૨૪

સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક

સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar)

સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar) : ભાષાનાં કાર્યોને વર્ણવતી વ્યાકરણની એક શાખા. સામાન્ય અર્થમાં વ્યાકરણ એટલે ભાષાનાં કાર્યોનો અભ્યાસ. પરંપરાગત વ્યાકરણો કરતાં ભાષાવૈજ્ઞાનિક વર્ણનો–ભાષાનો અત્યંત ચોક્કસ અને તટસ્થ અભ્યાસ કરે છે. સંરચનાવાદી ભાષાવિજ્ઞાન અને રૂપાંતરણીય ભાષાવિજ્ઞાન આનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્તરવિન્યાસી વ્યાકરણ પણ ભાષાનાં કાર્યોને વર્ણવવાનો આવો જ એક પ્રયાસ છે.…

વધુ વાંચો >

સ્તરીકરણ

સ્તરીકરણ : વનસ્પતિસમાજ(plant community)માં થતા લંબવર્તી (vertical) ફેરફારો સાથે સંકળાયેલી ઘટના. તેના પ્રત્યેક સમક્ષિતિજીય (horizontal) વિભાગમાં વિશિષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. વનસ્પતિસમાજની ઉત્પત્તિ અને વિકાસ દરમિયાન સજીવો વચ્ચે વિશિષ્ટ પ્રકારના આંતરસંબંધો અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધો મુખ્યત્વે નિવાસસ્થાન અને ખોરાકને લગતા હોય છે. નિવાસ અને ખોરાક સંબંધે તે પ્રદેશની…

વધુ વાંચો >

સ્તરીય પ્રવાહ

સ્તરીય પ્રવાહ : સમાંતર સ્તરો રૂપે ગતિ કરતા તરલ(fluid)નો સ્થિર (steady) પ્રવાહ. નિશ્ચિત જાડાઈના સ્તરો એકબીજામાં ખાસ સંમિશ્રિત થયા સિવાય એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. અહીં દરેક સ્તરમાં રહેલા પ્રત્યેક તરલ કણનો વેગ એકસરખો હોય તેવું જરૂરી નથી. સીધી સમક્ષિતિજ નળીમાં તરલની ગતિમાં પ્રત્યેક સ્તરમાં કણોનો વેગ જ્યાં સુધી ક્રાંતિક…

વધુ વાંચો >

સ્તંભ

સ્તંભ : છતને ટેકવવા માટેની સ્થાપત્યકીય રચના. સ્તંભના મુખ્ય ત્રણ ભાગ હોય છે : કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી (capital). કુંભી સ્તંભનો પાયો છે, જ્યારે શિરાવટી સ્તંભનો શીર્ષભાગ એટલે કે ઉપરનો ભાગ છે. કુંભી અને શિરાવટી વચ્ચેનો ભાગ સ્તંભદંડ છે. ભારતીય પરંપરામાં સ્તંભનું રૂપવિધાન મંદિરના મંડોવર(ગર્ભગૃહની બહારની દીવાલ)ના રૂપવિધાન…

વધુ વાંચો >

સ્તંભતીર્થ

સ્તંભતીર્થ : હાલના આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નગર. સ્કંદપુરાણના માહેશ્વર ખંડના કૌમારિકા ખંડમાં ‘સ્તંભતીર્થ’, ‘સ્તંભપુર’ અને ‘સ્તંભેશ્વરતીર્થ’ – આ ત્રણ નામ તેને માટે આપ્યાં છે. આ તીર્થ મહીસાગર-સંગમ-ક્ષેત્રમાં આવેલું જણાવ્યું છે. આ નગર ‘ખંભાતખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી’ – આ બધાં નામોથી પ્રખ્યાત હતું. અભિલેખોમાં ઉત્તર સોલંકી કાલમાં…

વધુ વાંચો >

સ્તંભનક

સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…

વધુ વાંચો >

સ્તંભન પાર્શ્વનાથ

સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…

વધુ વાંચો >

સ્તંભાકાર સંરચના

સ્તંભાકાર સંરચના : જુઓ સાંધા.

વધુ વાંચો >

સ્તૂપ

સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…

વધુ વાંચો >

સ્તૂપ બોરોબુદુર

સ્તૂપ બોરોબુદુર : જુઓ બોરોબુદુર.

વધુ વાંચો >

સોઇન્કા વોલ

Jan 1, 2009

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

Jan 1, 2009

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સોકોત્રા (Socotra)

Jan 1, 2009

સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…

વધુ વાંચો >

સૉક્રેટિસ

Jan 1, 2009

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

Jan 1, 2009

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

Jan 1, 2009

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

Jan 1, 2009

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

Jan 1, 2009

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

Jan 1, 2009

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

Jan 1, 2009

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >