મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ

February, 2002

મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ (16મી-17મી સદી) :  અલ્-નૂર અલ્-સફિર અન-અખબાર અલ-કરન અલ્-આશીરનો લેખક. તે અમદાવાદમાં સોળમી અને સત્તરમી સદીનાં શરૂઆતનાં વરસોમાં થઈ ગયો. તેણે ઉપર્યુક્ત ગ્રંથમાં સાદી, રસપ્રદ અને સમજી શકાય એવી શૈલીમાં હિજરી સનની દસમી સદીના બનાવોની સાલવારી તેમજ સમકાલીન સંતો તથા ઉલેમાઓની વિગતો આપી છે, જે તત્કાલીન સમાજજીવન પર પ્રકાશ પાડનારી છે.

જયકુમાર ર. શુક્લ