Chemical engineering

અધિશોષણ

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ…

વધુ વાંચો >

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર : રાસાયણિક પ્રદૂષણની સ્વાસ્થ્ય ઉપરની અસર અટકાવવાનું તેમજ તેની સારવારનું કેન્દ્ર. સંશોધન માટે ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે નવેમ્બર 1965માં તેની સ્થાપના કરી હતી. તેના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) વ્યવસ્થિત આરોગ્ય સર્વેક્ષણ દ્વારા, ઉદ્યોગો અને ખેતરોમાં કામ કરતા કામદારોના આરોગ્યને…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી: જાદવપુર (કૉલકાતા) ખાતેની રાષ્ટ્રીય સંશોધનસંસ્થા. મૂળ 1935માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ નામથી ડૉ. જે. સી. રે (તેના સ્થાપક-નિયામક) અને તેમના દીર્ઘર્દષ્ટિવાળા સાથીદારોની પ્રેરણાથી સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થપાઈ હતી. 1956માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે તેનો હવાલો સંભાળતાં તેનું નવું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર…

વધુ વાંચો >

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ : જુઓ વીજધ્રુવ વિભવ

વધુ વાંચો >

કોપાલ

કોપાલ : કેટલાંક ઝાડના રસમાંથી મળી આવતાં કુદરતી રેઝિન. કોપાલના ઍસિડ આંક ડામરના કરતાં સામાન્ય રીતે વધારે હોય છે. જુદી જુદી જગ્યાના ઝાડમાંથી મળતા કોપાલને તે પ્રમાણે નામ આપેલાં છે, જેમ કે કૌરી કોપાલ, મનિલા કોપાલ, કાગો કોપાલ વગેરે. કૉંગો કોપાલ અગત્યનું રેઝિન છે. તેનો ઉપયોગ સૌપ્રથમ ફ્રા ફોર્ચ્યુનેટો ડી…

વધુ વાંચો >

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering)

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering) : જૈવિક (biological) અને જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓનાં  વિકાસ, રચના, પ્રક્રમો, નિયંત્રણ અને વિશ્લેષણનો અભ્યાસ. તે જૈવપ્રાવૈધિક (biotechnology) વિજ્ઞાન પણ કહેવાય છે. તે બહુશાખીય (multidisciplinary) વિદ્યાશાખા છે અને વૈજ્ઞાનિક તેમજ ઇજનેરી ક્ષેત્રની વિશાળ અભ્યાસસામગ્રીને આવરી લે છે. જૈનરસાયણશાસ્ત્ર (biochemistry), સૂક્ષ્મજીવાણુશાસ્ત્ર (microbiology) અને ઇજનેરી વિદ્યાશાખાના સુગ્રથિત વિનિયોગથી સૂક્ષ્મ…

વધુ વાંચો >

જૈવરાસાયણિક જનીનવિદ્યા

જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ…

વધુ વાંચો >

નાઇટ્રેશન

નાઇટ્રેશન : એક અથવા વધુ નાઇટ્રોસમૂહ (NO2) પ્રક્રિયક અણુમાં ઉમેરાઈને નાઇટ્રોસંયોજનો બનાવતી રાસાયણિક પ્રક્રિયા. આ નાઇટ્રોસમૂહ પ્રક્રિયામાં રહેલા કાર્બન, ઑક્સિજન કે નાઇટ્રોજન સાથે જોડાઈ અનુક્રમે નાઇટ્રો-પૅરેફિન/નાઇટ્રો ઍરોમૅટિક, એસ્ટર કે નાઇટ્રો-એમાઇન સંયોજનો બનાવે છે : –NO2 સમૂહનું ‘C’ સાથેનું જોડાણ ઉપર દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયામાં નાઇટ્રોસમૂહ હાઇડ્રોજન પરમાણુને ખસેડીને પ્રક્રિયક સાથે જોડાય…

વધુ વાંચો >

પ્રણોદકો (propellants)

પ્રણોદકો (propellants) : પૂર્વનિર્ધારિત, નિયંત્રિત માત્રામાં દહન પામી ગરમી તથા વાયુઓ ઉત્પન્ન કરવા દ્વારા પ્રણોદી (નોદક) (propulsive) હેતુઓ માટે ઉપયોગી ગતિજ ઊર્જા ઉત્પન્ન કરતાં રાસાયણિક ઇંધનો. પાત્રમાંના પદાર્થને વાયુવિલયો (aerosols) રૂપે બહાર ફેંકતા દાબિત (compressed) વાયુને પણ પ્રણોદક કહેવામાં આવે છે. પ્રણોદકનો મુખ્ય હેતુ સંયોજનના ખૂબ ઝડપી દહન દ્વારા પ્રતિ…

વધુ વાંચો >

પ્રવાહી-ઘન પ્રણાલી

પ્રવાહી-ઘન પ્રણાલી : જુદા જુદા તાપમાને અને દબાણે એકબીજા સાથે સમતોલનમાં રહેલી ઘન અને પ્રવાહી પ્રાવસ્થાનું બનેલું તંત્ર. ઘન અને પ્રવાહીના મિશ્રણને ગાળણ (filtration) દ્વારા આસાનીથી છૂટું પાડી શકાય છે. ગાળણમાં ગાળણ-માધ્યમ ઘન કણોને તેમાંથી પસાર થતાં રોકે છે. ગાળણનો દર વધારવા માટે માધ્યમની બંને બાજુઓમાં દબાણનો તફાવત ઉત્પન્ન કરવામાં…

વધુ વાંચો >