અવિપત્તિકર ચૂર્ણ

January, 2001

અવિપત્તિકર ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડાં, આંબળાં, નાગરમોથ, બીડલવણ, વાવડિંગ, ઇલાયચી અને તમાલપત્ર – દરેક એક એક ભાગ, લવિંગ અગિયાર ભાગ, નસોતર ચુંમાળીસ ભાગ અને સાકર છાસઠ ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવામાં આવે છે. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું ઠંડા પાણી સાથે દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી અમ્લપિત્ત, મળમૂત્રવિબંધ, અગ્નિમાંદ્ય, અર્શ વગેરે રોગોમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડયા