ઇ-બુક્સ | eBooks

જ્ઞાનયજ્ઞના આચાર્ય
ઋષિતુલ્ય પ્રતિભા પુરુષની જીવનકથા `જ્ઞાનયજ્ઞના આચાર્ય’ – ધીરુભાઈ ઠાકરની આ જીવનકથા, એમના સાડા નવ દાયકા (95 વર્ષ)ના સફળ અને સાર્થક જીવનનો રસપ્રદ આલેખ રજૂ કરે છે. આપણા શિક્ષણસમાજનું દસ્તાવેજી છતાં રસાળ શૈલીમાં અહીં ઊપસતું ચિત્ર આસ્વાદ્ય હોવા સાથે પેઢીઓ માટેય પ્રેરક છે. ધીરુભાઈ સતત વિદ્યાવ્યાસંગી આચાર્ય રહ્યા. વિશ્વની સચરાચરસૃષ્ટિનું અને માનવવિદ્યાઓ તથા શાસ્ત્રોનું સકળ જ્ઞાન ગુજરાતી ભાષામાં અવતારવાનું ભગીરથકાર્ય `વિશ્વકોશ’ (25 ગ્રંથો) સ્વરૂપે ગુજરાતને સમર્પિત કરનાર આ ઋષિતુલ્ય પ્રતિભા પુરુષનું `જીવન-મિશન’ પણ આ જીવનકથા દ્વારા સહુને સુલભ થઈ રહ્યું છે, એ એક વિરલ સુયોગ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના શૈશવથી આરંભીને એમના સમગ્ર જીવનને અને વિશેષ એમના વિદ્યાપુરુષાર્થને `જ્ઞાનયજ્ઞના આચાર્ય’ પુસ્તકમાં ડૉ. મણિલાલ હ. પટેલે વિસ્તૃતપણે આલેખ્યા છે. વળી એક વિશેષ સુયોગ પણ એ છે કે આપણા સુખ્યાત સર્જક-વિવેચક મણિલાલ હ. પટેલ ધીરુભાઈ ઠાકરના વિદ્યાર્થી પણ રહ્યા છે. એક સર્જક-વિદ્યાર્થીની કલમે લખાયેલી પોતાના ઋષિતુલ્ય ગુરુની જીવનકથા આથી અત્યંત રસપ્રદ બની છે.
- « Previous
- 1
- 2
- 3
- 4