શાહ, શાન્તિ

શાહ, શાન્તિ (જ. 1922; અ. 1994, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ચિત્રકાર અને કટારલેખક. શાલેય અભ્યાસ કર્યા બાદ થોડો સમય રવિશંકર રાવળ તેમજ રસિકલાલ પરીખ હેઠળ કલાભ્યાસ કર્યો. રસિકલાલ પરીખે તેમને કલાના વધુ અભ્યાસ માટે ચેન્નાઈ મોકલી આપ્યા. ચેન્નાઈ ખાતેની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં પ્રસિદ્ધ શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધુરી પાસે…

વધુ વાંચો >

શાહ, શાંતિલાલ અમૃતલાલ

શાહ, શાંતિલાલ અમૃતલાલ (જ. 13 જાન્યુઆરી 1920; અ. 27 ફેબ્રુઆરી 2006, અમદાવાદ) : ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તંત્રી. વ્યાવસાયિક કારકિર્દી જાહેરખબરની એજન્સીથી શરૂ કરનાર શાંતિલાલ શાહે પત્રકારત્વ અને પ્રકાશનગૃહના એક સંચાલકની ભારોભાર ક્ષમતા દાખવી છે. અમદાવાદના રેલવે સ્ટેશન પાસે આવેલા રેવડી બજાર વિસ્તારમાં આવેલું ‘ગુજરાત સમાચાર’ કાર્યાલય ખાનપુર વિસ્તારમાં 1950માં નવા…

વધુ વાંચો >

શાહ, શ્રીકાંત

શાહ, શ્રીકાંત (જ. 29 ડિસેમ્બર 1936, બાંટવા, સૌરાષ્ટ્ર) : ગુજરાતીમાં ઍબ્સર્ડ નાટકોના જાણીતા લેખક તથા કવિ. પિતા વલ્લભદાસ કાપડનો વ્યાપાર કરતા. માતાનું નામ વસંતબહેન. સમગ્ર શિક્ષણ સૌરાષ્ટ્રમાં. 1959માં ડી. કે. વી. કૉલેજ, જામનગરથી મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1962માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પદવી મેળવી. અનુસ્નાતક સ્તરે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિષયમાં…

વધુ વાંચો >

શાહ, સાબિત અલી

શાહ, સાબિત અલી (જ. 1740, મુલતાન, હાલ પાકિસ્તાન; અ. 1810) : સિંધી કવિ. તેઓ શિયા પંથના મુસ્લિમ હતા અને પોતાને જફ્ફાર સાદિકના અનુયાયી – જાફ્ફરી તરીકે ઓળખાવતા હતા. તેમણે જુદા જુદા મૌલવીઓ પાસેથી શિક્ષણ લીધું હતું. સાહિત્યિક અભ્યાસ સૈયદ ચિરાગસાહેબ પાસે કર્યો. જ્યારે મૌલવી મદારસાહેબની પ્રેરણાથી કાવ્યસર્જન કર્યું. તેઓ મૂળ…

વધુ વાંચો >

શાહ, સુભાષ રસિકલાલ

શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી…

વધુ વાંચો >

શાહ, સુમન્ત

શાહ, સુમન્ત (જ. 8 ઑગસ્ટ 1933, ચામારા, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1958માં ચિત્રકલાની સ્નાતક પદવી તથા 1961માં ચિત્રકલાની અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી. ભારત સરકારે 1959થી ’61 સુધી ચિત્રકલામાં સંશોધન માટે તેમને રિસર્ચ ફેલોશિપ આપેલી. કારકિર્દીનો પ્રારંભ તેમણે…

વધુ વાંચો >

શાહ, સોમાલાલ

શાહ, સોમાલાલ (જ. 14 ફેબ્રુઆરી 1905, કપડવણજ, ખેડા જિલ્લો, ગુજરાત; અ. 1994, અમદાવાદ) : ગુજરાતની અસ્મિતાને ચિત્રફલક ઉપર બંગાળ-શૈલીમાં રંગો અને રેખાઓ વડે તાદૃશ કરનાર પ્રસિદ્ધ ચિત્રકાર. 186 સેમી. (છ ફૂટ અઢી ઇંચની) ઊંચાઈ ધરાવતો કદાવર દેહ અને કાળી ડિબાંગ ત્વચા ધરાવનાર આ ચિત્રકાર સોમાલાલે ગુજરાતના ગ્રામસમાજનું અત્યંત સાચુકલું આલેખન…

વધુ વાંચો >

શાહ, હકુ વજુભાઈ

શાહ, હકુ વજુભાઈ (જ. 26 માર્ચ 1934, વાલોડ, દક્ષિણ ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર તથા ગુજરાતના આદિવાસી-લોક, જનજીવન અને તેમની કલાના ઉપાસક-સંશોધક. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં તેમનો જન્મ અને ઉછેર. પિતા જમીનમાલિક હતા અને આદિવાસીઓ તેમના કામદાર હતા. આદિવાસી કલા અને સંસ્કૃતિની ગરિમા હકુભાઈને નાનપણથી જ સમજાઈ ગયેલી અને…

વધુ વાંચો >

શાહ, હરકાન્ત

શાહ, હરકાન્ત (જ. 1925, અમદાવાદ; અ. 5 મે 1994, મુંબઈ) : 1950 અને 1960ના દાયકા દરમિયાન ગુજરાતી રંગભૂમિ પર સતત છવાયેલા રહેલા એક અગ્રણી અભિનેતા, સબળ દિગ્દર્શક અને કુશળ નિર્માતા. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન ‘શાહજહાં’ નાટકમાં દારાની ભૂમિકા ભજવી રંગમંચ પર પદાર્પણ કર્યું. પછી રાષ્ટ્રીય યુવક મંડળના ઉપક્રમે ‘મેવાડ…

વધુ વાંચો >

શાહ, હાતિમ

શાહ, હાતિમ (જ. 1691, દિલ્હી; અ. 1787, દિલ્હી) : ઉર્દૂ કવિ અને સંત. તેમનું ખરું નામ શેખ જહુર-ઉદ્-દીન ફતેહ-ઉદ્-દીન હતું. ‘હાતિમ’ તેમનું તખલ્લુસ છે. તેથી તેઓ ‘શાહ હાતિમ’ના નામથી વધુ જાણીતા હતા. તેઓ સાધનસંપન્ન પરિવારમાં જન્મ્યા હોવાથી યુવાનીમાં તેમણે વૈભવી જીવન ગુજાર્યું. તેઓ દિલ્હી દરબારના અમીર મલિકખાનના ધંધાદારી સૈનિક હતા…

વધુ વાંચો >

શાંખાયન બ્રાહ્મણ

Jan 13, 2006

શાંખાયન બ્રાહ્મણ : જુઓ વૈદિક સાહિત્ય.

વધુ વાંચો >

શાંખાયન શ્રૌતસૂત્ર

Jan 13, 2006

શાંખાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

શાંખાયન સંહિતા

Jan 13, 2006

શાંખાયન સંહિતા : જુઓ ઋગ્વેદ.

વધુ વાંચો >

શાંઘાઈ (Shanghai)

Jan 13, 2006

શાંઘાઈ (Shanghai) : ચીનનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 10´ ઉ. અ. અને 121° 30´ પૂ. રે.. તે ચીનના જિયાનસુ પ્રાંતમાં હુઆંગપુ અને વુસાંગ નદીઓના સંગમસ્થળે આવેલું એક બંદર છે. તે ચાંગ જિયાંગની નદીનાળથી આશરે 24 કિમી. અંદર તરફ વસેલું છે. પૂર્વ ચીની સમુદ્ર પરના આ સ્થળના જળમાર્ગ…

વધુ વાંચો >

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત

Jan 13, 2006

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત (જ. 15 ફેબ્રુઆરી 1927, શિખરપુર, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સંસ્કૃત કવિ અને લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી., આચાર્યની પદવી તથા એમ.બી.બી.એસ.(હોમિયોપથી)ની પદવી મેળવી. તેઓ નેતાજી કૉલેજ, ઉલ્હાસનગરમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધુ એજ્યુકેશન સોસાયટી, ઉલ્હાસનગરના સેક્રેટરી, મહારાષ્ટ્ર સર્વદેશીય સંસ્કૃત સમન્વય સમિતિના વાઇસ પ્રિન્સિપાલ રહ્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

શાંત કોલાહલ

Jan 13, 2006

શાંત કોલાહલ (1962) : ગુજરાતના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા કવિ રાજેન્દ્ર શાહ(જ. 1913)નો ‘ધ્વનિ’ પછીનો બીજો કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમ વાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતર્મુખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમના નાભિકેન્દ્રમાંથી…

વધુ વાંચો >

શાંતતા કોર્ટ ચાલુ આહે

Jan 13, 2006

શાંતતા કોર્ટ ચાલુ આહે (1968) : ભારતપ્રસિદ્ધ મરાઠી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર વિજય તેંડુલકરનું પ્રસિદ્ધ નાટક. તેના દિગ્દર્શક અરવિંદ દેશપાંડેના કહેવાથી રંગાયન માટે તેમણે આ નાટકની રચના કરી. સુલભા દેશપાંડેએ તેમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બીજે જ વર્ષે સત્યદેવ દૂબેએ તેને હિંદીમાં રજૂ કર્યું, જ્યારે રાજ્ય નાટ્યસ્પર્ધામાં અભિનય અને…

વધુ વાંચો >

શાંતનુ

Jan 13, 2006

શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની…

વધુ વાંચો >

શાંત, રતનલાલ

Jan 13, 2006

શાંત, રતનલાલ (જ. 14 મે 1938, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.; ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. તેમણે સતત 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને કાશ્મીર યુનિવર્સિટીમાં ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહ્યા; કાશ્મીરી ભાષા અને સંસ્કૃત…

વધુ વાંચો >

શાંતિદેવ (સાતમી સદી)

Jan 13, 2006

શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…

વધુ વાંચો >