અપભ્રશ-પાલિ-પ્રાકૃત

હરિભદ્રસૂરિ (બારમી સદી)

હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમો સૈકો)

હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…

વધુ વાંચો >

હરિવંશપુરાણ (ધવલકૃત)

હરિવંશપુરાણ (ધવલકૃત) : અપભ્રંશ ભાષામાં લખાયેલો ગ્રંથ. અપભ્રંશ ભાષામાં ‘હરિવંશપુરાણ’ અનેક છે. દિગમ્બર જૈન કવિ ધવલે પણ ‘હરિવંશપુરાણ’ રચ્યું છે. તેમાં મહાભારતની કથાની સાથે સાથે મહાવીર તથા નેમિનાથ એ બે તીર્થંકરોનાં ચરિત્રો આલેખેલાં છે. કવિના પિતાનું નામ સૂર હતું, જ્યારે માતાનું નામ કેસુલ્લ હતું. અંબસેન તેમના ગુરુ હતા. કવિ મૂળ…

વધુ વાંચો >

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ : પ્રાચીન ભારતીય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની સંસ્કૃત ભાષાના વ્યાકરણની ‘અષ્ટાધ્યાયી’ને સરળ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ અથવા ‘હૈમશબ્દાનુશાસન’માં રજૂ કર્યું. પાણિનિએ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના વ્યાકરણથી વેદની ભાષાના વ્યાકરણના નિયમો અલગ પડતા હતા તે નિયમો…

વધુ વાંચો >