૧૬.૨૨

મેસોપોટેમિયન કલાથી મૈથિલી ભાષા અને સાહિત્ય

મેસોપોટેમિયન કલા

મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે. ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ.…

વધુ વાંચો >

મેસોપોટેમિયા

મેસોપોટેમિયા : જુઓ, ઇરાક.

વધુ વાંચો >

મેસોં, આન્દ્રે

મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા  હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની…

વધુ વાંચો >

મૅસ્ટિક

મૅસ્ટિક (Mastic અથવા Mastich) : મૅસ્ટિક વૃક્ષને કાપા પાડતાં તેમાંથી ઝરતું નરમ ઍરોમૅટિક રેઝિન. તે મુખ્યત્વે ધાતુઓ તથા ચિત્રકામોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પીળો વાર્નિશ બનાવવા વપરાય છે. અગાઉ તે ઘા ઉપર મલમપટ્ટા માટે પણ વપરાતું. ગરમ કરી ઘટ્ટ બનાવેલા અળસીના તેલ(linseed oil)ને મેગિલ્પ (megilp) કહે છે, જે રંગના માધ્યમ…

વધુ વાંચો >

મૅસ્ટ્રોવિક, ઇવાન

મૅસ્ટ્રોવિક, ઇવાન (જ. 15 ઑગસ્ટ, 1883, ક્રોએશિયા; અ. 16 જાન્યુઆરી 1962) : યુગોસ્લાવિયાના પ્રથમ આધુનિક શિલ્પી. 1902માં તેમણે વિયેના સેસેશન ગ્રૂપ સાથે પોતાનાં શિલ્પોનું પ્રદર્શન કર્યું. 1910માં તેઓ પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇંગ્લૅંડ તથા ફ્રાંસમાં પોતાનાં શિલ્પ પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુગોસ્લાવિયાની ઝાગ્રેબ એકૅડેમી ઑવ્ આર્ટના તેઓ…

વધુ વાંચો >

મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન

મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન (જ. 23 મે 1734, ઇઝનાન્ગઅમ બોડેન્સી, ઑસ્ટ્રિયા; અ. 5 માર્ચ 1815, મેસબર્ગ, ઑસ્ટ્રિયા) : ચિકિત્સાપદ્ધતિમાં સંમોહનવિદ્યા(mesmerism)નો ઉપયોગ કરનારા ચિકિત્સક, આ પદ્ધતિના આદ્યપ્રણેતા. વૈદકીય શાસ્ત્રમાં મનશ્ચિકિત્સાના ભાગ રૂપે સંમોહનપદ્ધતિનો ઉપચાર કરવામાં આવે છે. ચિકિત્સાનો આ પ્રકાર માનસિક રોગ સાથે સંકળાયેલા વ્યાધિઓની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સારવારપદ્ધતિના…

વધુ વાંચો >

મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ

મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ (જ. 1 એપ્રિલ 1908, બ્રુકલિન; અ. 8 જૂન 1970, કૅલિફૉર્નિયા) : અમેરિકન મનોવૈજ્ઞાનિક તથા માનવવાદી મનોવિજ્ઞાન(humanistic psychology)ના પ્રણેતા. તેઓ મનોવિજ્ઞાનના ક્ષેત્રે તેમના ‘પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત’ તથા ‘સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓ’ના વર્ણન માટે ખ્યાતિ પામેલા છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ – એ બે પ્રવાહો પ્રચલિત હતા ત્યારે માનવવાદી અભિગમનો…

વધુ વાંચો >

મેહદી નવાજ જંગ

મેહદી નવાજ જંગ (જ. 14 મે 1894, હૈદરાબાદ; અ. 28 જૂન 1967, હૈદરાબાદ) : ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અરબી-ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવારના સભ્ય. પિતા સૈયદ અબ્બાસસાહેબ. ત્રણ સો વર્ષ પૂર્વે ઈરાનથી દિલ્હી આવી વસેલા ખાનદાન અને ખમીરવંતા કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

મેહદી હસન

મેહદી હસન (જ. 1927, લુના, રાજસ્થાન; અ. 13 જૂન 2012, કરાંચી, પાકિસ્તાન) : વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક, સ્વરકાર અને પાર્શ્વગાયક. સદીઓથી પરંપરાગત સંગીતકળાને વરેલા પરિવારમાં જન્મ. ‘કલાવંત’ નામથી જાણીતી બનેલી સંગીત પરંપરાની સોળમી પેઢીના ઉત્તરાધિકારી. પિતાનું નામ આઝિમખાન, જેમની પાસેથી મેહદી હસને શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. તેમના કાકા ઉસ્તાદ ઇસ્માઇલખાન…

વધુ વાંચો >

મેહબૂબ ખાન

મેહબૂબ ખાન (જ. 7 સપ્ટેમ્બર 1906, બીલીમોરા, જિ. વલસાડ; અ. 28 મે 1964) : ‘મધર ઇન્ડિયા’ અને ‘રોટી’ જેવાં ચલચિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હિંદી ચલચિત્રોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ રમઝાનખાન. ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા મેહબૂબે ગામના મદરેસામાં થોડું ઘણું ઔપચારિક શિક્ષણ લીધું હતું. પણ તેમની પ્રગતિશીલ વિચારસરણી અને કિશોર…

વધુ વાંચો >

મૈત્રેય

Feb 22, 2002

મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા…

વધુ વાંચો >

મૈત્રેયી

Feb 22, 2002

મૈત્રેયી : વેદ અને ઉપનિષદોના સમયની બ્રહ્મવાદિની સ્ત્રી. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદુષી પત્ની હતી. મૈત્રેય ઋષિના કુળમાં જન્મેલી હોવાથી તેને મૈત્રેયી એવા નામથી ઓળખવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને પરણીને મૈત્રેયીએ સંસારનો અનુભવ સારી રીતે કર્યો. એ પછી જ્યારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવા તૈયાર થયા અને પોતાની મિલકતના બે ભાગ કરી પોતાની…

વધુ વાંચો >

મૈત્રેયીદેવી

Feb 22, 2002

મૈત્રેયીદેવી (જ. 1 સપ્ટેમ્બર 1914, કૉલકાતા; અ. 5 ફેબ્રુઆરી 1990) : બંગાળી કવયિત્રી, નવલકથાકાર અને રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણોનાં પ્રસિદ્ધ આલેખક. ભારતીય દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તનાં પુત્રી. બચપણથી જ પિતાના ટાગોર સાથેના સખ્યને લીધે મૈત્રેયીદેવી રવીન્દ્રનાથનાં સ્નેહભાજન બન્યાં હતાં. 16 વર્ષની વયે જ્યારે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (1929) પ્રગટ થયો…

વધુ વાંચો >

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ

Feb 22, 2002

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ : મહાગુર્જરીશૈલીનાં જોડાજોડ એકાંકી પ્રકારનાં ત્રણ મંદિરોનો સમૂહ. પ્રાક સોલંકીકાળનાં આ મંદિરો ગર્ભગૃહ અને મુખમંડપનાં બનેલાં છે. દરેકના ગર્ભગૃહનું તલ-આયોજન ત્રિ-રથ પ્રકારનું છે, એટલે કે દરેકનું તલમાન મધ્યમાં ભદ્ર-નિર્ગમ ધરાવે છે. આ ત્રણ મંદિરો છે. ત્રણેય મંદિરોની ઉભડક બાંધણીમાં સૌથી નીચે કલશાદિ થરોથી શોભતો વેદીબંધ અને…

વધુ વાંચો >

મૈથિલી ભાષા અને સાહિત્ય

Feb 22, 2002

મૈથિલી ભાષા અને સાહિત્ય : મૈથિલીએ એની પ્રાચીનતા તેમજ સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને કારણે છેલ્લી બે સદીઓથી વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. મૈથિલીને ‘અવહઠ્ઠ’, ‘મિથિલા અપભ્રંશ’ જેવી વિવિધ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. જ્યૉર્જ ગ્રિયર્સને ‘મૈથિલી’ નામ પ્રચારમાં આણ્યું. મૈથિલી ભારતીય-આર્ય ભાષાજૂથની છે અને તે લગભગ 1000 વર્ષથી પ્રવર્તે છે. જેમ મગહી, બંગાળી,…

વધુ વાંચો >