૧૧.૧૩

પુકારથી પુરાતત્વ (ત્રૈમાસિક)

પુકાર

પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…

વધુ વાંચો >

પુખ્તવય

પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >

પુડુકોટ્ટાઈ

પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…

વધુ વાંચો >

પુડુવૈપ્પુ સંવત

પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

પુડોફકિન

પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુણે કરાર

પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…

વધુ વાંચો >

પુરાણી અંબાલાલ (અંબુભાઈ) બાલકૃષ્ણ

Jan 13, 1999

પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર…

વધુ વાંચો >

પુરાણી છોટાલાલ (છોટુભાઈ)

Jan 13, 1999

પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન…

વધુ વાંચો >

પુરાણીજી પારિતોષિક

Jan 13, 1999

પુરાણીજી પારિતોષિક : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને યોગની ગંગા વહાવનાર આનંદપુરુષ શ્રી અંબુભાઈ પુરાણીની સ્મૃતિમાં પૂ. શ્રી મોટા-પ્રેરિત સાહસ પારિતોષિક યોજના. ગુજરાતની પ્રજા જીવસટોસટનાં સાહસ-સેવાનાં કાર્યો પ્રત્યે અભિમુખ બને તથા યુવાવર્ગ અને જનતા આવાં સાહસ સાથે સંકળાયેલાં સેવાકાર્યો કરવા પ્રેરાય ને નીડર બને તે હેતુથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને ગુજરાતના…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

Jan 13, 1999

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >