જ્યૉર્જ, કાર્ડોના : ભાષાશાસ્ત્રી. ન્યૂયૉર્કમાં જન્મ. યેલ યુનિવર્સિટીમાંથી ઇન્ડો-યુરોપિયન ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને તરત જ (1960) પૅન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. પં. જગન્નાથ શ્રીધર પદે શાસ્ત્રી (વડોદરા) પાસે ‘વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી’નો અભ્યાસ કરી (વારાણસી પાસે) છાતામાં પં. રઘુનાથ શર્મા પાસે 10 વર્ષ સુધી ‘મહાભાષ્ય’નો અભ્યાસ કર્યો.

પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય વિદ્યાપ્રણાલીનો સંગમ ધરાવનાર કાર્ડોનાએ સંસ્કૃત વ્યાકરણક્ષેત્રના સર્વાંગીણ અભ્યાસનો પ્રકલ્પ (project) હાથમાં લીધો છે. તેમાંના બે ગ્રંથો (1980-1987) તેમની વિલક્ષણ પ્રતિભાના પરિચાયક છે.

અરુણોદય જાની