

સરાવગી, અલકા (જ. 1960, કોલકાતા) : હિંદી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની કૃતિ ‘કલિકથા : વાયા બાઇપાસ’ બદલ તેમને 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હિંદી ઉપરાંત અંગ્રેજી અને બંગાળીની જાણકારી તેઓ ધરાવે છે. તેમને ઇતિહાસ, પ્રકૃતિ-અધ્યયન તેમજ સંગીતમાં…

વધુ વાંચો >

સરાહ અબૂબકર (શ્રીમતી)

સરાહ અબૂબકર (શ્રીમતી) (જ. 30 જૂન 1936, કાસરગોડ, કેરળ) : કન્નડ લેખિકા. તેઓ 198790 દરમિયાન કર્ણાટક સાહિત્ય અકાદમીનાં સભ્ય; 1992-95 દરમિયાન કન્નડ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ-સભ્ય; 1993-96 ફિલ્મ પ્રિવ્યૂ કમિટીનાં પણ સભ્ય હતાં. તેમની માતૃભાષા મલયાળમ હોવા છતાં તેમણે કન્નડમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચંદ્રગિરિ’, ‘તીર્થદલ્લી’ (1984); ‘સહાના’ (1985); ‘વજ્રગલુ’ (1988);…

વધુ વાંચો >

સરિત, થાનારત

સરિત, થાનારત (જ. 16 જૂન 1908, બૅગકોક; અ. 8 ડિસેમ્બર 1963, બૅંગકોક) : થાઇલૅન્ડના શાસક તેમજ ત્યાંની 1958થી 1963 દરમિયાનની લશ્કર-શાસિત સરકારના ફિલ્ડમાર્શલ અને વડાપ્રધાન. તેમણે બૅંગકોકની લશ્કરી અકાદમી ચુલા ચોમ ક્લો(Chula Chom Klao)માં અભ્યાસ કરી 1929માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ લશ્કરી અધિકારી તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1947ના…

વધુ વાંચો >

સરિતાહરણ

સરિતાહરણ : જુઓ નદી.

વધુ વાંચો >

સરિસૃપ (1969)

સરિસૃપ (1969) : ઊડિયા કવિ વિનોદચંદ્ર નાયક(જ. 1917)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પહેલાં તથા આ પછી પણ તેમણે અનેક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ઓરિસાના પીઢ કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓ અગાઉની રોમૅન્ટિક કવિતા તથા ત્રીસી અને ચાલીસીની ‘ગ્રીન’ કવિતા તેમજ નવ્ય…

વધુ વાંચો >

સરિસૃપ

સરિસૃપ : પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈ ચાલતો, જમીનનિવાસી પ્રાણીઓનો એક વર્ગ. સરિસૃપ કરોડરજ્જુવાળાં ચતુષ્પાદ (tetrapods) પ્રાણીઓ તેમના ગર્ભની આસપાસ ઉલ્વ(amnion)નું આવરણ આવેલું હોવાથી તે ઉલ્વધારી (amniote) કહેવાય છે. અત્યારે નીચે મુજબની ચાર શ્રેણીઓ (orders) હયાત છે : 1. ક્રૉકોડિલિયા (મગર, કેઇમન, ઍલિગેટર જેવાં પ્રાણીઓ) : 23 જાતિઓ. 2. રિન્કોસિફેલિયા (ન્યૂઝીલૅન્ડના…

વધુ વાંચો >

સરી જતું સૂરત (સન્ 1942)

સરી જતું સૂરત (સન્ 1942) : ધનસુખલાલ મહેતા-રચિત ગુજરાતી નાટ્યકૃતિ. ‘અમે બધાં’ નામના આત્મસંસ્મરણના પુસ્તક પરથી સંકલિત કરાયેલું અને ઈ. સ. 1895થી 1920 સુધીના સૂરતી જીવનનો ચિતાર આલેખતું આ નાટક, અંકોમાં નહિ પણ સાત દૃશ્યોમાં વહેંચાયેલું છે. નાટકના નાયક વિપિનના જન્મ, અભ્યાસ, વિવાહ અને લગ્નની આસપાસ વણાતી મધ્યમવર્ગીય સહેલાણી સૂરતી…

વધુ વાંચો >

સરૂ (શરૂ)

સરૂ (શરૂ) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅશ્યુએરીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Casuarina equisetifolia Linn. (હિં. જંગલી સરુ; બં. જાઉ; મ. સુરુ; ગુ. સરૂ, શરૂ; તે. સરુગુડુ; તા. સાવુકુ; અં. બીફ વૂડ) છે. તે સીધું, નળાકાર મુખ્ય થડ ધરાવતું મોટું સદાહરિત વૃક્ષ છે. તેની અંતિમ શાખાઓ પાતળી, નળાકાર, સંધિમય…

વધુ વાંચો >

સરૂર, અલી અહમદ

સરૂર, અલી અહમદ (જ. 7 ઑક્ટોબર 1912, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ ?) : ઉર્દૂના વિદ્વાન. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂ વિષય સાથે એમ.એ.ની અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રી મેળવી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપક 2002માં રહ્યા અને લેખનની પ્રવૃત્તિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઉર્દૂના રીડર, લખનૌ યુનિવર્સિટી, 1946-55;…

વધુ વાંચો >

સરેશદ્રવ્ય

સરેશદ્રવ્ય : જુઓ (1) કોલાજન, (2) જિલેટિન.

વધુ વાંચો >

સરસવ

Jan 13, 2007

સરસવ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી.…

વધુ વાંચો >

સરસ્વતી (દેવી)

Jan 13, 2007

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…

વધુ વાંચો >

સરસ્વતી (નદી)

Jan 13, 2007

સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…

વધુ વાંચો >

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)

Jan 13, 2007

સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની…

વધુ વાંચો >

સરસ્વતી (સામયિક) (1890)

Jan 13, 2007

સરસ્વતી (સામયિક) (1890) : સિંધી સાહિત્યના પ્રકાશનનો ધારાવાહિક રૂપે પાયો નાખનાર સામયિક. અંગ્રેજ સરકારના શિક્ષણ ખાતા તરફથી સિંધમાં પત્રકારત્વના પ્રારંભિક કાળમાં ‘સિંધસુધાર’ નામના સાપ્તહિકનો પ્રારંભ થયો હતો. તેમાં શૈક્ષણિક બાબતો ઉપરાંત અન્ય સરકારી કામગીરી પ્રગટ કરાતી. તે સમયે ‘સુધારસભા’ નામે પ્રબુદ્ધ ગણની એક સંસ્થા સ્થપાઈ. તેણે અંગ્રેજીમાં ‘સિંધ ટાઇમ્સ’ નામક…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-1

Jan 13, 2007

સરસ્વતીકંઠાભરણ-1 : સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય ભોજરાજાએ લખ્યું હોવાથી તેનું બીજું નામ ‘ભોજવ્યાકરણ’ એવું છે. આ ગ્રંથ પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે રચવામાં આવ્યો છે તેથી તેની જેમ તેમાં આઠ અધ્યાયો અને 32 પાદો છે. તેમાં 6,370 સૂત્રો આચાર્ય ભોજે આપ્યાં છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં 4,000થી ઓછાં સૂત્રો છે અને ભોજે 6,370…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-૨

Jan 13, 2007

સરસ્વતીકંઠાભરણ-2 : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આચાર્ય ભોજ તેના રચયિતા છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદોનો બનેલો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યવ્યાખ્યા, કાવ્યના પ્રકારો આરંભમાં રજૂ થયાં છે. એ પછી 16 પદના, 16 વાક્યના અને 16 અર્થના દોષોની ચર્ચા આપી છે. અંતે 24 શબ્દના અને 24 અર્થના ગુણો ચર્ચવામાં આવ્યા છે. બીજા…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર

Jan 13, 2007

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર (ચલચિત્ર)

Jan 13, 2007

સરસ્વતીચંદ્ર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1968. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : સર્વોદય પિક્ચર્સ. નિર્માતા-દિગ્દર્શક : ગોવિંદ સરૈયા. કથા : ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની મહાનવલ પર આધારિત. પટકથા : વ્રજેન્દ્ર ગૌડ. સંવાદ : અલી રઝા. ગીતકાર : ઇન્દીવર. છબિકલા : નરીમાન ઈરાની. સંગીત : કલ્યાણજી-આણંદજી. મુખ્ય કલાકારો : નૂતન,…

વધુ વાંચો >

સરસ્વતીદેવી

Jan 13, 2007

સરસ્વતીદેવી (જ. 1912, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1980) : સંગીત-નિર્દેશિકા. હિંદી ચલચિત્રોનાં પ્રથમ મહિલા સંગીતકાર સરસ્વતીદેવીનું ખરું નામ ખુરશીદ મિનોચા હોમજી હતું. ચલચિત્રોમાં પોતાના સમાજની મહિલા સંગીત આપે તે પારસી સમાજ સહન કરી શકે તેમ નહોતો. તેમ છતાં તમામ વિરોધોનો સામનો કરીને સંગીત પ્રત્યે સમર્પિત સરસ્વતીદેવીએ પોતાની સંગીતસાધના જારી રાખી.…

વધુ વાંચો >