મુગટલાલ પોપટલાલ બાવીસી

ઇન્ક્વિઝિશન

ઇન્ક્વિઝિશન : ઈસવી સનની 13મી સદીમાં પાખંડી તથા ખ્રિસ્તી ધર્મવિરોધીઓને સજા કરવા સ્થપાયેલી ધાર્મિક અદાલત. મધ્યયુગમાં રોમન ચર્ચ સત્તાધીશ બન્યું હતું. પાખંડીઓ કે નાસ્તિકોને સમાજના દુશ્મનો માનવામાં આવતા હતા. તેથી ઈ. સ. 1231માં પોપ ગ્રેગરી નવમાએ ધર્મવિરોધીઓ પર કામ ચલાવવા (પોપની) ધાર્મિક અદાલત સ્થાપી. તે અગાઉ 12મી અને 13મી સદીમાં…

વધુ વાંચો >

ઉધના

ઉધના : સૂરત જિલ્લાના સિટી તાલુકાનું ઔદ્યોગિક મથક. તે અમદાવાદ-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. ત્યાંથી ભૂસાવળ તરફ જતો તાપી-વેલી રેલવે માર્ગ જુદો પડે છે. ઉધનાનું રેલવે યાર્ડ ઘણું લાંબું અને વિશાળ છે. આઝાદી પૂર્વે ઉધનાનો સમાવેશ સચીન નામના દેશી રાજ્યમાં થતો હતો. સચીન બીજા વર્ગનું રાજ્ય હતું અને…

વધુ વાંચો >

ઍન્ટિયૉક્સ રાજાઓ

ઍન્ટિયૉક્સ રાજાઓ : સિરિયાના સામ્રાજ્યના સમ્રાટો. મહાન સિકંદરના સેનાપતિ સેલ્યુકસ પહેલાએ (નિકેટરે) સીરિયાના હેલેનિસ્ટિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સેલ્યુકસ પહેલા પછી અનુક્રમે સેલ્યુકસ બીજો અને સેલ્યુકસ ત્રીજો આ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. સેલ્યુકસ ત્રીજા પછી તેનો ભાઈ ઍન્ટિયૉક્સ ત્રીજો ઈ. પૂ. 223માં ગાદીએ આવ્યો. તેને ‘મહાન’ તરીકે ઓળખવામાં આવે છે. રોમ…

વધુ વાંચો >

એલ્ફિન્સ્ટન માઉન્ટસ્ટુઅર્ટ

એલ્ફિન્સ્ટન માઉન્ટસ્ટુઅર્ટ (જ. 6 ઑક્ટોબર 1779, ડનબાર્ટન-શાયર, સ્કૉટલૅન્ડ; અ. 20 નવેમ્બર 1859, હુકવુડ, ઇંગ્લૅંડ) : ભારતમાં બ્રિટિશ અધિકારી, કાબેલ વહીવટદાર અને શિક્ષણનો હિમાયતી. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ‘રાઇટર’ તરીકે કોલકાતામાં 1795માં દાખલ થયો હતો. એ અંગ્રેજી ભાષાનો વિદ્વાન હતો અને લૅટિન તથા ગ્રીક ભાષા જાણતો હતો. એણે ફારસી અને સંસ્કૃતનો…

વધુ વાંચો >

ઑસ્ટ્રોગૉથ

ઑસ્ટ્રોગૉથ : પ્રાચીન યુરોપની ‘ગૉથ’ નામની પ્રસિદ્ધ જાતિની પૂર્વીય શાખા. ઈસુની પાંચમી સદીના અંતભાગમાં આ ઑસ્ટ્રોગૉથ જાતિના લોકોએ ઇટાલી જીતી લીધું અને એમના નેતા થિયૉડોરિકે ઇટાલી, સિસિલી અને ડાલમેશિયામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, જે ઈ. સ. 555 સુધી ચાલુ રહ્યું હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી

વધુ વાંચો >

કામા, ખુરશેદજી રુસ્તમજી

કામા, ખુરશેદજી રુસ્તમજી (જ. 11 નવેમ્બર 1831; અ. 20 ઑગસ્ટ 1909) : મુંબઈના પારસી સમાજ અને જરથોસ્તી ધર્મના આગેવાન. તે સામાજિક અને ધાર્મિક સુધારાના આગ્રહી હતા. જુનવાણી વિચારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પારસીઓ માટે ધર્મનું જ્ઞાન સુલભ બને એ માટે એમણે 1865માં ‘જરથોસ્ત દીનની ખોળ કરનારી મંડળી’ સ્થાપી હતી.…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાલિન્જર

કાલિન્જર : ઉત્તર પ્રદેશના ભાગરૂપ બુંદેલખંડના બાંદા જિલ્લામાં 1230 ફૂટ ઊંચી પહાડી પરનો અજેય ગણાતો કિલ્લો. ચંદેલા રાજા ચંદ્રવર્માએ આ દુર્ગ બંધાવ્યો હતો અને કીર્તિવર્માએ તેનો વિસ્તાર કર્યો હતો. 1202માં કુત્બ-ઉદ્-દીને કાલિન્જર ઉપર હુમલો કરી, બુંદેલા રાજા પરમર્દીના પ્રધાન અજયદેવને પાણીની તંગીને કારણે હાર સ્વીકારવા ફરજ પાડી હતી. શેરશાહ સુરે…

વધુ વાંચો >

કાલીગુલા

કાલીગુલા (જ. 31 ઑગસ્ટ 12, એન્ટિયમ, ઇટાલી; અ. 24 જાન્યુઆરી 41, રોમ) : તરંગી અને આપખુદ રોમન સમ્રાટ. તે સમ્રાટ ઑગસ્ટસનો પ્રપૌત્ર અને જર્મેનિક્સ તથા એગ્રીપીના ધ એલ્ડરનો પુત્ર હતો. તેનું નામ ગેયસ સીઝર હતું. બાળક હતો ત્યારે તે લશ્કરી બૂટ પહેરતો, તેથી તેના પિતાના સૈનિકો તેને ‘કાલીગુલા’ (Little Boot)…

વધુ વાંચો >

કાસાની, મીર સૈયદઅલી

કાસાની, મીર સૈયદઅલી : ગુજરાતનો સલ્તનતકાલનો ઇતિહાસલેખક અને કવિ. એણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન(1511-1526)નો ઇતિહાસ આલેખ્યો છે. સુલતાન મુઝફ્ફરશાહ બીજાએ 1517માં માળવાનું રાજ્ય માંડુ જીતી લઈને એના સુલતાન મહમૂદ ખલજી બીજાને પાછું સોંપ્યું હતું તેનું વિસ્તૃત વર્ણન એમાં છે. એ આક્રમણમાં એ…

વધુ વાંચો >