શાહ, અલીજી ગામધણી : અમદાવાદના વિખ્યાત સંત કવિ. અમદાવાદમાં જમાલપુર રોડ પર તેમની દરગાહ આવેલી છે, તેની પાછળ આવેલી મસ્જિદમાં તુગ્રા શૈલીમાં એક લેખ છે. તેમાં અલ્લાહ મુહમ્મદ તથા તેમના ચાર મુખ્ય સહચરો હજરત અબૂબક્ર ઊર ઉસ્માન અને અલી વગેરેનાં નામોનું થુલ્થ શૈલીના તુગ્રા રૂપમાં આલેખન કરવામાં આવ્યું છે.

જયકુમાર ર. શુક્લ