મેનિઓ-શિઉ : શિન્તો ધર્મનો એક શાસ્ત્રગ્રંથ. આ ગ્રંથ દશ હજાર પત્રોના સંગ્રહ રૂપે છે. પાંચમાથી આઠમા સૈકાના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 4496 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ થયેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. કુદરતની શક્તિઓમાં રહેલો આનંદ તેમજ કુદરતનું ભયાનક સ્વરૂપ પણ તેમાં વર્ણવવામાં આવ્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ