શાન્તિસ્વરૂપ (. 24 ઑક્ટોબર 192૩, ધનૌરા, સિલ્વરનગર, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ‘કુસુમ’ ઉપનામવાળા હિંદી કવિ. તેઓ સામાજિક સેવક તથા સ્વાતંત્ર્યસેનાની પણ છે.

તેમણે 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પદધ્વનિ (1956), ‘ધરતી ગાતી હૈ’ (1992) કાવ્યસંગ્રહો; ‘દશરથનંદિની’ (1989), ‘લોપામુદ્રા’ (1992), ‘સુકન્યા’ (199૩), ‘હઠી દશાનન’ (1995) ખંડકાવ્યો; ‘ચંદ્રભા’ (198૩), ‘માધવી’ (1985), ‘સેનાની સુભાષ’ (1995), ‘અમર શહીદ ભગતસિંગ’ (1996) એ મહાકાવ્યોનો સમાવેશ થાય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1985માં ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ; 1988માં જયશંકર પ્રસાદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા. તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી તેમનું ‘સ્વતંત્રતા સેનાની’ તરીકે બહુમાન કરાયું અને ‘હિંદી વિભૂષણ’; ‘વિદ્યાવાચસ્પતિ’; ‘ગીતસમ્રાટ’ જેવા ખિતાબોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા.

બળદેવભાઈ કનીજિયા