શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann)

શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann) (જ. 20 જાન્યુઆરી 1585, ગ્રુન્હેઇન (Grunhain), સેક્સોની, જર્મની; અ. 19 નવેમ્બર 1630, લાઇપઝિગ, જર્મની) : જર્મન સંગીત-નિયોજક. ઇટાલિયન બરોક શૈલીનો જર્મનીમાં પ્રસાર કરવામાં શુટ્ઝ (Schütz) અને પ્રાટોરિયસ (Praetorius) સાથે તેનો પણ મહત્વનો ફાળો છે. શીન સાત વરસનો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામેલા. પિતા…

વધુ વાંચો >

શીમળો

શીમળો : દ્વિદળી વર્ગના બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Salmalia malabarica (DC.) Schott & Endl. Bombax ceiba Linn. syn. B. malabaricum DC; Gossampinus malabarica (DC.) Merr. (સં. શાલ્મલી, મ. સાવરી; હિં. સેમલ; બં. સિમુલ; ક. વુરલ એલન, યવલત દમર, યેલવડા; તે. રૂગચેટુ, બુરુંગા; તા. ઇલાવુ, શાનમલી; મલ. મલ્લિલંબુ;…

વધુ વાંચો >

શીરડી

શીરડી : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં આવેલું ધાર્મિક સ્થળ. ભૌગોલિક સ્થાન : 19° 53´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે. તેની ઉત્તરે કોપરગાંવ, પૂર્વે પુનામ્બા અને નૈર્ઋત્યે તળેગાંવ શહેરો આવેલાં છે. શીરડીની પૂર્વે પસાર થતી ગોદાવરી નદીએ ફળદ્રૂપ મેદાની જમીનોની રચના કરી છે. ‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતા…

વધુ વાંચો >

શીરાઝ (Shiraz)

શીરાઝ (Shiraz) : દક્ષિણ ઈરાનનું શહેર. ભૌગોલિક સ્થાન : 29°  36´ ઉ. અ. અને 52° 32´ પૂ. રે.. તે ઈરાનના અખાત પરના બુશાયરથી ઈશાનમાં 274 કિમી.ને અંતરે તથા પર્સિપોલિસનાં ખંડિયેરોથી 48 કિમી.ને અંતરે આવેલું છે. આ શહેર 1,560 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને ઠંડી રહે છે. શીરાઝ…

વધુ વાંચો >

શીરાઝ ચિત્રશૈલી

શીરાઝ ચિત્રશૈલી (14મી સદીથી 16મી સદી) : ઈરાનમાં પ્રાચીન પર્સિપોલિસ નગરનાં ખંડેરો નજીક આવેલ નગર શીરાઝની ચિત્રશૈલી. મૉંગોલ ખાન રાજવંશ દરમિયાન આ ચિત્રશૈલીનો પ્રારંભ થયેલો. કવિ ફિરદોસીના કાવ્ય ‘શાહનામા’ માટે પોલો રમી રહેલા શાહજાદા સેવાયુશને આલેખતું ચિત્ર આ ચિત્રશૈલીની પ્રથમ કૃતિ ગણાય છે. તેમાં લયાત્મક સુંદર રેખાઓ અને રંગો ભરીને…

વધુ વાંચો >

શીરાઝી, મીર ફતહુલ્લાહ

શીરાઝી, મીર ફતહુલ્લાહ (અ. 1588, કાશ્મીર) : સોળમા શતકના ભારતના એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ધર્મપુરુષ, રાજપુરુષ, વૈજ્ઞાનિક તથા લેખક. તેમણે મુઘલ શહેનશાહ અકબર તથા તેના મહાન દરબારીઓ અબુલફઝલ, ટોડરમલ જેવાને પોતાની બુદ્ધિ તથા પોતાના વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત કર્યા હતા અને તેમણે એક વખત નવરોઝના તહેવાર નિમિત્તે અકબરી દરબારમાં વૈજ્ઞાનિક પ્રદર્શન…

વધુ વાંચો >

શીલગુણસૂરિ

શીલગુણસૂરિ (ઈસુની 8મી સદી) : વનવૃક્ષ પર બાંધેલી ઝોળીમાં અદ્ભુત લક્ષણવાળા બાળકને જોઈને, તેને વનરાજ નામ આપી, જીવનનિર્વાહની વ્યવસ્થા કરનાર જૈન આચાર્ય. જૈન પ્રબંધો મુજબ વનરાજનું બાળપણ વઢિયાર પ્રદેશના પંચાસર ગામમાં વીત્યું હતું. ત્યાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ તે શિશુને જોયો. તેનામાં તેમને અદ્ભુત લક્ષણો  જણાયાં. તેથી લાકડાં વીણતી તેની…

વધુ વાંચો >

શીલાઇટ (Scheelite)

શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001)…

વધુ વાંચો >

શીલાદિત્ય-1

શીલાદિત્ય-1 (રાજ્યકાલ ઈ. સ. 595થી 612) : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલ વલભીના મૈત્રક રાજકુલનો પરાક્રમી અને વિદ્વાન શાસક. તે મહારાજ ધરસેન 2જાનો પુત્ર હતો. તેનાં 13 દાનશાસન મળ્યાં છે. તેણે વલભીના શાસક થતાં અગાઉ સહ્ય પ્રદેશ પર સામંત તરીકે શાસન કર્યું હતું. તે મહત્ત્વાકાંક્ષી હતો અને યશસ્વી પરાક્રમો વડે તેણે…

વધુ વાંચો >

શીલાદિત્ય-7

શીલાદિત્ય-7 (શાસનકાળ આશરે ઈ. સ. 760-788) : વલભીના મૈત્રક વંશનો છેલ્લો રાજા. તે શિલાદિત્ય 6ઠ્ઠાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. તે ઈ. સ. 760માં ગાદીએ બેઠો. તે ‘ધ્રુવભટ’ અથવા ‘ધ્રૂભટ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઈ. સ. 766માં આનંદપુર(વડનગર)ના એક બ્રાહ્મણને ખેટક (ખેડા) વિભાગનું ગામ દાનમાં આપ્યું હતું. તેનું મૂળ નામ…

વધુ વાંચો >

શુક્લ, શિવકુમાર

Jan 18, 2006

શુક્લ, શિવકુમાર (જ. 12 જુલાઈ 1918, ગોંડલ, સૌરાષ્ટ્ર, ગુજરાત; અ. ?, વડોદરા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના ગાયક. માતાપિતાના સંગીતપ્રેમથી પ્રેરાઈને તેઓ આ કલાપ્રકાર તરફ વળ્યા. તેમની કલાસૂઝ અને ઉત્કંઠા પારખીને તેમના પિતાએ તેમને સંગીતના વધુ અભ્યાસાર્થે મુંબઈ મોકલ્યા. 1932માં તેઓએ મુંબઈના મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલયમાં જોડાઈને બાબુરાવ ગોખલે…

વધુ વાંચો >

શુક્લ, શ્રીલાલ

Jan 18, 2006

શુક્લ, શ્રીલાલ (જ. 31 ડિસેમ્બર 1925, આતરોલી, જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે શિક્ષણ લખનૌ, કાનપુર અને અલ્લાહાબાદમાં મેળવ્યું. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1950માં તેઓ રાજ્ય મુલકી સેવામાં જોડાયા. છેલ્લે કાનપુર ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે સેવાનિવૃત્ત થયા. તેમને તેમની શ્રેષ્ઠ અદ્યતન નવલકથા ‘રાગ દરબારી’ (1968)…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

Jan 18, 2006

શુક્લ, સી. પી. (જ. 1 નવેમ્બર 1922, ભુજ, કચ્છ) : ગુજરાત રાજ્યમાં ‘ચરક ચતુરાનન’ અને ‘વૈદ્યશિરોમણિ’ તરીકે આયુર્વેદના ખ્યાતનામ પ્રાધ્યાપક તથા આચાર્ય. પૂરું નામ ચંદ્રકાંત પ્રભુદાસ શુક્લ. તેમનો જન્મ વૈદ્ય શાસ્ત્રી અને કર્મકાંડી પ્રભુશંકર દેવશંકર શુક્લના ઘેર થયેલો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યા બાદ પાટણની શ્રી ઉજમશી…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

Jan 18, 2006

શુક્લ, સી. પી. (જ. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; અ. 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ…

વધુ વાંચો >

શુચીન્દ્રમ

Jan 18, 2006

શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા…

વધુ વાંચો >

શુજાતખાન

Jan 18, 2006

શુજાતખાન (જ. ?; અ. 1701) : ગુજરાતનો મુઘલ કાલનો સૂબેદાર. તેમણે 1685થી 1701 સુધી ગુજરાતના સૂબા તરીકે કામ કર્યું. ગુજરાતના સૂબા મુખતારખાનનું અવસાન થતાં બાદશાહ ઔરંગઝેબે સૂરતના સૂબા કારતલબખાનને 1685માં ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનવાથી ઔરંગઝેબે 1687માં ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત…

વધુ વાંચો >

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics)

Jan 18, 2006

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics) : દળ કે બળના સંદર્ભ વિના થતી પદાર્થની ગતિ માટેના ગતિવિજ્ઞાનની એક શાખા. તેમાં પ્રયોજિત બળને લક્ષમાં રાખ્યા સિવાય પદાર્થની ગતિનું ગણિતીય વર્ણન કરવામાં આવે છે. તેમાં સ્થાન, પથ, સમય, વેગ અને પ્રવેગ જેવી રાશિઓ મુખ્ય ભાગ ભજવતી હોય છે અમુક સમયગાળામાં પદાર્થ તેનું સ્થાન બદલતો હોય…

વધુ વાંચો >