૧૪.૧૦

ભટ્ટ, ઉદયશંકરથી ભટ્ટિ

ભટ્ટ, હરિશ્ચંદ્ર ગૌરીશંકર

ભટ્ટ, હરિશ્ચંદ્ર ગૌરીશંકર : જુઓ મસ્તફકીર

વધુ વાંચો >

ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર

ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર (જ. 6 ડિસેમ્બર 1906 ઓલપાડ, સૂરત; અ. 18 મે 1950) : ગુજરાતી કવિ. વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યથી આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે. પિતા જે પેઢીમાં કામ…

વધુ વાંચો >

ભટ્ટ, હરિહર પ્રાણશંકર

ભટ્ટ, હરિહર પ્રાણશંકર (જ. 1 મે 1895, વેકરિયા, સૌરાષ્ટ્ર; અ. 10 માર્ચ 1978, અમદાવાદ) : ખગોળવિદ, સત્યાગ્રહી અને ગુજરાતી કવિ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા(મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. 1919–30 દરમિયાન સાબરમતી આશ્રમમાં સેવાકાર્ય કર્યું. વિરમગામ ટુકડી સાથે ધરાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસે…

વધુ વાંચો >

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા…

વધુ વાંચો >

ભટ્ટાચાર્જી, બિકાશ

ભટ્ટાચાર્જી, બિકાશ (જ. 21 જૂન 1940, કૉલકાતા) : ભારતના આધુનિક શૈલીના ચિત્રકાર. કૉલકાતાની ઇન્ડિયન કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ડ્રાફ્ટ્સમૅનશિપમાંથી ‘ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ’ મેળવ્યો. તેમણે સ્વાતંત્ર્યોત્તર બંગાળના ચિત્રકારોને નેતૃત્વ પૂરું પાડી તેમને યોગ્ય દિશાસૂચન આપ્યું છે. બિકાશનાં ચિત્રોની ભાષા વાસ્તવવાદી છે, છતાં તેમનું ર્દશ્યવિધાન વાસ્તવની પેલે પાર જવા મથે છે…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ (જ. 16 એપ્રિલ 1936) : વિખ્યાત સિતારવાદક. તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંના શિષ્ય અને જાણીતા ફિલ્મસંગીત-નિર્દેશક તિમિરબરનના પુત્ર છે. દસેક વર્ષની ઉંમરે તેમણે સિતારવાદનની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ પોતાના મોટા ભાઈ અમિયકાંત પાસે તાલીમ લીધા બાદ તેઓ પિતા સાથે મુંબઈ આવ્યા. ત્યારબાદ વિખ્યાત સંગીતકાર લક્ષ્મીશંકર અને રાજેન્દ્રશંકરની…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન

ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન (17મી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ સૂચવે છે તે મુજબ તેઓ બંગાળના વતની હતા. વળી ‘તર્કપંચાનન’ની તેમની ઉપાધિ તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાતા હશે તેમ સૂચવે છે; પરંતુ બંગાળના જાણીતા તાર્કિક જગદીશ તર્કાલંકારથી આ લેખક જુદા છે. તેઓ બંગાળના નદિયા (નવદ્વીપ)…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ (જ. 1877, રાનાઘાટ, જિ. નાદિયા, પશ્ચિમ બંગાળ; અ ?) : વિખ્યાત સિતારવાદક. પિતા વામાચરણ કુશળ વાદક હોવા ઉપરાંત વાદ્યનિર્માણકલાના નિષ્ણાત હતા. તેમણે મયૂરભંજ રિયાસતમાં વર્ષો સુધી સંગીતકાર તરીકે સેવાઓ આપી હતી. તેમણે તે જમાનાના વિખ્યાત વાદકો પાસેથી ગાયન અને વાદનની શિક્ષા પ્રાપ્ત કરી હતી. પુત્ર જિતેન્દ્રનાથને બાળપણથી જ…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જોતિન

ભટ્ટાચાર્ય, જોતિન (જ. 1 જાન્યુઆરી 1926, કાશી) : ભારતના વિખ્યાત સરોદવાદક. પિતા પંડિત દીનાનાથ મૂળ ફરીદપુર જિલ્લાના કોટાલીપાડા ગામના નિવાસી હતા; પરંતુ વીસ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિષ અને સંસ્કૃતના અધ્યયન માટે બનારસ આવીને રહ્યા, જ્યાં જોતિનનો જન્મ થયો હતો. તેમનું ઔપચારિક શિક્ષણ બનારસ ખાતે થયું હતું. સાથોસાથ સંગીતની શિક્ષા પણ…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, નલિનીધર

ભટ્ટાચાર્ય, નલિનીધર (જ. 1921, મેલેંગ, કઠગાંવ, જિ. જોરહટ, આસામ; અ. 1 સપ્ટેમ્બર 2016, ગુવાહાટી) : અસમિયા ભાષાના લેખક, વિવેચક. તેમને તેમના વિવેચનાત્મક ગ્રંથ ‘મહત ઐતિહ્ય’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1959માં અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત બંગાળી અને અંગ્રેજીનું જ્ઞાન…

વધુ વાંચો >

ભટ્ટ, ઉદયશંકર

Jan 10, 2001

ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી…

વધુ વાંચો >

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ

Jan 10, 2001

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…

વધુ વાંચો >

ભટ્ટ, ઊર્મિલા

Jan 10, 2001

ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…

વધુ વાંચો >

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી

Jan 10, 2001

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર.…

વધુ વાંચો >

ભટ્ટ, કૃષ્ણલાલ

Jan 10, 2001

ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…

વધુ વાંચો >

ભટ્ટ, ગણપતરામ રાજારામ

Jan 10, 2001

ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…

વધુ વાંચો >

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર

Jan 10, 2001

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…

વધુ વાંચો >

ભટ્ટ, ગિરીશ

Jan 10, 2001

ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી. મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ…

વધુ વાંચો >

ભટ્ટ, ગુણવંતરાય

Jan 10, 2001

ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…

વધુ વાંચો >

ભટ્ટ, ગોકુળભાઈ

Jan 10, 2001

ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ…

વધુ વાંચો >