ભારતીય-સંસ્કૃતિ

ઉપનિષદ

ઉપનિષદ વેદવિદ્યાની ચરમ સીમા જેમાં જોવા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. વેદનાં પ્રથમ ચરણોમાં એટલે કે સંહિતામાં પ્રાર્થનામંત્રો કે ઉપાસના છે. દ્વિતીય ચરણોમાં એટલે કે બ્રાહ્મણોમાં યજ્ઞવિધિ છે. આરણ્યકોરૂપી તૃતીય ચરણોમાં વાનપ્રસ્થ જીવનને લગતી વિગતો છે અને અંતિમ ચરણરૂપ ઉપનિષદોમાં જ્ઞાન કે મોક્ષની વિચારણા છે. આમ જીવનના…

વધુ વાંચો >

ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ)

ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ) : તાણ્ડ્ય બ્રાહ્મણ અને ષડ્વિંશ બ્રાહ્મણ એ બે મોટાં બ્રાહ્મણો સિવાયનાં તંડિશાખાનાં નાનાં નાનાં બ્રાહ્મણો. આર્ષેય, દેવતાધ્યાય, સામવિધાન અને મંત્રબ્રાહ્મણ અથવા ઉપનિષદ બ્રાહ્મણ વગેરે એક મોટા બ્રાહ્મણના ભાગો હશે એમ વિદ્વાનોની ધારણા છે. આ નાનાં બ્રાહ્મણો, ઋષિ, મંત્ર, દેવતા, વિનિયોગ આદિની અનુક્રમણીઓના સ્વરૂપનાં છે. તેથી તેમના વિષય-વૈશિષ્ટ્યને…

વધુ વાંચો >

ઉપપુરાણ

ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં…

વધુ વાંચો >

પ્રશ્નોપનિષદ

પ્રશ્નોપનિષદ : જુઓ ઉપનિષદ

વધુ વાંચો >