મધુકાન્ત ભગવાનજી પંડયા

અજમોદાદિ ચૂર્ણ

અજમોદાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. બોડી અજમો, વાવડિંગ, સિંધાલૂણ, દેવદાર, ચિત્રક, પીપરીમૂલ, સુવાદાણા, લીંડીપીપર અને મરી દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો દસ ભાગ અને સૂંઠ દસ ભાગ લઈ એકત્ર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. આ ચૂર્ણમાંથી 2થી 5 ગ્રામ જેટલું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી હાથપગના…

વધુ વાંચો >

અનંગસુંદરરસ

અનંગસુંદરરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ તથા શુદ્ધ ગંધકને સરખા પ્રમાણમાં લઈ તેની કજ્જલી તૈયાર કરી તેને ત્રણ દિવસ સુધી કલ્હાર વનસ્પતિના રસમાં ખરલ કરીને યથાવિધિ સંપુટમાં બંધ કરી વાલુકાયંત્રમાં મૂકી એક પ્રહર અગ્નિ પર પકાવવામાં આવે છે. ઠંડું થાય ત્યારે સંપુટમાંથી બહાર કાઢી લાલ ફૂલવાળી અગથિયા વનસ્પતિના રસમાં ઘૂંટી…

વધુ વાંચો >

અભયાદિ ક્વાથ

અભયાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. હરડે, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસીનાં પાન, ઇન્દ્રજવ, સુગંધી વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કળીપાટ, સૂંઠ અને કડુનું અધકચરું ચૂર્ણ બનાવી 2 તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળવામાં આવે છે. માત્રા : 20 થી 40 ગ્રામ જેટલો…

વધુ વાંચો >

અભયારિષ્ટ

અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની…

વધુ વાંચો >

અમૃતા ગુગ્ગુલુ

અમૃતા ગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધ. ગળો 3 ભાગ તથા ગૂગળ, હરડે, બહેડાં, આંબળાં અને સાટોડી; દરેક એક એક ભાગ લઈ તેનો ક્વાથ તૈયાર કરી, ગાળીને તેને ફરી પકવતાં ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં દંતીમૂળ, ચિત્રકમૂળ, પીપર, સૂંઠ, હરડે, બહેડાં, આંબળાં, ગળો, તજ, વાવડિંગ અને નસોતરનું ચૂર્ણ મેળવી એક એક ગ્રામની…

વધુ વાંચો >

અમૃતાદિ ક્વાથ

અમૃતાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. ગળો, સૂંઠ, આંબળાં, અશ્વગંધા અને ગોખરુ સરખે ભાગે લઈ અધકચરાં ખાંડી તૈયાર થયેલા મિશ્રણમાંથી બેથી ચાર તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ક્વાથ તૈયાર કરવામાં આવે છે. તેને બેથી ચાર તોલાની માત્રામાં પાણી સાથે શૂળ અને મૂત્રકૃચ્છ્ર…

વધુ વાંચો >

અમૃતારિષ્ટ

અમૃતારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. લીમડાની ગળો એક ભાગ તથા દશમૂળ એક ભાગ, તેનો દસગણા પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ગોળ ત્રણ ભાગ તથા જીરું, પિતપાપડો, સપ્તપર્ણની છાલ, સૂંઠ, મરી, લીંડીપીપર, નાગરમોથ, નાગકેસર, કડુ, અતિવિષની કળી અને ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી માટીના વાસણમાં એક મહિના સુધી બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >

અવિપત્તિકર ચૂર્ણ

અવિપત્તિકર ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડાં, આંબળાં, નાગરમોથ, બીડલવણ, વાવડિંગ, ઇલાયચી અને તમાલપત્ર – દરેક એક એક ભાગ, લવિંગ અગિયાર ભાગ, નસોતર ચુંમાળીસ ભાગ અને સાકર છાસઠ ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવામાં આવે છે. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું ઠંડા પાણી સાથે દિવસમાં…

વધુ વાંચો >

આભાગુગ્ગુલુ

આભાગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધિ. બાવળની છાલ, હરડે, બહેડાં, આંબળાં, સૂંઠ, મરી, પીપર દરેક સમભાગે લઈ તે સર્વના વજનના પ્રમાણમાં શુદ્ધ ગૂગળ મેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. 2થી 4 ગોળી પાણી સાથે આપવાથી અસ્થિભંગમાં આરામ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આમલકી રસાયન

આમલકી રસાયન : આયુર્વેદિક ઔષધ. સૂકાં આંબળાંના ચૂર્ણને ખરલમાં નાખી લીલાં આંબળાંના સ્વરસની 21 ભાવના આપીને સૂકવી ચાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ આમલકી રસાયન 3થી 5 ગ્રામની માત્રામાં પાણી અગર મધ સાથે લેવાથી ક્ષય, રક્તપિત્ત, પ્રમેહ, દાહ વગેરે રોગોમાં ફાયદો થાય છે. તે સાજા માણસને માટે રસાયન છે.…

વધુ વાંચો >