૧૩.૦૨

બચ્ચન અમિતાભથી બદાયૂની શકીલ

બચ્ચન, અમિતાભ

બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. તેણે રેડિયો ઉપર પ્રવક્તા તરીકે પણ કામ કર્યું હતું. કલકત્તાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી.…

વધુ વાંચો >

બચ્ચન, જયા

બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી…

વધુ વાંચો >

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ (જ. 1907, પ્રયાગ) : પ્રસિદ્ધ હિંદી કવિ. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રયાગમાં તથા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં. કેમ્બ્રિજમાં તેમના સંશોધનનો વિષય હતો અંગ્રેજી કવિ યેટ્સ. એના પરનો એમનો ગ્રંથ ખૂબ વખણાયો. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા; ત્યારપછી થોડોક સમય આકાશવાણી સાથે રહ્યા. તે પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના…

વધુ વાંચો >

બજાજ, કમલનયન

બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને…

વધુ વાંચો >

બજાજ, જમનાલાલ

બજાજ, જમનાલાલ (જ. 4 નવેમ્બર 1889, કાસીનો વાસ, સિકર, જયપુર રાજ્ય; અ. 11 ફેબ્રુઆરી 1942, વર્ધા) :  પ્રખર ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્યસેનાની. જન્મ સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાં થયો હતો. પિતાનું નામ કાનીરામ અને માતાનું નામ બિરદીબાઈ. ચાર વર્ષની વયે પિતાના એક અપુત્ર સગા શેઠ વછરાજે તેમને દત્તક લીધા હતા. દત્તકવિધિના…

વધુ વાંચો >

બજાજ, જાનકીદેવી

બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો…

વધુ વાંચો >

બજાજ, રાહુલ

બજાજ, રાહુલ (જ. 10 જૂન 1938, કલકત્તા) : અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ. સ્વાતંત્ર્ય-સંગ્રામ અને દેશસેવા સાથે આજીવન સંકળાયેલા જમનાલાલ બજાજના પૌત્ર અને કમલનયનના પુત્ર. તેમની માતાનું નામ સાવિત્રીદેવી. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. અને એમ.બી.એ.(હાર્વર્ડ)ની ડિગ્રીઓ મેળવીને રાહુલ ઉદ્યોગક્ષેત્રે જોડાયા અને ટૂંકસમયમાં બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર થયા. બીજી અનેક કંપનીઓ…

વધુ વાંચો >

બજાણિયો

બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે : ‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ; લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’ ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા…

વધુ વાંચો >

બજાર

બજાર : સામાન્ય રીતે જ્યાં વસ્તુ અથવા વસ્તુઓનું વેચાણ અને ખરીદી થતી હોય તે સ્થળ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છે ખરીદનાર (ગ્રાહક) અને વેચાણ કરનાર(વિક્રેતા/ઉત્પાદક)ને વસ્તુ/સેવાના વિનિમય માટે એકબીજાના સંપર્કમાં લાવનાર તંત્ર અથવા વ્યવસ્થા. આ અર્થમાં બજારને કોઈ નિશ્ચિત સ્થાન હોવું જરૂરી નથી. વિનિમય માટે પરસ્પર સીધી અથવા પરોક્ષ રીતે…

વધુ વાંચો >

બજાર-ક્ષેત્રવિભાજન

બજાર-ક્ષેત્રવિભાજન (market-segmentation) : ઉત્પાદિત માલના વેચાણ તરફના ગ્રાહકોના પ્રતિભાવને લક્ષમાં રાખીને તેમનું સમાન લક્ષણોવાળાં જૂથોમાં કરવામાં આવતું વિભાજન. ‘બજાર’ શબ્દ ખરીદનાર અને વેચનાર વચ્ચેનાં પરસ્પર વિરુદ્ધ હિતોનો મેળ પાડીને સોદો થાય તે માટેની બધી પ્રક્રિયાઓ સૂચવે છે. આ પ્રક્રિયાઓમાં મોટા- ભાગે ઉત્પાદકો, વચેટિયાઓ અને ગ્રાહકો ભાગ લેતા હોય છે. ગ્રાહકો…

વધુ વાંચો >

બડોંદેકર, લક્ષ્મીબાઈ

Jan 2, 2000

બડોંદેકર, લક્ષ્મીબાઈ (જ. 1902, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. ) : મહારાષ્ટ્રનાં શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા. એમનું મૂળ નામ લક્ષ્મીબાઈ જાધવ. એમની માતાનું નામ યશોદાબાઈ, પિતાનું નામ પરશુરામ. તેમણે ગાયન-સમ્રાટ અલ્લાદિયાખાનસાહેબના ભાઈ, ખાનસાહેબ હૈદરખાન પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી. 1922થી 1945 સુધી તેઓ વડોદરા-દરબારમાં દરબારી ગાયિકાના પદ પર રહ્યાં હતાં. ત્યારબાદ પોતાના…

વધુ વાંચો >

બડોંદેકર, હીરાબાઈ

Jan 2, 2000

બડોંદેકર, હીરાબાઈ (જ. 29 મે 1905, મીરજ; અ. 20 નવેમ્બર 1989) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતશૈલીનાં કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા. તેમનાં માતા તારાબાઈ પોતે એક સારાં ગાયિકા હતાં અને તેમના પરિવારમાં ત્રણ પેઢીઓથી સંગીતપરંપરાનો વારસો હતો. બાલ્યાવસ્થાથી જ સંગીત તરફ આકર્ષાઈને ત્રણ વર્ષની નાની ઉંમરથી જ પોતાના ભાઈ સુરેશબાબુ માને…

વધુ વાંચો >

બતક

Jan 2, 2000

બતક (duck) : જલાભેદ્ય પીંછાં, તરવા માટે આંગળી વચ્ચે પાતળી ચામડી (web) વડે સંધાયેલ પગ અને પ્રમાણમાં લાંબી ડોકવાળું જળચર પક્ષી. બતકનો સમાવેશ એન્સેરીફૉર્મિસ શ્રેણીના એનાટિડે કુળમાં થાય છે. બતક ઉપરાંત હંસ (goose) અને રાજહંસ (swan) પણ એનાટિડે કુળનાં પક્ષીઓ છે; પરંતુ પ્રમાણમાં બતકની ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી હોવા…

વધુ વાંચો >

બતકવેલ

Jan 2, 2000

બતકવેલ : જુઓ કીડામારી ; નોળવેલ

વધુ વાંચો >

બતેલો

Jan 2, 2000

બતેલો : એક પ્રકારનું વહાણ. તે સૂરતી વહાણ તરીકે જાણીતું છે. તે બેવડું તળિયું ધરાવે છે. સંસ્કૃત શબ્દો ‘દ્વિ’ એટલે બે અને ‘તલ’ એટલે તળિયું. ‘બેતલ’ ઉપરથી ‘બતેલો’ નામ બન્યું છે. આ વહાણની અત્રી સમાંતર હોય છે અને મોરો છેડેથી ભિડાય છે. આ વહાણ 80થી 100 ખાંડીનું હોય છે અને…

વધુ વાંચો >

બથિંડા

Jan 2, 2000

બથિંડા : જુઓ ભટિંડા

વધુ વાંચો >

બદનક્ષી

Jan 2, 2000

બદનક્ષી : અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર. કોઈ પણ વાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો, લખાણો કે નિશાનીઓનો તેમાં સમાવેશ થાય છે. હરેક વ્યક્તિને એની આબરૂ અક્ષત–અક્ષુણ્ણ રાખવાનો અબાધિત અધિકાર છે. આવો અધિકાર એ સર્વબંધક અધિકાર (right in rem) કહેવાય છે. વ્યક્તિ પોતે પોતાની…

વધુ વાંચો >

બદનામી દી છાન

Jan 2, 2000

બદનામી દી છાન (1973) : ડોગરી વાર્તાકાર રામનાથ શાસ્ત્રીનો વાર્તાસંગ્રહ. આમાં તેમની ઉત્તમ વાર્તાઓ પૈકી 6 વાર્તાનો સમાવેશ છે. પ્રસ્તાવનામાં શાસ્ત્રીએ કથાસાહિત્યમાં કલ્પના તથા ટેકનિકનું મહત્ત્વ આંક્યા પછી પ્રેરણાતત્ત્વને સૌથી મહત્ત્વનું લેખ્યું છે; આ વાર્તાઓને એવા પ્રેરણાતત્ત્વે જ જન્મ આપ્યો છે. ચોક્કસ ઉદ્દેશથી લખાયેલી તેમની વાર્તાઓમાં કોઈ વાદ કે વિચારસરણીના…

વધુ વાંચો >

બદરીનાથ

Jan 2, 2000

બદરીનાથ : હિમાલયના પ્રદેશમાં આવેલું ભારતનું પ્રાચીન અને વિખ્યાત તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 30° 45´ ઉ. અ. અને 79° 30´ પૂ. રે. તે ‘બદરીનારાયણ’, ‘બદરીધામ’, ‘બદરી વિશાલા’ જેવાં જુદાં જુદાં નામોથી પણ ઓળખાય છે. ઉત્તરપ્રદેશના ઉત્તરભાગમાં ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના જમણા કાંઠે સમુદ્રની સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર નારાયણ…

વધુ વાંચો >

બદરીનારાયણ

Jan 2, 2000

બદરીનારાયણ (જ. 22 જુલાઈ 1929, સિકંદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે બાલવાર્તાઓ અને બાલકાવ્યો પણ લખ્યાં છે. બદરીનારાયણનાં ચિત્રો રૈખિક હોવાથી ડ્રૉઇંગની ખૂબ નજીક હોય એવાં લાગે છે અને મોટેભાગે તેમાં કાળા અને સફેદ રંગો વપરાયા હોય છે. એમનાં આ ચિત્રો કલ્પનાપ્રધાન છે. તેમાં ઊડતાં પાંખાળાં ઘોડા, મનુષ્યો, જલકન્યાઓ, વાદળાં…

વધુ વાંચો >