જયદેવ

જયદેવ

જયદેવ (ઈ. સ.ની બારમી સદી) : સંસ્કૃત ભાષાના સુવિખ્યાત કવિ. વૈષ્ણવ સંપ્રદાયના ઉલ્લેખો અનુસાર તેમનો જન્મ બંગાળના વીરભૂમ જિલ્લાના કિન્દુબિલ્વ(કેન્દુલી)માં થયેલો. કિન્દુબિલ્વ જગન્નાથપુરી પાસેનું ગામ હોવાનું ‘ગીતગોવિંદ’ના એક ટીકાકારે નોંધ્યું છે તો અન્ય એક ટીકાકારે કવિને ગુજરાતના કહ્યા છે. કવિની જન્મભૂમિ બિહાર હોવાની પણ એક પરંપરા છે. તેમના પિતા ભોજદેવ…

વધુ વાંચો >

જયદેવ

જયદેવ (આશરે તેરમી સદીનો પૂર્વાર્ધ) : ‘ચન્દ્રાલોક’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત અલંકારગ્રંથના રચયિતા. તે ધ્વનિપરંપરાના અનુમોદક છે. તેમનું બીજું નામ ‘પીયૂષવર્ષ’ કે ‘સૂક્તિપીયૂષવર્ષ’ છે. તેમના કહેવા પ્રમાણે તેમના પિતાનું નામ મહાદેવ તથા માતાનું નામ સુમિત્રા હતું. સંસ્કૃત સાહિત્યજગતમાં જયદેવ નામે અનેક લેખકો થઈ ગયા હોવાનું ઑફ્રેટની ગ્રંથસૂચિ દ્વારા જણાય છે. તેમાં…

વધુ વાંચો >

જયદેવ

જયદેવ (જ. 3 ઑગસ્ટ 1918, નૈરોબી; અ. 6 જાન્યુઆરી 1987, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સ્વરનિયોજક. મૂળ લુધિયાણાના વતની. લાહોરમાં અભ્યાસ. માત્ર 15 વર્ષની વયે અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પણ નસીબજોગે તે સંગીતક્ષેત્રે સફળ થયા. સંગીતકાર ઉસ્તાદ અલી અકબરખાનના સહાયક તરીકે તેમની સાથે જયદેવે ‘આંધિયાઁ’ અને ‘હમસફર’ ફિલ્મોમાં કામગીરી બજાવી. સંગીતકાર…

વધુ વાંચો >