રમણીક શાહ

વંસ-સાહિત્ય

વંસ-સાહિત્ય : બૌદ્ધ ધર્મના જાણીતા ગ્રંથો. પાલિ ભાષામાં રચાયેલ વંસ(સં. વંશ)-સાહિત્ય બૌદ્ધોના ધાર્મિક સાહિત્યમાં એક વિશેષ સ્થાન અને મહત્વ ધરાવે છે. વંસ એટલે પરંપરા. વંસ-સાહિત્યમાં ભગવાન બુદ્ધની પરંપરા, તેમને અનુસરતા રાજાઓની પરંપરા કે તેમની સાથે સંબંધ ધરાવતાં સ્થાન ઇત્યાદિની પરંપરાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો હોય છે. મુખ્યત્વે શ્રીલંકામાં રચાયેલા આ સાહિત્યમાં…

વધુ વાંચો >

વાસુપૂજ્ય

વાસુપૂજ્ય : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં બારમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં આવેલી રત્નસંચયા નગરીના પદ્મોત્તર નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી વજ્રનાભ નામક ગુરુ પાસે દીક્ષા લઈ સંસારત્યાગ કર્યો હતો. અનેક ઉજ્જ્વળ સ્થાનકો…

વધુ વાંચો >

વિમલનાથ

વિમલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં તેરમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ ઘાતકી ખંડ દ્વીપમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં મહાપુરી નગરીના પદ્મસેન નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી સર્વગુપ્ત આચાર્ય નામે ગુરુ પાસે દીક્ષા લઈ તેમણે સંસારત્યાગ કર્યો હતો.…

વધુ વાંચો >

શાંતિદેવ (સાતમી સદી)

શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…

વધુ વાંચો >

શાંતિનાથ

શાંતિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સોળમા તીર્થંકર. જૈન પરંપરા અનુસાર પ્રવર્તમાન કાળચક્રમાં ત્રેસઠ શલાકાપુરુષો અર્થાત્ સર્વશ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ શલાકાપુરુષોમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી, 9 બલદેવ (વાસુદેવના મોટાભાઈ) અને 9 પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિસ્પર્ધી રાજા) હોય છે. ક્વચિત્ એક જ વ્યક્તિ પૂર્વજીવનમાં ચક્રવર્તી અને પછીના…

વધુ વાંચો >

શીતલનાથ

શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ…

વધુ વાંચો >

શ્રેયાંસનાથ

શ્રેયાંસનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના અગિયારમા તીર્થંકર. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ક્ષેમા નગરીમાં નલિનીગુલ્મ નામે પરાક્રમી અને ગુણવાન રાજા હતા. કાળક્રમે અનાસક્ત બનીને તેમણે વજ્રદત્ત મુનિ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી વ્રત-તપ-આરાધના કરીને ‘તીર્થંકર’ નામગોત્રનું ઉપાર્જન કરી મૃત્યુ પછી મહાશુક્ર સ્વર્ગલોકમાં તેઓ દેવ બન્યા. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી…

વધુ વાંચો >

શ્વેતાંબર

શ્વેતાંબર : જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયોમાંનો એક. લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જૈન ધર્મનું અંતિમ પુનર્ગઠન કર્યું. મહાવીરના સંઘમાં સચેલક અને અચેલક બંને પ્રકારના સાધુઓ હતા. સચેલક અર્થાત્ વસ્ત્રધારી અને અચેલક અર્થાત્ વસ્ત્રહીન. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ છસો વર્ષ પછી જૈન ધર્મમાં પ્રથમ મોટો સંપ્રદાયભેદ થયો અને…

વધુ વાંચો >

સંભવનાથ તીર્થંકર

સંભવનાથ તીર્થંકર : જૈન ધર્મના ત્રીજા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર બીજા તીર્થંકર અજિતનાથ પછી લાખો વર્ષો પછી સંભવનાથ થઈ ગયા. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ધાતકીખંડ દ્વીપના ઐરાવત-ક્ષેત્રની ક્ષેમપરા નામે નગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી રાજા હતા. આ રાજાના હૈયામાં દયાધર્મનો નિવાસ હતો. એક વખત નગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાજનો ભૂખ…

વધુ વાંચો >

સાતવાહન હાલ

સાતવાહન હાલ : પ્રાકૃત ભાષાના કવિ અને ગાથાઓના સંગ્રાહક. પ્રાકૃત મુક્તકોના પ્રસિદ્ધ પ્રાચીન સંગ્રહ ‘ગાહાકોસો’ (ગાથાકોશ) અથવા ‘ગાહાસત્તસઈ’(ગાથાસપ્તશતી)ના સંગ્રહકાર અને ‘કવિવત્સલ’ બિરુદથી પ્રસિદ્ધ સાતવાહન હાલ પ્રતિષ્ઠાનનગર(હાલનું પૈઠણ)ના રાજા હતા. ‘સાતવાહન’ ઉપરથી પ્રાકૃતમાં ‘સાલવાહણ’ અને ‘સાલાહણ’ રૂપો બન્યાં. ‘સાલવાહણ’નું ટૂંકું રૂપ ‘સાલ’ અને તેનું લોકબોલીમાં ‘હાલ’ એવું ઉચ્ચારણ થયું. આમ ‘હાલ’…

વધુ વાંચો >