ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સંવરણા

Jan 26, 2007

સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’…

વધુ વાંચો >

સંવર્ધન (સૂક્ષ્મજીવશાસ્ત્ર)

Jan 26, 2007

સંવર્ધન (સૂક્ષ્મજીવશાસ્ત્ર) : સજીવો, સજીવોની પેશીઓ અથવા તેમના કોષોને પ્રયોગશાળામાં યોગ્ય પોષણ તેમજ વાતાવરણ પૂરું પાડી, તેમની સંખ્યામાં વૃદ્ધિ તેમજ વિકાસ સાધવાની પદ્ધતિઓ. કોઈ પણ સજીવને જ્યારે સુયોગ્ય પોષણ તેમજ તે પોષણના પાચન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે, ત્યારે તેના કદ તેમજ તેની સંખ્યામાં વધારો થાય છે. કુદરતી અવસ્થામાં જ્યારે…

વધુ વાંચો >

સંવર્ધન અને વશ્યતા-કસોટી (culture and sensitivity test)

Jan 26, 2007

સંવર્ધન અને વશ્યતા–કસોટી (culture and sensitivity test) : જીવાણુઓને સંવર્ધન-માધ્યમ પર ઉછેરીને તેમની ઍન્ટિબાયૉટિક પરત્વેની ઔષધવશ્યતા (drug sensitivity) તપાસવી તે. જીવાણુઓના અભ્યાસ તથા તેમના દ્વારા થતા ચેપના નિદાન માટે આ ઉપયોગી પદ્ધતિ છે. તેની મદદથી જે તે ચેપ કરતા જીવાણુને ઓળખી શકાય છે તથા તેના પર કયું ઔષધ કારગત નીવડશે…

વધુ વાંચો >

સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV)

Jan 26, 2007

સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV) : ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રમોચન વાહન (Satellite Launch Vehicle  SLV-3)ની ક્ષમતા વધારીને તૈયાર કરવામાં આવેલું પ્રમોચક વાહન (Augmented Satellite Launch Vehicle  ASLV). ઉપગ્રહ પ્રમોચન વાહન (SLV3) 40 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. તેની સરખામણીમાં ‘સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન’…

વધુ વાંચો >

સંવલન (convolution)

Jan 26, 2007

સંવલન (convolution) : ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રના સંદર્ભમાં, બે વિધેયો(functions)ના ગુણાકારને સંકલ-પરિવર્ત-(integral transform)ના રૂપમાં વ્યક્ત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાને જર્મન ભાષાના શબ્દ ‘faltung’ (અર્થાx, ‘folding’) દ્વારા પણ ઓળખવામાં આવે છે. સંવલનની પ્રક્રિયા સમજવા માટે એક-પરિમાણી વિધેયો f(x)g(x)ને ધ્યાનમાં લઈએ. તે વિધેયોનો એક ખાસ પ્રકારનો ગુણાકાર f * g દ્વારા દર્શાવીએ અને…

વધુ વાંચો >

સંવહન-પ્રવાહો (Convection Currents)

Jan 26, 2007

સંવહન-પ્રવાહો (Convection Currents) : ભૂમધ્યાવરણના બંધારણમાં રહેલાં દ્રવ્યોની ગતિશીલતા. ભૂપૃષ્ઠમાં ઉદ્ભવતાં અને જોવા મળતાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો માટે ખંડીય પ્રવહન-ભૂતકતી સંચલન, સમુદ્રતળ-વિસ્તરણ તેમજ સંવહન-પ્રવાહો જેવી ઘટનાઓ કારણભૂત હોવાની એક આધુનિક વિચારધારા પ્રવર્તે છે. આ ત્રણેય ઘટનાઓનું સંકલન ‘નૂતન ભૂસંચલન સિદ્ધાંત’માં કરવામાં આવ્યું છે. 1920ના દાયકા દરમિયાન આર્થર હોમ્સે સૂચવ્યું કે…

વધુ વાંચો >

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators)

Jan 27, 2007

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators) : કૃત્રિમ શ્વસન તથા શ્વસનસહાય માટે વપરાતાં સાધનો. શ્વસનકો (ventilators) અને સંવાતકો (respirators) માનવજાતની લાંબા સમયથી ચાલી આવતી મૃત્યુ સામેની લડત માટેના પ્રયત્નોનો એક આધુનિક વિકલ્પ છે. જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હોય છે ત્યારે, વેન્ટિલેટરો અને રેસ્પિરેટરો સાચા સમયે…

વધુ વાંચો >

સંવાદ

Jan 27, 2007

સંવાદ : સામાન્ય અર્થમાં બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે, ખાસ કરીને નાટક કે નવલકથા આદિમાં થતી વાતચીત. સાહિત્યના એક સ્વરૂપ તરીકે તેમાં જુદા જુદા તાત્ત્વિક કે બૌદ્ધિક મતમતાંતરોનું કાળજીપૂર્વક નિરૂપણ કરાતું હોય છે. સિસિલાના તાલબદ્ધ કે લયને અનુસરનારા ગદ્યમાં લખાયેલ, મશ્કરીથી ભરપૂર સંવાદો ‘માઇમ’ સૌથી જૂના છે. સિરાક્યૂસના સોફ્રોને…

વધુ વાંચો >

સંવાદી અંતર્ભેદકો (concordant intrusions)

Jan 27, 2007

સંવાદી અંતર્ભેદકો (concordant intrusions) : પ્રાદેશિક સ્તરઅનુવર્તી વલણ મુજબનો અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોના સ્તર-નિર્દેશન(strike)ના વલણને અથવા પત્રબંધી સંરચનાને સમાંતર ગોઠવાય ત્યારે તેમને સંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં સિલ, લૅકોલિથ, લોપોલિથ, ફૅકોલિથ જેવાં અંતર્ભેદકોનો સમાવેશ…

વધુ વાંચો >

સંવૃદ્ધિકરણ સજ્જીકરણ

Jan 27, 2007

સંવૃદ્ધિકરણ સજ્જીકરણ : જુઓ અભિવૃદ્ધિ.

વધુ વાંચો >