ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >સલી, થૉમસ
સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું…
વધુ વાંચો >સલી પ્રુધોમ
સલી પ્રુધોમ (જ. 16 માર્ચ 1839, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1907, ચેતને, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. મૂળ નામ રૅને ફ્રાન્સ્વા આર્મેન્દ પ્રુધોમ. 1901ના સાહિત્યના સૌપ્રથમ નોબેલ પારિતોષિકવિજેતા. પિતાનું નામ સલી હતું અને તેમની અટક પ્રુધોમ હતી જે જોડીને તેમણે પોતાનું તખલ્લુસ સલી પ્રુધોમ રાખેલું. સાહિત્ય-જગતમાં તેઓ એ જ નામથી ઓળખાતા…
વધુ વાંચો >સલીમ, જાવેદ (Salim, Jawed)
સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક…
વધુ વાંચો >સલીમ-જાવેદ
સલીમ–જાવેદ (સલીમ : જ. 24 નવેમ્બર 1935, જાવેદ : જ. 17 જાન્યુઆરી 1945, ગ્વાલિયર) : ભારતીય પટકથાલેખકો. હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્ન બની જનારાં ચિત્રો ‘શોલે’ અને ‘દીવાર’ સહિત અનેક સફળ ચિત્રોની પટકથા લખનારી લેખક-બેલડી સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘સલીમ-જાવેદ’ તરીકે ખ્યાતિ પામી. અર્થસભર ચોટદાર સંવાદો, જકડી રાખે એવાં દૃશ્યો…
વધુ વાંચો >સલીમ શાહઝાદ
સલીમ શાહઝાદ (સલીમખાન ઇબ્રાહીમખાન) (જ. 1 જૂન 1949, ધૂલિયા, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂમાં એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન અને લેખનકાર્ય કર્યું. તેમણે અત્યારસુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દુઆ : પાર મુન્ટાશર’ (1981); ‘તઝકિયા’ (1987) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જદીદ શાયરી કી અબજાદ’ (1983);…
વધુ વાંચો >સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)
સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526) સલ્તનતનું વહીવટીતંત્ર : ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીનો રાજા ઈશ્વર છે. તેનો કાયદો સર્વોચ્ચ છે અને માણસ તેના વતી ફરજો બજાવે છે એમ દિલ્હીના સુલતાનોએ સ્વીકાર્યું હતું. પયગંબરસાહેબના અવસાન પછી આગેવાનોએ અબુ બક્રને ખલીફા તરીકે પસંદ કર્યા. દિલ્હીના સુલતાનોએ બગદાદના…
વધુ વાંચો >સલ્તનત ચિત્રકલા (1400થી 1600)
સલ્તનત ચિત્રકલા (1400થી 1600) : ભારતની પ્રાદેશિક મુસ્લિમ સલ્તનતોના આશ્રયે પાંગરેલી લઘુચિત્રકલા. 1206માં દિલ્હી ખાતે ભારતની પ્રથમ સલ્તનત કુત્બુદ્દીન ઐબક અને મહંમદ ઘોરીએ સ્થાપી. ત્યારપછી ત્રણ સૈકા સુધી ઉત્તર ભારતમાં ઘણી સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. જેમાંથી કેટલીક સલ્તનતોમાં લઘુચિત્રકલાને આશ્રય અને પોષણ મળ્યાં. ચિત્રકલાને પોષણ આપનાર પ્રથમ ભારતીય સલ્તનત…
વધુ વાંચો >સલ્દાન્હા
સલ્દાન્હા : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 17° 56´ પૂ. રે.. તે ટેબલના ઉપસાગરના વાયવ્યમાં 90 કિમી.ને અંતરે આવેલું, દક્ષિણ આફ્રિકાના આખાય કાંઠા પરનું એક ઉત્તમ કક્ષાનું બારું છે. સલ્દાન્હા આ વિસ્તારનું મુખ્ય મત્સ્યમથક છે. આ શહેરમાં પ્રક્રમિત માછલીઓને પૅક કરવાના…
વધુ વાંચો >સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર
સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર (જ. 9 જૂન 1925, ઑમઝૂર, મેર્મજાલ, દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કોંકણી લેખક. ‘ખંડાપ’, ‘કોંકણકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.; એમ.ડી.(એ.એમ.)ની પદવી મેળવી. પછી એમસીસી બૅંક લિ., મૅંગલોરના નિયામક તરીકે જોડાયા. 1950-58 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ‘પોઇન્નારી’ના સ્થાપક-સંપાદક; 1960-65 દરમિયાન મૅંગલોરમાંથી પ્રગટ થતા દૈનિક…
વધુ વાંચો >સલ્ફર (ગંધક, sulphur)
સલ્ફર (ગંધક, sulphur) : આવર્તક કોષ્ટક(periodic table)ના 16મા (અગાઉના VI) સમૂહનું ઑક્સિજનની નીચે આવેલું રાસાયણિક અધાતુ તત્ત્વ. સંજ્ઞા S. પ્રાગૈતિહાસિક કાળમાં તેનો ઉલ્લેખ બ્રિમસ્ટોન (સળગતો પથ્થર, brimstone) તરીકે મળે છે. ઉપસ્થિતિ (occurrence) : ગંધક મુખ્યત્વે સંયોજિત સ્વરૂપે મળી આવે છે. પૃથ્વીના પોપડા/ખડકોમાં તેનું પ્રમાણ 340 ppm (parts per million) (લગભગ…
વધુ વાંચો >