ખંડ ૬(૧)

ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ

ક્રિયા

ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…

વધુ વાંચો >

ક્રિયા-વિભવ (action potential)

ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…

વધુ વાંચો >

ક્રિયાશીલ રંગકો

ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…

વધુ વાંચો >

ક્રિયાશીલ સમૂહો

ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…

વધુ વાંચો >

ક્રિયેટિનીન, સીરમ-સપાટી

ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…

વધુ વાંચો >

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો   ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…

વધુ વાંચો >

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…

વધુ વાંચો >

ક્રિસૅન્થમમ પ્રજાતિ

ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી

વધુ વાંચો >

ક્રિસ્ટલગ્રોથ

ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…

વધુ વાંચો >

ખુરશીદ અલીખાં

Jan 15, 1994

ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ…

વધુ વાંચો >

ખુરશેદજી અરદેશર

Jan 15, 1994

ખુરશેદજી અરદેશર : જુઓ વાડિયા અરદેશર ખુરશેદજી

વધુ વાંચો >

ખુરાસાની (અબૂ મુસ્લિમ)

Jan 15, 1994

ખુરાસાની (અબૂ મુસ્લિમ) (જ ?; અ. 755) : પૂર્વ ઈરાનના ખુરાસાન પ્રાંતમાં અબ્બાસીઓની રાજકીય ક્રાંતિની ચળવળના આગેવાન સેનાની. તે વંશે ઈરાની અને પંથે શિયા હતા. ઇમામ ઇબ્રાહીમ બિન મુહમ્મદે ઈ. સ. 746માં તેમને અબ્બાસીઓના શાસનપ્રાપ્તિ આંદોલનના સૂત્રધાર બનાવી ખુરાસાન પ્રાંતમાં મોકલ્યા હતા. તેમણે ઈ. સ. 747માં મર્વ શહેર પર કબજો…

વધુ વાંચો >

ખુરાસાની અજમો

Jan 15, 1994

ખુરાસાની અજમો : અં. Henbane; સં. यावनी. દ્વિબીજદલામાં યુક્તદલા Gamopetalaeના કુળ Solanaceaeની વનસ્પતિ. તેનાં સહસભ્યોમાં બેલાડોના, પ્રિયદર્શિની, તમાકુ, ધતૂરો વગેરે છે. તેનું લૅટિન નામ Hyocyamus niger L છે. તે ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતો નાનો સદા હરિત છોડ છે. ગૂંચળાવાળાં પરંતુ પહોળાં સાદાં સુગંધિત પાન હોય છે. પ્રકાંડ ઉપર બધી જ જગાએ…

વધુ વાંચો >

ખુલના

Jan 15, 1994

ખુલના : બાંગ્લાદેશના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ જિલ્લો અને તે જ નામનું મુખ્ય શહેર. ડિવિઝનનું ક્ષેત્રફળ 22,274 ચોકિમી. અને વસ્તી આશરે બે કરોડ (2020) જેટલી છે. ડિવિઝનમાં સિલ્હટ, કોમિલ્લા, નોઆખલી, ચિતાગોંગ, ચિતાગોંગનો પહાડી વિસ્તાર અને બંદારબન મળીને કુલ 15 જિલ્લા આવેલા છે. સમગ્ર પ્રદેશ હૂગલી અને મેઘના વચ્ચેના ગંગાના…

વધુ વાંચો >

‘ખુલ્લાં દ્વાર’ની નીતિ

Jan 15, 1994

‘ખુલ્લાં દ્વાર’ની નીતિ : જુઓ ચીન.

વધુ વાંચો >

ખુવારી

Jan 15, 1994

ખુવારી : યુદ્ધમાં સૈનિકો કે અધિકારીઓનાં મૃત્યુ, ઈજા, શત્રુ દ્વારા યુદ્ધકેદી તરીકે ધરપકડ અથવા બેપત્તા થવારૂપે થતી હાનિ. પરંતુ હવે યુદ્ધ દરમિયાન નાગરિકોનું મૃત્યુ થાય અથવા તેમને ઈજા થાય તો તેની પણ યુદ્ધની ખુવારીમાં ગણતરી થાય છે. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 39,36,590 જેટલી ખુવારી થઈ હતી. સ્વિટ્ઝર્લૅન્ડના એક વિદ્વાન ઝાં-જાક…

વધુ વાંચો >

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી)

Jan 15, 1994

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી) : ફારસી કવિ. મૂળ નામ બિંદ્રાબનદાસ. ઉપનામ ખુશગૂ. તેઓ હિન્દુધર્મી અને જ્ઞાતિએ વૈશ્ય તેમજ મથુરાના રહીશ હતા. તે ફારસીના પ્રસિદ્ધ કવિ અબ્દુલકાદિર બૈદિલ અને શેખ સઅદુલ્લા ગુલશનના ખાસ મિત્ર હતા. તે પ્રસિદ્ધ કવિ ખાન આરઝૂના અંતેવાસી હતા. ગુરુએ પોતાના પુસ્તક ‘મજ્મઉન્ન ફાઇસ’માં શિષ્ય ખુશગૂનો નોંધપાત્ર ઉલ્લેખ…

વધુ વાંચો >

ખુશવંતસિંગ

Jan 15, 1994

ખુશવંતસિંગ (જ. 2 ફેબ્રુઆરી 1915, હડાલી, પાકિસ્તાન; અ. 20 માર્ચ 2014, ન્યૂદિલ્હી) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને લેખક. પિતાનું નામ સર શોભાસિંગ અને માતાનું નામ લેડી વિરનબાઈ. ખુશવંતસિંગે લંડનમાં એલએલ.બી. અને બૅરિસ્ટર-ઍટ-લૉનું શિક્ષણ મેળવ્યા પછી 1939થી’ 47 સુધી લાહોર હાઈકોર્ટમાં વકીલાત કરી. દેશના ભાગલા પડ્યા પછી 1951 સુધી લંડન અને…

વધુ વાંચો >

ખુંદમીર

Jan 15, 1994

ખુંદમીર : અમદાવાદના મુસ્લિમ સંત. સૈયદ ખુંદમીરના વડવા ઈરાનથી પાટણ અને પાટણથી અમદાવાદ આવ્યા હતા. ઉરઝી સૈયદોમાં એમનું નામ ખૂબ જાણીતું છે. ઈ. સ. 1454માં ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને સૈયદ ખુંદમીર બિન સૈયદ વડા, બિન સૈયદ યાકુબની મા બીબીજી માટે અમદાવાદમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ હાલતા મિનારાવાળી મસ્જિદ રાજપુર-હીરપુરમાં બંધાવી હતી. તે…

વધુ વાંચો >