૭.૦૪

ચલમથી ચંદ્રનગર

ચલમ

ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા…

વધુ વાંચો >

ચલાવયવતા (tautomerism)

ચલાવયવતા (tautomerism) : કાર્બનિક સંયોજનોના બંધારણીય સમઘટકોનું પ્રત્યાવર્તી અન્યોન્ય આંતરરૂપાંતર (reversible interconversion). આવાં રૂપાંતરણોમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં પ્રોટૉનનું સ્થાનફેર થતું હોવાથી તેને પ્રોટોટ્રૉપી કહે છે. ઍલાઇલિક, વૅગ્નર-મીરવાઇન વગેરે પ્રક્રિયાઓમાં ઋણાયન (anion) સ્થાનફેર થતો હોઈ તેને ઍનાયનોટ્રૉપી કહે છે. આ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ પરિવર્તનશીલ હોવાથી તે ચલાવયવી પુનર્વિન્યાસ કહેવાય છે. અગાઉ થૉર્પ…

વધુ વાંચો >

ચલાળા

ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ…

વધુ વાંચો >

ચલીહા, બિમલાપ્રસાદ

ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી;…

વધુ વાંચો >

ચલીહા, સૌરભકુમાર

ચલીહા, સૌરભકુમાર (જ. 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અસમ ઇજનેરી…

વધુ વાંચો >

ચવક

ચવક : આયુર્વેદિક ઔષધિ. સં. चविका, चव्य; હિં. चवक; લૅ. Piper chaba. ચવકમાં પીપરીમૂળ જેવા કફવાત-દોષશામક, પિત્તવર્ધક, દીપન, પાચન, વાતાનુલોમન, યકૃદુત્તેજક, કૃમિઘ્ન તથા હરસનાશક જેવા ખાસ ગુણ છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, ઝાડા, ઉદરરોગ, કિડની(વૃક્ક)ના રોગો, ઉધરસ, શ્વાસ, જૂની શરદી, જળોદર, ઊલટી, કફજ પ્રમેહ, મેદરોગ, સંગ્રહણી, ક્ષય તથા મદ્યવિકારને મટાડે…

વધુ વાંચો >

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ…

વધુ વાંચો >

ચશ્માં

ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો…

વધુ વાંચો >

ચહલ, યજુવેન્દ્રસિંહ

ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં…

વધુ વાંચો >

ચહેરાનો વિપત્તિકારક ચેપ

ચહેરાનો વિપત્તિકારક ચેપ : ચહેરા પર લાગતો જોખમી ચેપ. ચહેરામાં લોહીનું પરિભ્રમણ પુષ્કળ હોય છે. વળી નાકના ટેરવા અને હોઠોની આસપાસના ભાગમાંની શિરાઓ (veins) ચહેરાના સ્નાયુઓ તથા નેત્રકોટર(orbit)માંની નસો સાથે જોડાયેલી હોય છે અને તે દ્વારા ચહેરો ખોપરીની અંદર મગજની આસપાસ આવેલી શિરાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. મગજની નીચલી…

વધુ વાંચો >

ચંદ્ર (ભૂસ્તરીય)

Jan 4, 1996

ચંદ્ર (ભૂસ્તરીય) : સૂર્યમંડળમાં પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરતો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ. પૃથ્વી-ચંદ્રનો અન્યોન્ય સંબંધ ગુરુત્વાકર્ષણનો, ગતિવિષયક અને બંધારણીય છે. દિવસની લંબાઈ ચંદ્રના અસ્તિત્વને આભારી છે. એટલું જ નહિ; પરંતુ દિવસ અને ચાંદ્રમાસની લંબાઈમાં ભૂસ્તરીય કાળમાં થતા ગયેલા ફેરફારો પણ પૃથ્વીથી ચંદ્રના અંતર પર આધારિત રહ્યા છે. ચંદ્રની સપાટી પર રક્ષણ…

વધુ વાંચો >

ચંદ્રકલા (phases of moon)

Jan 4, 1996

ચંદ્રકલા (phases of moon) : ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણને કારણે, પૃથ્વી ઉપરથી ઓછાવત્તા પ્રમાણમાં દેખાતી ચંદ્રની પ્રકાશિત સપાટી. ચંદ્રનો પૃથ્વીની આસપાસના પરિભ્રમણનો સમય તથા તેની પોતાની ધરી ઉપરના પરિભ્રમણનો સમય, એ બંને એકસરખા હોવાને કારણે ચંદ્રની એક જ બાજુ હંમેશાં પૃથ્વી તરફ જણાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યકિરણો ચંદ્રના અર્ધગોળાકાર…

વધુ વાંચો >

ચંદ્રકલા રસ

Jan 4, 1996

ચંદ્રકલા રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારો, તામ્ર ભસ્મ અને અભ્રક ભસ્મ 10-10 ગ્રામ તથા શુદ્ધ ગંધક 20 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં સાથે લઈ, સારી રીતે ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી તેને નાગરમોથ, દાડમ, દૂર્વા, કેતકી, સહદેવી (ઉપલસરી), કુંવાર, પિત્તપાપડો મરવો અને શતાવરીના રસની વારાફરતી ભાવના આપી, દવા…

વધુ વાંચો >

ચંદ્રકાન્ત

Jan 4, 1996

ચંદ્રકાન્ત (1891) : વાર્તારૂપે સરળ અને રસપ્રદ ર્દષ્ટાન્તો દ્વારા વેદાન્ત તત્વજ્ઞાનની સમજૂતી આપતો હિંદુ ધર્મનો બૃહદ્ ગ્રંથ. કર્તા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). આ ગ્રંથના ત્રણ ભાગ છે. સમગ્ર વિષયનું વિભાજન નીચે મુજબ સાત પ્રવાહમાં કરવામાં આવ્યું છે : (1) પુરુષાર્થ : તેમાં સમયે સમયે ઊઠતા તરંગી સંશયોનું નિરાકરણ ગુરુશિષ્યસંવાદ રૂપે…

વધુ વાંચો >

ચંદ્રકાન્ત મણિ (moonstone)

Jan 4, 1996

ચંદ્રકાન્ત મણિ (moonstone) : ફેલ્સ્પાર વર્ગના ખનિજનો એક અર્ધકીમતી રત્નપ્રકાર. સામાન્ય રીતે પારદર્શક, ક્વચિત્ પારભાસક. ઑર્થોક્લેઝ, આલ્બાઇટ કે લેબ્રેડોરાઇટ જેવાં ફેલ્સ્પાર વર્ગનાં ખનિજ જ્યારે સુંદર, મૌક્તિક ચમકવાળાં હોય અને અનેકરંગિતાનો ગુણધર્મ ધરાવતાં હોય ત્યારે રત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. ચંદ્રકાન્ત મણિમાં જોવા મળતું વિશિષ્ટ સૌંદર્ય તેની આંતરિક સંરચનાને કારણે ઉત્પન્ન…

વધુ વાંચો >

ચંદ્રકાન્તા

Jan 4, 1996

ચંદ્રકાન્તા (1888) : હિંદી નવલકથાકાર દેવકીનંદન ખત્રીની પ્રથમ લોકપ્રિય નવલકથા. લોકરંજન એ આ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ છે. જે જમાનામાં વાચકો વાસ્તવિક જીવનની કટુતા ભૂલવા હળવી વાચનસામગ્રી માગતા હતા તે જમાનામાં આ નવલકથા લખાયેલી. તેથી તેને અપાર લોકપ્રિયતા મળેલી. હિંદી ન જાણનાર વાચકો અને તેમાં પણ ખાસ કરીને ઉર્દૂભાષી લોકો માત્ર…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત

Jan 4, 1996

ચંદ્રગુપ્ત : હિંદી સાહિત્યકાર જયશંકર પ્રસાદ (1889 (?)–1937) દ્વારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. પૂ. 321–297)ના જીવનમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને લખાયેલું જાણીતું નાટક. 4 અંકોના આ નાટકનું વિષયવસ્તુ ત્રણ મુખ્ય ઘટનાઓ પર આધારિત છે : (1) અલક્ષેન્દ્ર (ઍલિગઝાંડર – સિકંદર) દ્વારા ભારત પર આક્રમણ, (2) નંદકુળનું ઉન્મૂલન અને (3) અલક્ષેન્દ્રના…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (પહેલો)

Jan 4, 1996

ચંદ્રગુપ્ત (પહેલો) (શાસનકાળ : ઈ. સ. 319–335) : મહારાજા ઘટોત્કચનો પુત્ર અને ગુપ્ત વંશનો ત્રીજો રાજા. તેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું અને લિચ્છવી કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યું હતું. તે રાણી મહાદેવી કુમારદેવી તરીકે ઓળખાતી. તેનો પુત્ર (લિચ્છવી-દૌહિત્ર) સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પછી મહારાજાધિરાજ તરીકે સત્તા પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત અને…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (બીજો)

Jan 4, 1996

ચંદ્રગુપ્ત (બીજો) (શાસનકાળ : વિક્રમાદિત્ય 375–44) : ચંદ્રગુપ્ત (બીજા) તરીકે જાણીતો થયેલો સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો રાજવીપુત્ર. રાજકીય શાસનો અને મહોરો પર તેના માટે ‘तत्परिगृहीत’ શબ્દ વાપરેલો. તે ગુપ્ત સંવત 56(ઈ. સ. 376–377)માં ગાદીએ આવ્યો. તે દેવગુપ્ત, દેવશ્રી કે દેવરાજ ઉપરાંત ચંદ્રગુપ્ત તરીકે વધારે જાણીતો થયો. તેણે પોતાના રાજ્યને મહારાજ્યમાં ફેરવી…

વધુ વાંચો >

ચંદ્રગુપ્ત (ત્રીજો)

Jan 4, 1996

ચંદ્રગુપ્ત (ત્રીજો) : બુધગુપ્ત પછીનો ગુપ્ત શાસક. તેણે સોનાના વજનદાર સિક્કાઓ પડાવ્યા હતા. મંજુશ્રી મૂલકલ્પમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેવ (બુધગુપ્ત) પછી ચંદ્રગુપ્ત (ત્રીજો) ગાદીએ આવ્યો અને તે જાતે પણ માર્યો ગયો. ચંદ્રગુપ્ત (ત્રીજો) લગભગ ઈ. સ. 495માં ગાદીએ આવ્યો અને તેણે ત્રણચાર વર્ષ રાજ્ય કર્યું અને સંભવત: તે…

વધુ વાંચો >